SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ ક જૈન દર્શન મીમાંસા ગંભીર ભૂલ કરી છે અને અનુયાયીવર્ગને કેટલે આડે રસ્તે દેર્યો છે, તે પણ ખુલ્લું થાય છે. જૈન દર્શનના મુખ્ય ૪૫ શાસ્ત્ર છે, જે સિદ્ધાંત અથવા આગમના નામથી ઓળખાય છે. એ ૪૫ શાસ્ત્રોમાં ૧૧ અંગ, ૧૨ ઉપાંગ, ૧૦ પ્રકીર્ણ, ૬ છેદ, ૪ મૂળ સૂત્ર અને ૨ અવાંતર સૂત્રો. જેને મુખ્ય નવ તત્વે માને છે. (૧) જીવ (૨) અજીવ (૩) પુણ્ય (8) પાપ (૫) આશ્રવ (૬) બંધ (૭) સંવર (૮) નિર્જરા અને (૯) મોક્ષ. જે માં ચેતન્ય ગુણ હોય તે જીવ છે, શરીર વગેરે જડ પદાર્થોને જેમાં સમાવેશ થાય તે અજીવ છે. શુભાશુભ કર્મને આત્માને ભોગવટો થવો તે પુણ્ય અને પાપ. શુભાશુભ કર્મધાર તે આશ્રવ, આત્મામાં નવા કર્મો ન આવવા દેવા તે સંવર, આત્માના પ્રદેશ સાથે કર્મનો સંબંધ થવો તે બંધ. થોડાં કર્મોનું આત્માથી જુદા પડવું તે નિર્જરા; અને સર્વાશે કર્મથી રહિત થવું તે મેક્ષ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, કાળ, પગલાસ્તિકાય અને જીવાસ્તિકાય-એ પ દ્રવ્ય જૈન દર્શન માને છે અને પરસ્પર-જીવ અને જડ વસ્તુને ઉપકારી કે અનુપકારી તરીકે સ્વીકારે છે. આ તમામ ત ઉપર શ્રદ્ધા રાખવી તે ( તરવાર્ય શ્રદ્ધાનું સ ર્શન) સમ્યગદર્શન, એ તવોનું સંશય-વિપર્યયરહિત જ્ઞાન તે સમ્યગ જ્ઞાન અને તદનુસાર નિર્દોષ અને પવિત્ર આચરણ તે સમ્યકચારિત્ર. આ આચરણમાં ગૃહસ્થને અપરાધી પંચેંદ્રિયજીવોની હિંસા અણછુટકે કરવાની છુટ હોય છે, ત્યારે સાધુને “અહિંસા પરમ ધર્મ સર્જાશે પાળવાન હોય છે. બ્રહ્મચર્યવ્રત મુનિએ સર્વાશે પાળવું જોઈએ. તે જ પ્રકારે સત્ય, અચૌર્ય અને અપરિગ્રહ(લાભને અભાવ)ના સંબંધમાં પણ સમજાવેલું છે. ઇશ્વર ઉપર સૃષ્ટિ રચવાનું કાર્ય જેનદર્શન સેપતું નથી. બૌદ્ધોની માફક જૈને પણ ઈશ્વરનું સૃષ્ટિ ઉત્પન્ન કરવાનું કર્તવ્ય સ્વીકારતા નથી. સાંખ્ય દર્શન પણ ઈશ્વરના સૃષ્ટિકર્તવવાદની ના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005246
Book TitleJain Darshan Mimansa ane Anya Lekho
Original Sutra AuthorN/A
AuthorFatehchand Z Shah
PublisherJain Atmanand Sabha
Publication Year1962
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy