SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ પણ પ્રજ્ઞાનું મહત્ત્વ વધારે છે એમ કૌષીતકીમાં જણાવવામાં આવ્યું છે, તે બતાવે છે, કે મનમય માને પણ પ્રજ્ઞાત્મા એ અતરાત્મા છે. આ જ વસ્તુને તોત્તિરીય ઉપનિષદ (૨૪)માં વિજ્ઞાનામાને મનમય આત્માને અંતરાત્મા કહીને સૂચવી છે. એટલે પ્રજ્ઞા અને વિજ્ઞાનને પર્યાય માનવામાં અસંગતિ નથી. અતરેય ઉપનિષદમાં પ્રજ્ઞાનબ્રહ્મને જે પર્યાય આપવામાં આવ્યા છે તેમાં મન પણ છે. એ સૂચવે છે કે પૂર્વકલ્પિત મનમય આત્મા સાથે પ્રજ્ઞાનાત્માને સમન્વય છે. તેમાં જ પ્રજ્ઞા અને પ્રતાનને પણ એક જ કહ્યાં છે અને પ્રજ્ઞાનના પર્યાય તરીકે વિજ્ઞાનને પણ બતાવ્યું છે.* સાર એ છે કે વિજ્ઞાન, પ્રજ્ઞા, પ્રજ્ઞાન એ બધા શબ્દો એકાઈંક મનાયા અને તે અર્થ તે આત્મા એમ મનાયું. મને મય આત્મા સૂક્ષ્મ છતાં મને કોઈને મને ભૌતિક અને કેઈને મતે અભૌતિક છે. પણ વિજ્ઞાનને જ્યારે આત્મા એવું નામ આપવામાં આવ્યું ત્યાર પછી જ આત્મા અભૌતિક તત્વ છે એવી વિચારણાને પ્રારંભ થયો. આત્મવિચારણામાં વિજ્ઞાન, પ્રજ્ઞા કે બજ્ઞાનને આત્મા કહીને ચિંતકે એ આત્મવિચારની દિશાને જ બદલી દીધી. હવે જ આત્મા એ મૌલિક ચેતન તવ છે એવી માન્યતા તરફ વિચાર કે પ્રયાણ આદર્યું અને પ્રજ્ઞાનની એટલી બધી પ્રતિષ્ઠા કરવામાં આવી કે આંતર-બાહ્ય બધાંને પ્રજ્ઞાન કહી દીધાં. પ્રજ્ઞા તત્વનું વિશ્લેષણ હવે જરૂરી હતું, એટલે તેના વિશે વિચાર કરવામાં આવ્યું. બધી ઇન્દ્રિ અને મનને પ્રજ્ઞામાં પ્રતિષ્ઠિત માનવામાં આવ્યાં. જ્યારે મનુષ્ય સુપ્ત કે મૃત હોય છે ત્યારે ઇન્દ્રિય પ્રાણરૂ૫ પ્રજ્ઞામાં મળી ગયેલી હોય છે તેથી કશું જ જ્ઞાન થઈ શકતું નથી. મનુષ્ય જ્યારે જાણે છે કે ફરી જન્મે છે ત્યારે તણખામાંથી અગ્નિ જેમ પ્રજ્ઞામાંથી ઇન્દ્રિય ફરી પાછી બહાર આવે છે અને મનષ્ય જ્ઞાન કરે છે. ઇન્દ્રિયે પ્રજ્ઞાના એક અંશ જેવી છે અને તેથી તેઓ પ્રજ્ઞા વિના પોતાનું કામ કરવા સમર્થ નથી. હવે ઈદ્ધિ અને મનથી પણ ભિન્ન એવા પ્રજ્ઞાત્માને જાણવા માટે પ્રયત્ન કરવા જણાવ્યું છે. પણ ઈદ્રિના વિષયોને નહિ, પણ ઇન્દ્રિયના વિષયને જાણનાર પ્રજ્ઞાત્માને જાણવા માટે પ્રેરણા કરવામાં આવી છે. મનને જાણવું જરૂરી નથી, પણ મનન કરનારને જાણવું જરૂરી છે. આ પ્રમાણે ઇન્દ્રિયાદિ સાધનાથી પર એવા પ્રજ્ઞાત્મા-સાધકને જાણવા માટે કોષીતકી ઉપનિષદે ભાર આપ્યો છે. ૯ કૌષીતકી ઉપનિષદમાં આવેલા ઉપર્યુક્ત વિશ્લેષણને આધારે કહી શકાય કે પ્રજ્ઞાને એ ઉપનિષદમાં ઇન્દ્રિયનું અધિષ્ઠાન માનવામાં આવી છે એ ઠીક છે પણ હજી પ્રજ્ઞાના સ્વયં પ્રકાશિત રૂપ પ્રત્યે વિચારકનું ધ્યાન ગયું જ નથી એટલે સુપ્તાવસ્થામાં ઇન્દ્રિયોને વ્યાપાર નહિ હોવાથી કેઈપણ પ્રકારનું જ્ઞાન પરનું કે સ્વનું તેમાં સ્વીકારવામાં આવ્યું નથી.૧૦ તે જ રીતે મૃત્યુ પછી જ્યાં સુધી નવી ઇન્દ્રિયનું નિર્માણ થતું નથી ત્યાંસુધી પણ પ્રજ્ઞા અકિંચિકર જેવી જ માનવામાં આવી છે. પ્રજ્ઞાને અધીન ઇન્દ્રિ ૧. કોષીતકી ૩,૬,૭, જુઓ ગુજરાતી ભાષાંતર પૃ૦ ૮૯૨ ૨. અતરેય ૩.૨.૨ ૩. એતરેય ૩.૩ ૪, અતરે ૩.૨ ૫. અતરેય ૩.૧.૨-૩ ૬, કોષીતકી ૩.૨ ૭. કોષીતકી ૩.૫ ૮, કૌશીતકી ૩૭ ૯, કૌષીતકી ૩,૮ ૧૦. આવા આત્માના જ્ઞાનથી ઈન્દ્રને સંતોષ થયું ન હતું અને તેણે સુપ્તાવસ્થાના આ માથી પણ પર એવા આ માનું પ્રજાપતિ પાસેથી જ્ઞાન મેળવ્યું હતું એ ઉલેખ છાન્દોગ્યમાં છે. ૮.૧૧. અહીં બૃહદા૦ ૧.૧૫-૨૦ પણ જોવું જોઈએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005245
Book TitleGandharwad
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherB J Institute
Publication Year1985
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy