________________
. જેના દર્શન-તુલનાત્મક દષ્ટિએ ઃ .
[૧૦૧] છે. અણખેડાયેલી પૃથ્વીમાં પણ જૈન દર્શન જેવો માને છે. પાણીમાં પણ છવો છે તેમ હજારો વર્ષોથી તે માનતું આવેલું છે. આ રીતે વર્તમાન યાંત્રિક શાસ્ત્રો( Mechanic science)એ જૈન દર્શનના તને મજબૂત સમર્થન આપ્યું છે. - ખાસ કરીને જે છ લેશ્યાઓ જૈન દર્શનના શાસ્ત્રોમાં નિવેદન કરેલી છે તે કૃષ્ણ, નીલ, કાપત, તેજસ, પદ્મ અને શુકલ–અનુક્રમે છે. જીવાત્માના આ માનસિક પરિણામ ઉત્તરોત્તર ઉજજ્વલતા રૂપે જૈનાગમમાં સ્વીકારાયેલા છે. અમેરિકન વિજ્ઞાનશાસ્ત્રીએ યાંત્રિક પ્રયોગો દ્વારા પુરવાર કર્યું છે કે માનસિક પરિણામેના વિચારોમાં રંગ છે અને તેમાં વધારે દુષ્ટ વિચારે કૃષ્ણ રંગના હોય છે, તેથી ઓછા નીલ વર્ણના અને સૌથી સુંદર વિચાર શુકલ સફેદ રંગના હોય છે– આ રીતે જૈન દર્શનના પ્રણેતાનું વિશેષ જ્ઞાન પ્રતીત થાય છે.
લોકમાન્ય તિલકે ગીતા રહસ્યમાં જે ઉચ્ચ કમગ સિદ્ધ કર્યો છે તે કર્મવેગ જૈન દર્શનને મુખ્ય આમા છે લેકમાન્યના અર્થમાં જ કર્મયોગને અર્થ લઈએ તે તે પુરુષાર્થ છે. આખા જૈન દર્શનને સાર કર્મવાદી થવાને નહિ, કિંતુ આત્માને કેઈની પણ સહાય વગર એકલાં જ, જૈન દર્શનમાં જીવનમુક્ત અવસ્થા જેને કહેવામાં આવે છે તેમાં આત્માઓ કૈવલ્ય પ્રાપ્ત કરે છે. તેઓ આયુષ્ય પુરૂં થતાં સુધી દેહમાં રહે છે, પરંતુ વાસ્તવિક રીતે દેહાતીત અવસ્થાવાળા હોય છે. સંપૂર્ણ જ્ઞાનવડે જગતના સર્વ ભાવ જાણે છે અને જુવે છે. વેદાન્તની જીવન્મુક્ત અવસ્થા અને જૈન દર્શનની જીવન્મુકત દશા જે કે મોટા ફેરફારવાળી છે છતાં દેહાતીત અને ઇન્દ્રિયાતીતપણામાં એકતા દષ્ટિગોચર થાય છે. વેદમાં પરમાત્માને વ્યક્તિ તરીકે સર્વ વ્યાપક માનેલા છે, ત્યારે જૈન દર્શનમાં કેવળજ્ઞાનના ઉપયોગ રૂપે સર્વ વ્યાપક માનેલા છે. જીવન-મૃત્યુના સવાલે જેન—દર્શને ઘણું જ સુંદર સ્વરૂપમાં ઉકેલ્યા છે. ભગવદ્ગીતાના કથનાનુસાર મૃત્યુ એ પ્રાણીઓના જુના વસ્ત્રો બદલવા અને જન્મ એ નવા વસ્ત્રો ધારણ કરવા તુલ્ય છે. તદનુસાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org