________________
૭૭
સાંખ્યસંમત વકૃતિક બંધની વ્યાખ્યામાં વચસ્પતિ મિથે ઈન્દ્રિયને પુરુષ માનનારાઓને ઉલ્લેખ કર્યો છે તે પણ ઈન્દ્રિયાત્મવાદીઓ વિશે જ સમજો.'
આ પ્રમાણે આત્માને દેહરૂપ માનવામાં આવે કે ભૂતાત્મક અથવા તે પ્રાણરૂ૫ માનવામાં આવે કે ઈન્દ્રિયરૂપ માનવામાં આવે, છતાં એ બધા મતે આમાં તેના ભૌતિક રૂપમાં જ આપણી સામે આવે છે. તેનું અભૌતિક રૂપ આમાંથી પ્રકટ થતું નથી; અથવા તે એમ કહી શકાય કે આ બધા મતે પ્રમાણે આત્મા તેના વ્યક્ત રૂપમાં આપણું સામે આવે છે. તે ઈન્દ્રિયથી ગ્રાહ્ય છે, એમ સામાન્યપણે આ બધા મતોમાં મનાયું છે. અને આત્માનું વિશ્લેષણ તેના તે રૂપને જ સામે રાખીને કરવામાં આવ્યું છે. એટલે જ તેના અવ્યક્ત અથવા અભૌતિક સ્વરૂપ પ્રત્યે આમાંના કેઈનું ધ્યાન ગયું નથી.
પણ ઋષિઓએ જેમ વિશ્વના ભૌતિક રૂપની પણ પર જઈને એક અવ્યક્ત તત્વ સ્વીકાર્યું, તેમ આત્મા વિશે પણ તેમણે માન્યું કે તે પણ તેના પૂર્ણ રૂપમાં આંખે દેખી શકાય તે છે જ નહિ. જ્યારથી તેમનું આવું વલણ થયું ત્યારથી આત્મવિચારણાએ નવું રૂપ લીધું.
જ્યાં સુધી આત્મા તેના ભૌતિક રૂપમાં મનાય ત્યાં સુધી આ લોક સિવાયના પરલોકમાં તેના ગમનની માન્યતા કે તેને કારણ કમની માન્યતા કે પુણ્ય-પાપની માન્યતાને અવકાશ નથી રહેતા, પણ જ્યારે આત્માને સ્થાયી તન્વરૂપે સ્વીકારવામાં આવે ત્યારે જ એ બધા પ્રશ્નને વિચાર કરવો
સ્વતઃ પ્રાપ્ત થઈ જાય છે. આમ હોવાથી જ આત્મવાદ સાથે સંકળાયેલા પરલોક અને કર્મવાદને વિચાર હવે પછી જ કરવાનું પ્રાપ્ત થાય છે. (૩) મનમય આત્મા
ચિંતકે એ અનુભવ્યું કે પ્રાણ કહેવાતી ઈન્દ્રિયો પણ મન વિના સાર્થક નથી, મનને સંપર્ક હોય તો જ ઈન્દ્રિયો પિતાના વિષયને ગ્રહણ કરી શકે છે, અન્યથા નહિ; અને વળી વિચારણામાં તે ઈ િકશું જ કરી શકતી નથી.-ઇન્દ્રિયવ્યાપાર ન હોય છતાં વિચારણાનું સાતત્ય બની રહે છે. સુપ્ત મનુષ્યની ઈન્દ્રિયે કશું જ કરતી નથી ત્યારે પણ મન કયાંનું કયાં પહોંચી જાય છે. એટલે તેઓ ઇંદ્રિથી આગળ વધીને મનને આત્મા માનવા લાગી ગયા હોય એ સંભવે છે. ઉપનિષત્કાળમાં જેમ પ્રાણમય આત્મા એ અનમય આત્માને અંતરાત્મા મનાયો છે તેમ પ્રાણમય આત્માના પણ અન્તરામા મનમય આત્મા મનાય છે એ સૂચવે છે કે વિચારપ્રગતિમાં પ્રાણમય આત્મા પછી મનમય આત્માની કલ્પના કરવામાં આવી હશે.૩
પ્રાણુ અને ઇન્દ્રિય કરતાં પણ મન સૂમ છે. પણ તે ભૌતિક છે કે અભૌતિક એ વિષયમાં દાર્શનિક એકમત નથી. પણ એટલું તો ચોકકસ કે પ્રાચીન કાળમાં મન અભૌતિક પણ મનાતું હશે એટલે જ ન્યાય-વિશેષાકાદિપ દાર્શનિકોએ મનને અણુ માનવા છતાં પૃથ્વી આદિ ભૂતના કોઈપણ આગથી તેને વિલક્ષણ માન્યું છે. વળી સાંખ્યમતે પણ જે, ભૂતની નિપત્તિ થયા પહેલાં જ પ્રાકતિક અહંકારમાંથી મનની નિષ્પત્તિ થઈ જાય છે એમ મનાયું છે–તે પણ ભૂત કરતાં તેની સ્મતાને
૧. સાંખ્ય. કા૦ ૪૪ ૨, ઋગ્વદ ૧૦, ૧૨૯ ૩. તત્તિરીય ૨.૩ ૪. “મન” વિશે દાર્શનિક મતભેદોના વિવરણ માટે જુઓ “પ્રમાણમીમાંસા' ટિપ્પણુ પૃ૦ ૪૨ ૫. ન્યાય સૂ૦ ૩.૨.૬૧; વૈશેષિક સૂ૦ ૭.૧.૨૩
૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org