SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ ૭. સંકેત કરે જ છે. વળી વૈભાષિક બૌદ્ધોએ તા મનને વિજ્ઞાનનું સમનન્તર કારણુ કહ્યું હોવાથી તે વિજ્ઞાનરૂપ છે.' આમ પ્રાચીન કાળમાં મનને અભૌતિક માનવાનું એક વલણ સ્પષ્ટ દેખાય છે, તેથી આત્મવિચારણામાં પ્રાણને છેડીને મનને આત્મા માનવાનું જે ચિ ંતકને પ્રથમ સૂઝયું હશે તેણે જ સર્વ પ્રથમ આત્માને ભૌતિક કાર્ટિમાંથી અભૌતિક ક્રાટિમાં મૂકજો હશે એમ માનવું જોઈએ. મનને આત્મા માનનારાએ દાર્શનિક સૂત્રકાળમાં પણ વિદ્યમાન હતા એ દાર્શનિક સૂત્રમન્થા અને તેની ટીકાઓને આધારે પણ જાણવા મળે છે.૨ મનને આત્મા માનનારાએનુ કહેવુ હતું કે જે હેતુએ વડે દેહથી આત્માને ભિન્ન સિદ્ધ કરવામાં આવે છે તે વડે તે મનેામય સિદ્ધ થાય છે. અર્થાત્ એક ઇન્દ્રિયે જોયેલુ અને બીજી ઇન્દ્રિયે પલુ' તે એક જ છે એવુ પ્રતિસંધાન, મન સવિષયક હોવાથી કરી શકે છે, તેથી મનને જ આત્મા માની લેવા જોઈએ, તેથી ભિન્ન આત્મા માનવા જરૂરી નથી. વેદાન્તસારમાં સદાનદે કહ્યું છે કે તૈત્તિરીય ઉપનિષદના બન્યાન્તરામા નેમય' (૨.૩) એ વાકષને આધારે ચાર્વાંકા મનને આત્મા માને છે. સાંખ્યસંમત વિકૃતના ઉપાસકેામાં મનને આત્મા માનનારાઓના સમાવેશ છે. બૃહદારણ્યકમાં મન એ શું છે તેને વિવિધ રીતે વિચાર કરવામાં આવ્યા છે. તેમાં જણાવ્યુ છે કે મારું મન ખીજે હતું તેથી મેં જોયું નહિ;' મારૂં મન બીજે હતું તેથી મેં સાંભળ્યું નહિ -એટલે ખરું જોતાં માણુસ મન વડે જુએ છે તે મન વડે જ સાંભળે છે, કામ, સંક૯૫, વિચિકિત્સા (સ ંશય), શ્રદ્ધા, અશ્રદ્ધા, ધૃતિ, અધૃતિ, લજ્જા, બુદ્ધિ, ભય એ બધું મન જ છે. તેથી માણસને ક્રાઈ પીઠ પર સ્પ હુરે તાપણું તે મનથી જાણી જાય છે.. વળી તેમાં મનને પરમ બ્રહ્મ સમ્રાટ કહ્યુ છે.પ છાન્દોગ્યમાં પણુ તેને બ્રહ્મ કહ્યું છે. મનથી જે વિશ્વપંચ છે તેનું જે નિરૂપણુ તેજોબિન્દુ ઉપનિષદમાં છે તેથી મનના મહિમા જણાય છે. તેમાં જણાવ્યું છે કે મન જ બધું જગત છે, મન જ માટે શત્રુ છે, મન સંસાર છે, મન જ ત્રણ જગત છે, મન જ મેાટુ' દુ:ખ છે...મન જ કાલ છે, મન જ સંકલ્પ છે, મન જ જીવ છે, મન જ ચિત્ત છે, મન જ અહંકાર છે, મન જ અતકરણ છે, મન જ પૃથ્વી મન જ તેજ છે, મન જ મેટા વાયુ છે, મન જ આકાશ છે, મન જ શબ્દ છે, સ્પર્શ, રૂપ રસ, ગધ અને પાંચ ક્રોષ મનથી ઉત્પન્ન થયેલા છે, જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ વગેરે મનેામય છે, દિક્પાલે વસુએ, રુદ્રો, આદિત્યા મનેામય છે,૭ મન જ પાણી છે, (૪) પ્રજ્ઞાત્મા, પ્રજ્ઞાનાત્મા, વિજ્ઞાનાત્મા કૌષીતકી ઉપનિષદમાં પ્રાણને પ્રજ્ઞા અને પ્રજ્ઞાને પ્રાણ એવું નામ આપવામાં આવ્યું છે. તે બતાવે છે કે પ્રાણામા પછી જ્યારે પ્રજ્ઞાત્માની શોધ થઈ ત્યારે જૂના-નવાને સમન્વય આવશ્યક હતા. ઇન્દ્રિયા અને મન એ અને પ્રજ્ઞા વિના કશું જ કરી શકતાં નથી, એમ કહી ઈન્દ્રિયા અને મનથી ૧. ખળામનન્તરાતીત` વિજ્ઞાન દ્ધિ તમ્મન: મિયમ વષ ૧.૧૭ ૨. ન્યાય સૂ૦ ૩. ૧, ૧૬: ન્યાય વાર્તિક પૃ૦ ૩૩૬ ૩. સાંખ્યકારિકા ૪૪ ૪. બૃહદા૦ ૧.૫.૩ ૫. બૃહદા ૪.૧૬; ૬. છાન્દે૦ ૭.૩.૧ ૭. તેજોબિન્દુ ઉપનિષદ ૫,૯૮,૧૦૪, ૮. પ્રોસ્મિ પ્રજ્ઞામા' કૌષીતકી ૩;ર; રૂ. ૩; ચૈ જૈ પ્રાળઃ સા પ્રજ્ઞા, યા વા પ્રજ્ઞા સ ત્રાળ; ફોષી ૩.૩,૩,૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005245
Book TitleGandharwad
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherB J Institute
Publication Year1985
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy