________________
પ૭
કે તેની તેમના હસ્તાક્ષરવાળી એક પ્રતિ વિ૦ ૧૧૬૪માં લખાયેલી ખંભાતના શાંતિનાથ ભંડારમાં વિદ્યમાન છે. જીવસમાસના કર્તા કોણ છે એ જાણવામાં આવ્યું નથી, કોઈ પ્રાચીન આચાર્ય હોવા જોઈએ. આ પહેલા શીલાંકાચાર્યે પણ જીવસમાસની ટીકા લખી હતી. એ ઉપરથી તેમને સમયમાં પણ એ ગ્રન્થનું મહત્ત્વ સિદ્ધ થાય છે. આગમદિય સમિતિએ મૂળ સાથે આ વિવરણ છાપ્યું છે અને તેને ગુજરાતી ભાવાર્થ માસ્તર ચંદુલાલ નાનચંદે પ્રકાશિત કર્યો છે.
જીવસમાસ એટલે જીવોને ૧૪ ગુણસ્થાનમાં સંગ્રહ. અનુયેગનાં સપદપ્રરૂપણા આદિ આઠ દ્વારે વડે જીવસમાસને વિચાર આ ગ્રન્થમાં મુખ્યત્વે કરવામાં આવ્યા છે. પ્રસંગે અજીવ વિશે પણ કહેવામાં આવ્યું છે, છતાં ગ્રન્થ-રચનાનું મુખ્ય પ્રયોજન જીવોનાં ગુણસ્થાનકૃત ભેદને વિચાર કરવાનું હોવાથી આને જીવસમાસ એવું સાર્થક નામ પ્રાપ્ત થયું છે. આચાર્ય માલધારીએ પૂર્વાચાર્ય કૃત ટીકાઓ હોવા છતાં તેમની પ્રકૃતિ પ્રમાણે નવી ટીકા લખી છે તેમાં તેમનો મુખ્ય ઉદ્દેશ સંપૂર્ણ વિષયને હસ્તામલકવત સ્પષ્ટ કરી દેવાના છે, અને તેમાં તેઓ સંપૂર્ણ સફળ થયા છે તે વાચકને લાગ્યા વિના રહેતું નથી. આ વૃત્તિના બહાને આચાર્યો જીવતત્ત્વનું સર્વગ્રાહી વિવેચન કરી દીધું છે.
આ ગ્રન્થની મૂળ ગાથાઓ ૨૮૬ છે જ્યારે તેની વૃત્તિનું પરિમાણ ૬,૬૨૭ શ્લોક જેટલું છે, એ બતાવે છે કે, ટીકાકારે વિવેચનમાં કેટલે વિસ્તાર કર્યો છે.
(૭) ભવભાવના સૂત્ર
૫૩૧ પ્રાકત ગાથાઓમાં આ ગ્રન્થની રચના કરી છે. તેનું શું નામ મુક્તાફલમાલા અથવા રનમાલિકા કે રત્નાવલિ એવું પણ સૂચિત કર્યું છે. આ ગ્રન્થમાં બાર ભાવનામાંથી ભવભાવના અર્થાત સંસારભાવનાનું મુખ્યત્વે વર્ણન હોવાથી તેનું નામ “ભવભાવના” રાખ્યું છે. પ્રસંગસંગતિ ખાતર આચાર્ય બારે ભાવનાઓનું વર્ણન કર્યું છે, છતાં પણ ગ્રન્થને મોટે ભાગ એટલે કે ૫૩૧ ગાથાઓમાંથી ૩૨૨ ગાથાઓ જેટલો ભાગ એ એક જ ભાવનાના વિવેચનમાં રોળ્યો છે, તેથી આનું નામ “ભવભાવના” ઉચિત જ છે. આમાં જીવના ચારે ગતિને ભવ અને તેનાં દુઃખાનું વર્ણ ને તે છે જ, ઉપરાંત એક ભવમાં પણ બાલ્યાદિ જે વિવિધ અવસ્થાઓ છે તેનું પણ વિશેષરૂપે વર્ણન કરવામાં આવ્યું છે.
(૮) ભવભાવના-વિવરણ
પૂર્વોક્ત ગ્રન્થનું વિવરણ વૃત્તિના નામે સ્વયં આચાર્યે લખ્યું છે. આનું પરિણામ ૧૨,૯૫૦ થક જેટલું છે. આ વિવરણને મોટે ભાગ નેમિનાથ અને ભુવનભાનુના ચરિત્ર રોક છે. વિવરણ સંસ્કૃતમાં લખાયું છે છતાં ઉપદેશમાલાવિવરણની જેમ કથાઓને માટે ભાગ પ્રાકૃતમાં જ છે. સામાન્ય રીતે તેમણે આ ગ્રન્થમાં ઉપદેશમાલાના વિવરણમાં ઉદ્ધત કથાઓને સ્થાન આપ્યું નથી, એટલે એ બને કથાસાહિત્યની દષ્ટિએ એક બીજાની પૂર્તિ જેવા છે, અને વિષયની દૃષ્ટિએ પણ તેમને એક બીજાના પૂરક જ માનવા જોઈએ. એ બન્ને ગ્રન્થ મળીને જૈનધર્મને આચારવિષયક સમસ્ત ઉપદેશ સદષ્ટાંત-સકથાનક રજૂ કરે છે એમ માનવું જોઈએ. ઉપદેયમાલાના વિવરણથી જેમ આમાં પણ આધ્યાત્મિક રૂપકેની યોજના
૧. શ્રી દેસાઈ કૃત જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસ, પૃ૦ ૨૪૭ ૨, જુઓ “જિનરત્નકેષ”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org