SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮ (૫) દેવાન ́દકૃત વૃત્તિ—આ વૃત્તિ પદ્મપ્રભના શિષ્ય દેવાન ંદે સંવત્ ૧૪૫૫ માં ૩૩૩૨ શ્લોકપ્રમાણ રચી છે, (૬) દેવભદ્રકૃત વૃત્તિ—સં. ૧૨૩૩માં દેવભદ્રે એક હજાર Àાકપ્રમાણ વૃત્તિ રચી છે. (૭) આનંદસૂરિષ્કૃત વૃત્તિ—દેવભદ્રના શિષ્ય જિનેશ્વરના શિષ્ય આનદસૂરિએ આ રચી છે. આનુ પરિમાણ ૨૦૦૦ શ્લોક જેટલુ છે. (૮-૧૦) વૃત્તિએ—કાની છે તે જણાયું નથી, પણ મંગલાચરણ ઉપરથી જણાય છે કે પૂર્વોક્ત વૃત્તિઓથી જુદી છે. (૫) વિશેષણવતી ' આ. જિનદ્ર તર્ક કરતાં આગમને વધારે મહત્ત્વ આપતા હતા એટલે આગમગત અસંગતિએનુ નિરાકરણ કરવું એ તેમનું પરમ કર્તવ્ય હતું. વિશેષણુવતી નામના ગ્રન્થ લખીને તેમણે એ કતવ્ય બજાવ્યું છે. અસંગતિનુ નિરાકરણ તેમણે વિશેષ પ્રકારની અપેક્ષાને આગળ કરીને કયુ છે. એટલે કે એક જ વિષયમાં બન્ને વિરાધી મતભ્યો ઉપસ્થિત થાય ત્યારે બન્નેની વિશેષતા શામાં છે તે બતાવીને અસંગતિનું નિવારણ કરવા જતાં તે તે મન્તવ્યોને વિશેષથી વિયિષ્ટ કરવાં પડે છે; એટલે જ એ ગ્રન્થનું નામ ‘વિશેષણવતી' પડયું હાય એમ જણાય છે. વળી આગમગત અસંગતિએ ઉપરાંત પશુ જૈનાચાર્યાંનાં જ એવાં કેટલાંક મંતવ્યેા હતાં જે આગમની માન્યતાથી વિરુદ્ધ હતાં. એવાં મંતવ્યેનુ તા આચાર્યે આ ગ્રન્થમાં નિરાકરણ જ કર્યુ છે અને આગમપક્ષને સ્થિર કચેરૅ છે. તેમાં જે વિષયે ચર્ચાયા છે તેમાંના કેટલાક નીચે પ્રમાણે છે— - પ્રારભમાં જ ઉત્સેધાંગુલ, પ્રમાણાંશુલ અને આત્માંગુલના માપની ચર્ચા કરી છે અને ભગવાન મહાવીરની ઊ ંચાઈ જે શાસ્ત્રમાં બતાવવામાં આવી છે તેની સાથે એ અંગલાના માપનેા મેળ નથી તા તેનું સમાધાન કેવી રીતે કરવુ એ પ્રશ્ન ઉઠાવીને તેનુ અપેક્ષાવિશેષે સમાધાન કર્યુ છે.ર કુલકરની સ ંખ્યા શાસ્ત્રોમાં જે સાત, દસ, પંદર એમ મળે છે તેના પણ સ ંક્ષેપવિસ્તારની દૃષ્ટિથી ખુલાસા કર્યાં છે, ૩ તિય યને ચારિત્ર નથી એમ આગમમાં જાવ્યું છે છતાં તિય અને મહાત્રતારાપણું કર્યાના દાખલા પણ સિદ્ધાન્તમાં આપ્યા છે એ વિરેધના પરિવાર એમ કહીને કર્યો છે કે મહાવ્રતારાપણ છતાં ચારિત્રપરિણામેાના અભાવ હોય છે. વિગ્રહગતિના ચાર અને પાંચ સમયના નિર્દેશની અસ ંગતિ ટાળી છે.પ એક ઠેકાણે ઋષભના સાત ભવેા અને અન્યત્ર બાર ભ। ગણુક્યા છે તેનેા ખુલાસા પણુ સંક્ષેપવિસ્તારથી સમજી લેવા જોઈએ એમ જણાવ્યું છે. સિદ્ધોને આદિઅનંત માન્યા છે, પણ સિદ્ધિને તે કદી પણ સિદ્ધથી શૂન્ય માની નથી. એટલે સિદ્ધોને કાં તા આદિ માની ન શકાય અથવા સિદ્ધિને કયારેક સિદ્ધન્ય માનવી જોઈએ. આ સમસ્યાના ઉકેલ તેમણે સૂચવ્યા છે કે જેમ ૧. રતલામની ઋષભદેવજી કેશરીમલજીની પેઢી તરફથી વિક્રમ ૧૯૮૪માં પ્રત્યાખ્યાન સ્વરૂપાદિ પાંચ ગ્રન્થા એક સાથે પ્રકાશિત થયા છે તેમાંના એક એ વિશેષણવતી' ગ્રન્થ છે. ૩. ગાથા ૧૮ થી ૪. ગાથા ૨૧ થી ૫. ગાથા ૨૩ થી ૬. ગાળ ૩૧ થી, ૨. ગાથા ૧ થી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005245
Book TitleGandharwad
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherB J Institute
Publication Year1985
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy