SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ શોધ થઈ ત્યારે કહી દેવામાં આવ્યું કે અનમય આત્મા, જેને શરીર કહેવામાં આવે છે તે તે રથ જેવું છે. તેને દોરનાર રથી એ જ ખરે આત્મા છે. આત્મા વિનાનું શરીર કશું જ કરી શકતું નથી. શરીરની જે ચાલક શક્તિ છે તે જ આત્મા છે. આમ શરીર અને આત્મા એ બને તો પૂથફ છે એમ સ્પષ્ટ કરવામાં આવ્યું. આમાથી સ્વતંત્રપણે પ્રાણુ કશું જ કરી શકતો નથી. આત્મા એ તે પ્રાણને પણ પ્રાણ છે. પ્રશ્નોપનિષદમાં તે કહેવામાં આવ્યું છે કે આત્માથી જ પ્રાણને જન્મ છે. મનુષ્ય પર તેને પડછાયો આધાર રાખે છે, તેમ પ્રાણ એ આત્માને અવલંબે છે. આ રીતે પ્રાણ અને આત્માને ભેદ કર્યો. ઈન્દ્રિય અને મનથી પણ એ આત્મા ભિન્ન છે એની સૂચના કેનેપનિષદમાંકે કરવામાં આવી છે. ત્યાં જણાવ્યું છે કે ઇન્દ્રિો અને મન એ બ્રહ્મ-આત્મા વિના કશું જ કરવા સમર્થ નથી. આત્મા છે એટલે જ ચક્ષ આદિ ઈદ્ધિ અને મન પોતપોતાનું કાર્ય કરે છે. જેમ વિજ્ઞાનાત્માનો અંતરાત્મા આનંદાત્મા છે તેમ આનંદાત્માને ય અંતરાત્મા સત્ એવું બ્રહ્મ છેએમ કહીને વિજ્ઞાન અને આનન્દથી પણ પર એવા બ્રહ્મની કલ્પના કરવામાં આવી છે.' બ્રહ્મ અને આત્મા એ જુદા નથી પણ એક જ તત્વનાં બે નામે છેએ જ આત્માને સવ તોથી પર એ પુરષ પણ કહ્યો છે અને સર્વ ભૂતેમાં ગઢમાં પણ કહ્યો છે. કઠોપનિષદમાં બુદ્ધિન-વિજ્ઞાનને પ્રાકૃત-જડ બતાવ્યું છે એટલે વિજ્ઞાનાત્માની કલ્પનાથી ચિંતકને સંતોષ ન થાય એ સ્વાભાવિક છે. તેથી તેનાથી પણ ૫ર એવા ચિદાત્મા–પુરુષ ચેતન આત્માની શોધ આવશ્યક હતી. અને તે બ્રહ્મ અથવા ચેતન-આત્માની ક૯૫નાએ પૂરી થઈ. આ રીતે ચિંતકેએ આત્માને અભૌતિક તસ્વરૂપે સ્થિર કરી દીધો. આ પ્રમાણે ભૂતથી માંડીને ચેતન સુધીની આત્મવિચારણની ઉત્ક્રાંતિને ઇતિહાસ અહીં પૂરો થાય છે. પ્રથમ વિજ્ઞાત્માના વર્ણન પ્રસંગે કહેવામાં આવ્યું છે કે તેને સ્વયંતિ માનવામાં નથી આ. સુપ્તાવસ્થામાં તે અચેતન બની જાય છે. તે સ્વપ્રકાશી નથી, પણ આ પુરુષ-ચેતન આત્મા કે ચિદાત્મા વિશે એમ નથી. તે તો સ્વયં જાતિ છે, સ્વયં પ્રકાશે છે. તે તે વિજ્ઞાનને પણ અંતર્યામી છે. એ સતરાત્મા વિશે કહેવામાં આવ્યું છે કે તે સાક્ષાત્ છે, અપરોક્ષ છે, પ્રાણનો લેનાર તે છે, આંખને જનાર તે છે, કાનને સાંભળનાર તે છે, મનને વિચાર તે છે. જ્ઞાનને જાણનાર તે છે. ૧૦ એ જ દ્રષ્ટા છે, એ જ શ્રેતા છે, એ જ મન્તા છે, એ જ વિજ્ઞાતા છે.૧૧ નિય ચિત્માત્રરૂ૫ છે, સર્વ પ્રકાશરૂપ છે, ચિન્માત્ર તિરૂપ છે.' ૧. છાગલેય ઉપનિષદને સાર-જુએ, History of Indian Philosophy, Vol. 2. p. 131; ત્રી ઉપનિષદ ૨-૩-૪: કઠા. ૧-૩-૩ ૨. કેન. ૧-૨, ૩. પ્રોપનિષદ્ ૩.૩ ૪. કેન, ૧.૪-૬, ૫. સૈત્તિરીય ૨-૬, ૬, “સર્વ હિ ઉતર્ ચૈત્ર મયમમાં બ્રહ્મ'-માંડુકથ ૨, બહદા૨ ૨-૫-૧૯. ૭. કઠે પનિષદ ૧૩.૧૦-૧૨ ૮. બુદ. ૪. 3. ૬. અને, ૯, વિજ્ઞાનાત્મા અને પ્રજ્ઞાનધન (બૃહદા. ૪-૫-૧૩) આત્મા વચ્ચે અંતર છે. પ્રથમ પ્રાકૃત છે જ્યારે બીજો પુરુષ -ચેતન છે. ૧૦. બહદા ૩-૭-૨૨. ૧૦. બૃહદા ૩.૪.૧-૨, ૧૧. બદ૦ ૩૭.૨૩; ૩.૮.૧૧. ૧૨. મૈત્રેય્યપનિષદ ૩-૧૩-૨૧. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005245
Book TitleGandharwad
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherB J Institute
Publication Year1985
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy