________________
૭૬
છે તેમાં આત્મા ઉત્તરાત્તર વિકાસને પામે છે, કારણ કે એષધિ અને વનસ્પતિમાં તે તે માત્ર રસરૂપે જ દેખા દે છે, પણ પશુએમાં તે ચિત્ત પણ દેખાય છે, અને મનુષ્યમાં તે વિકસતા તે ત્રણ કાળના વિચારક ખની જાય છે.
પ્રાણા ભવાદ-ઈન્દ્રિયાત્મવાદ
ઉપનિષદમાં આવતી વૈરાચન અને ઇન્દ્રની કથાના એક ભાગ દેહાત્મવાદની ચર્ચામાં આવી ગયા છે, અને એમ પણ કહેવાયુ છે કે ઇન્દ્રને દેતુ એ જ આત્મા છે એ પ્રજાપ્રતિના સ્પષ્ટીકરણમાં અસ તેાષ હતા. એટલે આપણે માની શકીએ કે એ જમાનામાં માત્ર ઇન્દ્ર જ નહિ, પણ તેના જેવા ઘણા વિચારકાને એ પ્રશ્ને મૂઝળ્યા હો અને તેમની એ મૂંઝવણ્ણાએ જ આત્મતત્ત્વ વિશે વધુ વિચાર કરવા તેમને પ્રેર્યાં હશે, અને ચિતાએ જ્યારે શરીરની આધ્યાત્મિક ક્રિયાએનુ નિરીક્ષણ-પરીક્ષણ કરવા માંડયું હશે, ત્યારે પ્રાણ તેમનું પ્રથમ ધ્યાન ખેંચે તે સ્વાભાવિક છે. તેમણે જોયું હશે કે નિદ્રામાં જ્યારે બધી ઇન્દ્રિયા પોતાનું કામ બંધ કરી દે છે ત્યારે પણ શ્વાસેાચ્છવાસ તે ચાલુ જ હાય છે, માત્ર મૃત્યુ પછી એ શ્વાસેાશ્ર્વાસ દેખાતા નથી. આથી તેમણે નક્કી કર્યુ કે જીવનમાં પ્રાણુ જ મહત્ત્વનો ભાગ ભજવે છે. એટલે તેમણે જીવનની બધી ક્રિયાના કારણુ રૂપે એ પ્રાણુ જ માન્યા,૧ જ્યારે દેહમાં સ્કુરાયમાણુ તત્ત્વને પ્રાણરૂપે ચિંતકે એ એળખાવ્યું. એટલે તેનું મહત્ત્વ બહુ જ વધી ગયું અને તેના જ વિશે વધારે વિચાર થવા લાગ્યા. પરિણામે છાન્દેગ્યુર ઉપનિષદમાં પ્રાણુ માટે કહેવામાં આવ્યું કે આ વિશ્વમાં જે કંઈ છે તે પ્રાણુ છે, અને બૃહદારણ્યકમાં ૩ તે તેને દેવતાના પણ દેવતા કહી દીધા છે.
પ્રાણુ અર્થાત્ વાયુને આત્મા માનનારાએનું ખંડન મિલિન્દ પ્રશ્નમાં નાગસેને કર્યું છે,૪
શરીરમાં થતી ક્રિયાએમાં જે સાધના છે તેમાં ઇન્દ્રિયા મહત્ત્વને ભાગ ભજવે છે, એટલે વિચારકનુ ધ્યાન તે તરફ જાય અને ઈન્દ્રિયાનેજ આત્મા માનવા પ્રેરાય એ સ્વાભાવિક છે, બૃહદારણ્યક ઉપનિષદમાં ઇન્દ્રિયેાની હરીફાઈના ઉલ્લેખ છે અને તે જ સ્વયં સમર્થ હાય એવા તેમના દાવા રજૂ કરાયેા છે.૫ એ ઉપરથી માની શકાય કે ઇન્દ્રિયાને આત્મા માનવાનું વલણ પણ ક્રાઈનુ` હશે. દાર્શનિક સૂત્રટીકાકાળમાં એવા ઇન્દ્રિયાત્મવાદીએનું ખંડન પણ કરવામાં આવ્યું છે, તેથી એવા મત કેાઈના અવશ્ય રહ્યો હશે એમ માની શકાય છે. એ ઇન્દ્રિયાત્મવાદ વિરુદ્ધ પ્રાણાત્મવાદના સમ કાએ જે ીલ આપી છે તે બૃહદારણ્યકમાં મળે છે. તેમાં જણાવ્યું છે કે મૃત્યુ બધી ઇન્દ્રિયને થકવી દે છે, પણુ બધી ઇન્દ્રિયે વચ્ચે રહેલા પ્રાણુને મૃત્યુ કશું જ કરી શકતું નથી એટલે ઇન્દ્રિયાએ પ્રાણનું રૂપ લીધું તેથી ઇન્દ્રિયેા પણ પ્રાણ કહેવાય છે, ૬
પ્રાચીન જૈન આગમેામાં જે દૃશ પ્રાણુ ગણાવ્યા છે તેમાં ઇન્દ્રિયાને પણ પ્રાણ કહેવામાં આવી છે, તેથી પણ ઉક્ત વાતનું સમન થાય છે. આ રીતે પ્રાત્મવાદમાં ઈન્દ્રિયાત્મવાદના સમાવેશ
થઈ જાય છે.
૧. તૈત્તિરીય ૨.૨, ૩; કૌષીતકી ૩.૨.૨ ૪. મિલિન્દ પ્રશ્ન ૨.૧૦
૧૫. ૨૨-૨૩
૧.૫.૨૧.
Jain Education International
.છા દાગ્ય ૩.૧૫.૪ ૫. બૃહદારણ્યક
For Private & Personal Use Only
૧. ૫ ૨૧.
૩. બૃહદારણ્યક ૬. બૃહદારણ્યક
www.jainelibrary.org