SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ ७५ માન્ય'.૧ એવા ભૂતાત્મવાદીએ અથવા દેહાત્માવાદીએ પોતાના મતના સમર્થનમાં જે પ્રકારની દલીલ આપતા હતા તેમાં મુખ્ય દલીલે। આવી હતી; જેમ કેાઈ પુરુષ તલવારને મ્યાનમાંથી જુદી ખેંચી કાઢીને બતાવી શકે છે. તેમ આત્માને શરીરથી જુદી કાઢીને કાઈ બતાવી શકતું નથી, અથવા જેમ તલમાંથી તેલ કાઢીને બતાવી શકાય છે કે દહીંમાંથી માખણુ કાઢીને બતાવી શકાય છે તેમ જીવને કોઈ શરીરથી જુદા કાઢીને ભુતાવી શકતું નથી. શરીર ટકે છે ત્યાંસુધી જ તે ટકી રહે છે અને શરીરના નાશ થતાં તેને પણ નાશ થઈ જાય છે. બૌદ્ધોના દી નિકાયના પાયાસી સુત્તમાં અને જૈનાના રાયપસઈય સુત્તમાં નાસ્તિક રાા પાયાસી –પએસીએ શરીરથી જીવ જુા નથી એ સિદ્ધ કરવા જે પ્રાગૈા કર્યા હતા તેની એકસરખી વિસ્તૃત નોંધ છે. તે ઉપરથી જણાય છે કે તેણે મરનારને કહી રાખ્યુ હતું કે તમે મરીને જે લેાકમાં જ ત્યાંથી મને કહેવા આવજો. પણ તેમાંનુ કાઈ તેને મૃત્યુ પછીની સ્થિતિ વિશે કહેવા આવ્યું નહિ, તેથી તે માનવા લાગ્યા કે આત્માના નાશ મૃત્યુ વખતે જ થઈ જાય છે, શરીરથી ભિન્ન એવા કાઈ આત્મા નથી; ને રાજાએ શરીર એ જ આત્મા છે એમ સિદ્ધ કરવા ખાતર જીવતા માણસને વેઢાની પેટીમાં કે હાંડીમાં પૂરાને જોયુ` કે મૃત્યુ વખતે તેના જી. અહ.ર નીકળે છે કે નહિ. પરીક્ષાને અંતે નક્કી કર્યું કે શરીરમાંથી, મૃત્યુ વખતે કોઈ જીવ બહાર નીળતા નથી. જીવત અને મૃત વ્યક્તિને તાળીને પરીક્ષા કરી કે મૃત્યુ વખતે જીવ ો ચાણ્યા જતા હોય તા વજન ઘટી જવું જોઈએ. પણ તેમ થવાને બદલે તેને જણાયુ કે મૃત વ્યક્તિનું ા વજન ઊલટુ' વધી જાય છે. મનુષ્યના શરીરના ટુકડે ટુકડા કરાને ક્રમે કરીને હાડ માંસ વગેરેમાં જીવને શાા પણ તેમાં પણ તેમાં પણ તે જડયો નહિ. વળી તે દલીલ કરતા કે શરીર અને જીવ જુદાં હોય તે એક બાળક શા માટે અનેક બાણાને ફેંકી શકતા નથી અને યુવાન તેમ કરી શકે છે; માટે શક્તિ એ આત્માની નહિ પણ શરીરની છે, અને શરીરના નાશ સાથે તેના નાશ થાય છે. પાયાસી રાજાની જુદી જુદી પરીક્ષાએ અને દલી ઉપરથી જણાય છે કે તે ભૂતની જેમ આત્માને પણ ઇન્દ્રયોના વિષય માનીને આત્મા વિશેની શોધ કરતા હતા; આત્માને પણ એક ભૌતિક તત્ત્વ માનીને જ તેની શોધ ચલાવતા હતા, અને તેથી જ તેને નિરાશા મળી. જો તેણે આત્માને અમૂ તત્ત્વ માનીને તેની શોધ કરવા પ્રયત્ન કર્યાં હોત તા તેની શોધની પ્રક્રિયા જુદી જ હાત. રાયપસેણુ યમાં જણાવ્યા પ્રમાણે પએસીના દાદા પણ તેના જેવા જ નાસ્તિક હતા. આ ઉપરથી જણાય છે કે આત્માને ભૌતિક માનીને તેના વિશે વિચાર કરનારા બહુ જૂના કાળમાં પણ હતા. એની સાક્ષી પૂર્વોક્ત તૈત્તિરીય ઉપનિષદમાંથી પણ મળે જે-જેને આધારે આત્માને અન્નમય કહેવામાં આવ્યેા છે. વળી ઉપનિષદથી પણ પ્રાચીન અતરેય આરણ્યકમાં આત્માના વિકાસને દર્શાવતાં જે પગથિયાં મૂકયાં છે તેથી પણ સિદ્ધ થાય છે કે આત્મવિચારણામાં આત્માને ભૌતિક માનવા એ તેનુ પ્રથમ પગથિયું છે. તે આરણ્યકમાં૪ વનસ્પતિ, પશુ અને મનુષ્યના ચૈતન્યને પરસ્પર જે સંબંધ છે તેનુ વિશ્લેષણુ કરવામાં આવ્યું છે. તેમાં જણાવ્યું છે કે આધિ-વનસ્પતિ અને આ જે બધાં પશુએ અને મનુષ્ય ૨. સૂત્રકૃતાંગ ૨.૧.૯; ૨.૧.૧૦ ૩. તત્તિરીય ૨.૧.૨ ૧. સૂત્રકૃતાંગ ૧.૧.૧, ૭૮ ૪. અતય આરણ્યક ૨.૩.૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005245
Book TitleGandharwad
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherB J Institute
Publication Year1985
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy