SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ જીવનાં બધાં શરીરે સાદિ છતાં આપણે કઈ પણ એક શરીરને વિશે તે આદિ એટલે કે સર્વ પ્રથમ છે એમ કહી શકતા નથી, કારણ કે કાલ અનાદિ છે અને જીવનાં શરીર અનાદિ કાલથી જીવ સાથે લાગતાં આવ્યાં છે, અથવા બધી રાત અને બધા દિવસો સાદિ છતાં કઈ રાત પહેલી હતી કે ક દિવસ પ્રથમ હતો તે આપણે કહી શકતા નથી, તે જ પ્રમાણે સિદ્ધને વિશે પણ સમજવું જોઈએ કે બધા સિદ્ધો સાદિ છતાં કયો સિદ્ધ પ્રથમ હતો તે કહી શકાતું નથી. એટલે જ સિદ્ધો સાદી છતાં સિદ્ધિને કદી પણ સિદ્ધશન્ય માની શકાય નહીં. સિદ્ધાંતમાં જે ઉત્કૃષ્ટ આયુ અને ઊંચાઈને નિર્દેશ છે તેની સાથે વાસુદેવ, મરુદેવી અને કુર્મપુત્રાદિની આયુ અને ઊંચાઈનો મેળ નથી તેનું સમાધાન એવું કર્યું છે કે તીર્થંકરની ઉત્કૃષ્ટ આયુ અને ઊંચાઇ જે હોય તે સામાન્ય જનની ન હોય. અથવા એમ સમજવું જોઈએ કે કુમપુત્રાદિ સંબંધી આશ્ચર્ય છે અથવા સિદ્ધાંતપ્રતિપાદિત આયુ અને ઊંચાઈ તે સામાન્યરૂપે સમજવી, વિશેષરૂપે નહિ. વનસ્પતિના જીવોને સંખ્યાતીત પગલપરાવત સંસાર હોય છે તો મોક્ષે જનાર મરુદેવીને જીવ ઉપાંત્ય ભવમાં વનસ્પતિ કેવી રીતે સંભ ? આના ઉત્તરમાં જણાવ્યું છે કે ઉક્ત જે સ્થિતિ બતાવી તે કાયસ્થિતિની અપેક્ષાએ સમજવાની છે. ૩ ચતુર્દશપૂર્વના વિચ્છેદ સાથે પ્રથમ સંઘયણ વિચ્છિન્ન છે અને પ્રથમ સંઘયણ વિના સર્વાર્થમાં જઈ શકાતું નથી, એમ સિદ્ધાંતમાં જણાવ્યું છે તે વજને પ્રથમ સંધયણ ન છતાં તે સર્વાર્થમાં કેવી રીતે ગયા ? આનું સમાધાન કર્યું છે કે વજી સર્વાર્થસિદ્ધિમાં ગયા છે એ ઉલેખ આગમમાં તો નથી. એટલે તેમાં વિરોધ જેવું કશું જ નથી.૪ આગમમાં વિભગનાનીને પણ અવધિદર્શન છે એમ વારંવાર કહેલું છે તે કમ પ્રકૃતિમાં આવતાં અવધિદશના નિષેધ સાથે કેમ સંગત થાય ? આનું સમાધને અપેક્ષા વિશેષથી કર્યું છે.' દેવકૃત અતિશયો ૩૪ થી પણ વધારે છે તે આગમમાં માત્ર ૪૪ ન જ શા માટે નિર્દેશ છે એવા પ્રશ્નનું સમાધાન કર્યું છે કે નિયત અતિશયોની અપેક્ષાએ ૩૪ નું કથન છે. બીજા અનિયત ગમે તેટલા હેઈ શકે છે. આચાર્ય સિદ્ધસેનને મત છે કે કેવલીમાં જ્ઞાન-દર્શને પગના ભેદ જ નથી. બીજા આચાર્યને મતે કેવલીમાં જ્ઞાન દર્શનને ઉપયોગ યુગપ૬ છે, પણ આચાર્ય જિનભદ્ર માને છે કે આગમમાં તે જ્ઞાન-દર્શનને ઉપયોગ ક્રમિક જ વર્ણિત છે. સિદ્ધસેન આદિ આચાર્યો આગમપાઠાના પિતાની રીતે અર્થ કરીને સંગતિ બેસાડે છે, પણ આચાર્ય જિનભદ્ર આગમનાં અનેક પાઠે અને મન્તવ્ય રજુ કરીને વિરોધી મતાની સમાલોચના કરી છે અને બતાવ્યું છે કે પૂર્વાપરસંગતિની દૃષ્ટિએ તે આગમના પ્રમાણે ક્રમિક ઉપયોગ જ માનવો જોઈએ, આ ગ્રન્થમાં આ પ્રકરણું સૌથી લાંબુ છે અને લગભગ એક સે ગાથા તે ચર્ચાએ રોકી છે. આ ચર્ચાને ઉપસંહારમાં આયાયે પિતાનું હૃદય ખાલી બતાવ્યું છે અને તેમની બુદ્ધિ સ્વતંત્ર નથી પણ આગમતંત્ર છે એ સ્પષ્ટ કર્યું છે. એ શાશાઓમાં આચાર્ય જિનભદ્રની પ્રકૃતિને ઠીક ઠીક પરિચય થઈ જાય છે. તેઓ કહે છે કે અમને કાંઈ ક્રમિક ઉપયોગની બાબતમાં એકાંત અભિનિવેશ નથી કે જેને લઈને અને ગમે તે પ્રકારે તે મતની ૧. ગ૦િ ૩૫ થી ૨, ગા૦ ૩૮-૪૫ ૩. ૪૬ થી ૪. ગા૦ ૧૦૧-૧૦૩ ૫. ગાર ૧૦૪-૧૦૬. આ ગાથાઓને અર્થ જે હું સમજ્યો છું તે પ્રમાણે મેં કર્યો છે. સંભવ છે કે આમાં મારી સમજની ભૂલ પણ હોય. ૬, ગા૦ ૧૦૯-૧૧૦. ૭. ગા૦ ૧૫૩-૨૪૯ ૮, વિ अभिणिवेसबुद्धी अम्ह एगतरोबओगममि । तह वि भणिमो न तारइ जजिणमयमण्णहा काउ ॥ ०२४७ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005245
Book TitleGandharwad
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherB J Institute
Publication Year1985
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy