________________
હતા. તેમને મત ચાર કે પાંચ ભૂતામાંથી જ આત્માની નિષ્પત્તિ થાય છે; આત્મા જેવી સ્વતંત્ર કેઈ મૌલિક વસ્તુ નથી દાર્શનિક સૂત્ર-ટીકાગ્રન્થોના કાળમાં જ્યાં ચાર્વાક, નાસ્તિક, બાર્હસ્પત્ય કે લોકાયત મતને નિરાસ કરવામાં આવ્યું છે ત્યાં પણ ચાર ભૂત કે પાંય ભૂતવાદને નિરાસ છે; એટલે આપણે માની શકીએ કે દાર્શનિક સૂત્રોની વ્યવસ્થાના કાળમાં ઉપનિષદના પ્રાચીન સ્તરમાં અતી અનાત્મવાદીઓ હતા નહિ, પણ તેમનું સ્થાન નાનાભૂતવાદીઓએ લીધું હતું. એ નાનાભૂતવાતવાદીઓ માનતા હતા કે ચાર કે પાંચ ભૂતને વિશિષ્ટ સમુદાય થવાથી આત્મા-રૌતન્યની નિપત્તિ થાય છે. આમાં જેવી અનાદિ-અનંત કે ઈ શાશ્વત વસ્તુ છે જ નહિ, કારણ કે એ ભૂતસમુદાયને નાશ થવાથી જ આત્માને પણ નાશ થઈ જાય છે.
આ રીતે એ બને ધારાઓ વિશે વિચારતાં એક વાત તરી આવે છે કે અદ્વૈતમાર્ગમાં એક કાળે અનાત્માની માન્યતા મુખે હતી અને ક્રમે કરી આત્માËતની માન્યતા દઢ થઈ. બીજી તરફ નાનાવાદીઓમાં પણ ચાવક જેવા દાર્શનિકો થયા છે જેમને મતે આત્મા જેવી વસ્તુને મૌલિક તત્તમાં સ્થાન હતું નહિ, જ્યારે તેમના વિરોધીઓ જૈન, બૌદ્ધ, સાંખ્યાદિ આત્મા અને અનાત્મા બનેને મૌલિક તમાં સ્થાન આપતા.
આત્માનું સ્વરૂ૫-શૈતન્ય
આત્માના સ્વરૂપ વિશેની જિજ્ઞાસા ઋદના એક ઋષિને થઈ છે તે તેમના એક ઉદ્દગાર ઉપરથી જણાય છે, પણ તેમની એ જિજ્ઞાસામાં ઊડી મૂંઝવણને અનુભવ પ્રત્યક્ષ થાય છે. તે ઋષિ પિકારી ઊઠે છે કે “આ હું કે હું તેની સમજ મને પડતી નથી.'૨ આત્માના જ નહિ પણ વિશ્વાત્માના
સ્વરૂપ વિશે પણ ઋગ્યેદના ઋષિને સંશય છે. વિશ્વના એ મૂલ તવને એ સત કે અસત્ એ બેમાંથી કઈ પણ નામે કથવા તૈયાર નથી. કદાચ તેને એમ પણ લાગ્યું હોય કે એ મૂળ તત્ત્વ વચનગોચર થઈ શકે એવું છે જ નહિ. ઋવેદ (૧૦-૯૦), અને યજુર્વેદના પુરુષસૂક્ત (અ. ૩૧ )ને આધારે એમ કહી શકાય કે સમસ્ત વિશ્વના મૂળમાં પુરુષ છે. એ પુરુષ ચેતન છે એ કહેવાની ભાગ્યેજ જરૂર છે. એ જ પુરુષનું સ્થાન બ્રાહ્મણકાલમાં પ્રજાપતિએ લીધું. એ પ્રજાપતિ સમસ્ત વિશ્વને સર્જક મનાય છે.*
બ્રાહ્મણકાળ પર્યત બાહ્ય જગતનું મૂળ ખંજવા પ્રયત્ન કરવામાં આવ્યો છે અને તેના મૂળમાં પુરુષ કે પ્રજાપતિને કહ૫વામાં આવ્યો છે, પણ ઉપનિષદમાં વિચારની દિશા બદલાઈ ગઈ છે. વિશ્વ. વિચારનું સ્થાન આત્મવિચારણાએ મુખ્યરૂપે લીધું છે; અને તેથી જ આત્મવિચારની ક્રમિક પ્રગતિને ઈતિહાસ જાણવાનું પ્રાચીન સાધન ઉપનિષદે છે.
ઉપનિષદોમાં આવતી આત્મસ્વરૂપની વિચારણું જે કાળમાં ઉપનિષદો રચાયાં તે જ કાળની હોય એમ તે ન કહી શકાય પણ તેથી પહેલાં લાંબા કાળથી જે વિચારપ્રવાહે ચાલી રહ્યા હતા તેની નોંધ
૧. સૂત્રકૃતાંગ ૧.૧.૧.૭.-૮; ૨.૧.૧૦; બ્રહ્મજલ સૂત્ર ૨, ન વા નાનામિ વિ દૃઢમહિમ | ઃ ૧, ૧૬ ૪, ૨૭ ૩, નાડસાલીતૂ ને સાત્ ઢાનીમ્ | રવેઃ ૧૦. ૧૨૧, 4. The Creative Period p. 67, 342
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org