SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન દન-તુલનાત્મક દૃષ્ટિએ [ ૯૭ ] (6 પાડે છે. આ ઉપરથી જેને ઈશ્વરત્વને માનતા જ નથી–એ સિદ્ધ કરવું કે એમ કહેવું તે ભ્રમમૂલક છે. લાલા લજપતરાયે પણ આવી જ એક ભૂલ ભારત ધર્માંકા ઇતિહાસ ” નામના એક હિંદી પુસ્તકમાં કરેલ છે. દરેક આત્મા સદ્નાન અને સદાચરણથી ઇશ્વરત્વ પ્રાપ્ત કરે છે, સ્વયં ઈશ્વર અને છે-એ માન્યતા જૈન દર્શન સ્વીકારે છે અને તેવા મુક્તાત્માને ઈશ્વર માની બાહ્ય તથા આંતર પૂજા-ભક્તિ કરે છે. જૈનાના ચાવીશ તીર્થંકરા પહેલાં આપણી જેવા સામાન્ય મનુષ્યા હતા. એધિસત્ત્વ જેમ દશ . પારમિતાઓનેા પ્રથમના અનેક જન્મામાં અહિંસા, સત્ય, પ્રજ્ઞા વગેરેનું ઉચ્ચ ઉચ્ચ કેાટિએ પાલન કરતાં કરતાં આશ્ચર્ય જનક રીતે અવતરી મહાપુરુષરૂપે જન્મ્યા તેમજ દ્વાદશાંગીના પ્રકટન દ્વારા “સલી જીવ કરૂં શાસનરસી”—એ ભાવના, આચારમાં-સ્થૂલ સ્વરૂપમાં મૂકવા માટે મૈત્રી, પ્રમાદ, કારૂણ્ય અને માથ્યાદિ ભાવના દ્વારા શ્રી મહાવીર પ્રભુએ પ્રાણીઓના ઉદ્ધાર કર્યો અને પેાતે આત્મબળથી અને પુરૂષાથી જ મુતાત્મા બન્યા-મુક્તિ પામ્યા. રા. રા. કનૈયાલાલ માણેકલાલ મુનશીએ પાટણની પ્રભુતા, ગુજરાતને નાથ અને રાજાધિરાજ નામની નવલકથાઓમાં ફ્રેન્ચ નવલકથાકારાને અનુસારે કલ્પનાએ ઉપજાવી, જૈન દર્શનના ઐતિહાસિક પાત્રો શ્રીમદ્ હેમચદ્રાચાર્ય તથા આમ્રભટ્ટ વગેરેને જૈનદર્શનમાં નિવેદન કરેલા દ્રષ્ટિબિંદુથી જુદા જ સ્વરૂપે કલ્પી, મિશ્રિત કરવામાં જૈન સમાજની લાગણી દુખાવેલ છે. તે રા. રા. મુનશીએ તે તે પાત્રોનું સ્વરૂપમાત્ર કલ્પનાથી ઘડી કાઢેલુ છે કે કાઈ પ્રાચીન ગ્રંથના અવતરણરૂપે છે તે તેમણે પ્રકાશમાં લાવી ઐતિહાસિક સત્ય હકીકત પુરવાર કરવી જોઇએ, અને જૈતાની દુભાયેલી લાગણીને શાંત પાડવી જોઇએ. કેમકે જૈનાના કાઈપણ સમર્થ આચાર્યને સ્વકલ્પના અનુસાર તેમના ધર્મશાસ્ત્રના ક્માનથી વિરૂદ્ધ રાજખટપટી ચીતરવા એ કાઇ દર્શીનની માન્યતા વચ્ચે સીધા હાથ નાંખવા જેવું અનુચિત છે. એ કહેવું પ્રસ્તુત સમયે અનુચિત નથી, કે આધુનિક ગુજરાતના ઇતિહાસને મજબુત રીતે ટકાવનાર જૈન ગ્રંથે!, જૈનાચાર્ય અને કુમારપાળ જેવા રાજા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005246
Book TitleJain Darshan Mimansa ane Anya Lekho
Original Sutra AuthorN/A
AuthorFatehchand Z Shah
PublisherJain Atmanand Sabha
Publication Year1962
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy