________________
૬૯
એ ગમે તે હોય પણ એક વાત તો નક્કી જ છે કે ગણધરના મનની શકાં વેદનાં પરસ્પર વિરોધી અર્થવાળાં વાકયોને આધારે જ બતાવવામાં આવી છે અને તેનું સમાધાન પણ ભગવાન મહાવીર પ્રથમ તર્ક દ્વારા અને પછી વેદવાક્યને જ યથાર્થ અર્થ કરીને આપે છે, આ વસ્તુ સૂચક છે. એમાં આપણે એક તો જૈનધર્મની જે સર્વસમન્વયની ભાવના છે તેનાં દર્શન કરી શકીએ છીએ. સામાન્ય રીતે દાર્શનિકોની બાબતમાં એવું જોવામાં આવે છે કે તેઓ પોતાની માન્યતાની વાત કરવી હોય ત્યારે પ્રતિપક્ષીના મતનું ખંડન કરવા તરફ જ દષ્ટિ રાખે છે અને પોતાની સામે પોતાની પરંપરાનાં જ પ્રમાણે ઉપસ્થિત રાખે છે. આમ હોવાથી ચર્ચાને અંતે બને ત્યાંને ત્યાં રહે છે, કારણ કે બનેમાં પિતાના મતને કદાચ હોય છે. મોટે ભાગે ભારતીય બધાં દર્શને વિશે પરસ્પર આમ જ બન્યું છે. પણ અહીં તેથી ઊલટ માર્ગ લીધો છે. આમાં તો બંને પક્ષોએ વેદને જ આધાર લીધો છે અને કથા પણ વીતરાગકથા છે. પ્રતિપક્ષી ઉપર વિજય મેળવવાની ભાવનાને બદલે પ્રતિપક્ષીને સાચી સમજ આપવાની ભાવના જ મુખ્ય કામ કરે છે. એટલે ભગવાન મહાવીર વેદવાકયને જ યથાર્થ અર્થ બતાવે છે અને તેના સમર્થનમાં પણ બીજાં વેદવાક જ ઉપસ્થિત કરે છે. આ યોજવામાં પ્રતિપક્ષી પોતાની વેદભક્તિને કારણે પણ ઝટ ભગવાનની વાત માની લે તેવી વ્યવહારકુશળતા દાખવવામાં આવી છે, અને તેમાં ભગવાનને પૂર્ણ સફળતા પણ મળી છે. આમાંથી એક બીજી વાત પણ સિદ્ધ થાય છે કે કોઈપણું શાસ્ત્રને સવથા તિરસ્કાર કરવાને બદલે તે શાસ્ત્રને યુક્તિયુક્ત અર્થ તારવીને તેને ઉપયોગ કરવાની ભાવનાને વેગ આપવાનું આચાર્ય એ વલણ જૈનદષ્ટિને અનુસરતું જ છે. નન્દીસુત્રમાં કહ્યું છે કે મહાભારત જેવાં શાસ્ત્રો એકાંત મિથ્યા કે એકાંત સમ્યફ નથી, પણ જે મનુષ્ય તેને વાંચે છે તેની દષ્ટિ અનુસાર તે પરિણમે છે. અર્થાત જે વાચક સમૃષ્ટિ હોય તે સ્વય એ શાસ્ત્ર વાંચીને નિવણમાર્ગમાં તેનો ઉપયોગ કરતા હોવાથી એને માટે એ શાસ્ત્ર સમ્યક છે, પણ જે મિથ્યાદષ્ટિવાળો વાચક એ શાસ્ત્રને વાંચે છે તે પિતાની દષ્ટિને કારણે તેને સં સારદ્ધિમાં ઉપયોગ કરતા હોઈ તેને માટે એ શાસ્ત્રો મિથ્યા છે.'
- નિયુક્તિકારે તો વેદવાકોમાં શંકાનું કારણ કર્યું છે, પણ આચાર્ય જિનભદ્દે અને ટીકાકારોએ જે વાકયોને આધારે શંકા હોવાનું જણાવ્યું છે તે પ્રાયઃ ઉપનિષદોનાં જ છે. ભગવાન મહાવીરના કાળમાં ઉપનિષદોનું નિર્માણ થઈ ગયું હતું. એટલે એ શંકાસ્થાને-શંકાના વિષય ઉપનિષદોમાં ચર્ચાયા છે કે નહિ તે વિશે કહેવામાં આવશે. ઉપનિષદે એ વેદનાં પરિશિષ્ટ જેવાં હોઈ તેને વેદનું નામ આપવું અનુચિત નથી જ. શંકાસ્થાને ગણધરના મનમાં જે વિષયોની શકાંઓ હતી તે ક્રમે આ પ્રમાણે છે :
૧ જીવનું અસ્તિત્વ ૨ કર્મનું અસ્તિત્વ ૩ તજીવ તસ્કરીર–અર્થાત જીવ અને શરીર એક જ છે.
૪ ભૂતોનું અસ્તિત્વ ૧. નન્દીસૂત્ર ૪૦, ૪૧; જુએ “જેનાગમ” પત્રિકા, પૃ. ૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org