SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૩ બીજુ કશુ જ નથી. ઉપનિષદના ઋષિએએ છેવટે તે એટલે સુધી કહી દીધુ` કે અદ્વૈત તત્ત્વ છતાં જે મનુષ્યા સંસારમાં ભેદની કલ્પના કરે છે તે પેાતાના સર્વનાશને નાતરે છે.' આ પ્રકારે એ સમયે આત્મવાદનાં પૂર ઊમટયાં હતાં એટલે એ પૂરની સામે બંધ બાંધવાનું કાર્યં ભ. બુદ્ધે કર્યું. તેમાં તેમને સ્થાયી સફળતા }ટલી મળી એ એક જૂદો પ્રશ્ન છે, પણ ભ. શુદ્દે એ પૂરને અનાત્મવાદ તરફ વાળવા પૂરતા પ્રયત્ન કર્યાં એ જ કહેવાનુ છે. ભગવાન બુદ્ધે અનાત્મવાદના ઉદેશ આપ્યા એમ જ્યારે આપણે કહીએ છીએ ત્યારે એમ નથી સમજવાનું કે તેએ આત્મા જેવી વસ્તુને સથા નિષેધ કરે છે. તેમના નિષેધનું તાત્પર્ય એટલુ જ છે કે ઉપનિષદોમાં જે પ્રકારના શાશ્વત અદ્વૈત આત્માનુ પ્રતિપાદન કરવામાં આવ્યું છે, આત્માને જે પ્રકારે વિશ્વનું એકમાત્ર મૌલિક તત્ત્વ માનવામાં આવ્યું છે તેને વિરાધ ભગવાન બુદ્ધ કર્યો છે. ઉપનિષદના પૂર્વોકત ભૂતવાદીએ અને દાર્શનિક સૂત્રકાળના નાસ્તિ કે ચાર્વાંકા પણ અનાત્મવાદી છે અને ભ. બુદ્ધ પણુ અનાત્મવાદી છે. એ બન્ને આટલી વાર્તામાં સહમત છે કે આત્મા એ સર્વોથા સ્વત ંત્ર એવું દ્રવ્ય નથી અને તે નિત્ય કે શાશ્વત પણ નથી. અર્થાત્ બન્નેને મતે આત્મા એ ઉત્પન્ન થનારી વસ્તુ છે. પણ ચાર્વાક અને ભ. બુદ્ધમાં જે મતભેદ છે તે એ છે કે પુદ્ગલ, આત્મા, જીવ, ચિત્ત નામની એક સ્વતંત્ર વસ્તુ છે એમ ભ. જીદ્દ માને છે, જ્યારે ભૂતવાદી તેને માત્ર એક ચાર કે પાંચ ભૂતામાંથી નિષ્પન્ન થનારી પરતંત્ર માને છે. ભ. યુદ્ધ પણ જીવ, પુદ્ગલ કે ચિત્તને અનેક કારણાથી ઉત્પન્ન તા માને છે અને એ અર્થમાં તે પરત ંત્ર પણ છે, પણ એ ઉત્પત્તિનાં જે કારણેા છે તેમાં પણ વિજ્ઞાન અને વિજ્ઞાનેતર બન્ને પ્રકારનાં કારણેા વિદ્યમાન હોય છે; જ્યારે ચાર્વાકને મતે ચૈતન્યની ઉત્પત્તિમાં ચૈતન્યેતર ભૂતા જ કારણેા છે, ચૈતન્ય કારણ છે જ નહિ. તાત્પર્ય એ છે કે ભૂતાની જેમ વિજ્ઞાન પણ એક મૂળ તત્ત્વ છે, જે જન્ય અને નિત્ય છે એમ ભ. જીદ્દ સ્વીકારે છે, જ્યારે ચાર્વાકા માત્ર ભૂતાને જ મૂળ તત્ત્વ માને છે, બુદ્ધુ ચૈતન્ય વિજ્ઞાનની સંતતિ-ધારાને અનાદિ માને છે, પણ ચાર્વાકને મતે ચૈતન્યધારા જેવુ કશું જ નથી. નદીને પ્રવાહ ધારાબહ્ન જલબિન્દુએથી બને છે અને તેમાં એકત્વની પ્રતીતિ થાય છે, તેમ વિજ્ઞાનની સંતતિ-પરંપરાથી વિજ્ઞાનધારા બને છે અને તેમાં પણ એકત્વની પ્રતીતિ થાય છે. વસ્તુતઃ જલબિંદુએની જેમ પ્રત્યેક દેશ અને કાલમાં વિજ્ઞાનક્ષણા ભિન્ન જ હોય છે. આવી વિજ્ઞાનધારાના સ્વીકાર ભ. બુદ્ધે કર્યાં છે, પણ ચાર્વીને તે પણ માન્ય નથી. ભ. બુદ્ધે રૂપ, વેદના, સત્તા, સંસ્કાર અને વિજ્ઞાન, ચક્ષુઆદિ ઇન્દ્રિયા, તેના વિષયે, તેનાથી થતું જ્ઞાન, મન, માનસિક ધર્મ અને મનેાવિજ્ઞાન એ બધાંને એકકને લઇને વિચાર કર્યાં છે અને બધાંને અનિત્ય, દુ:ખ અને અનામ કહી દીધાં છે. એ બધાં વિશે તેએ પૂછતા કે નિત્ય છે અનેત્ય ? ઉત્તર મળતા કે તે અનિત્ય છે. એટલે તએ ફરી પૂછતા કે જે વસ્તુ અનિત્ય હોય તે સુખ છે કે દુખ ? ઉત્તર મળતા કે દુઃખ. એટલે તેએ ફરી પૂછતા કે જે વસ્તુ અનિત્ય હાય, દુ:ખ હોય, વિપરિણામી હોય, શું તેના વિશે આ મારું' છે, એ હું છું, એ મારો આત્મા છે' એવા વિકા १. " मनसैवानुद्रष्टव्यं नेह नानास्ति किंचन । मृत्योः स मृत्युमाप्नोति य इह नानेव पश्यति ॥ " બૃહદા૦ ૪.૪.૧૯; ૩૪ ૪, ૧૧, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005245
Book TitleGandharwad
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherB J Institute
Publication Year1985
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy