________________
નામ આપ્યું છે, પણ બીજી સંગ્રહણીઓથી જુદી પાડવા માટે આ બહાસંગ્રહણી કહેવાય છે. તેમાં ચારે ગતિના જીવોની સ્થિતિ આદિને સંગ્રહ કરવામાં આવે છે તેથી તે ગ્રન્થ સંગ્રહણ કહેવાય. પ્રારંભની બે ગાથાઓમાં આચાર્યો આ ગ્રન્થના પ્રતિપાદ્ય વિષયને સંગ્રહ કર્યો છે, તેથી જણાય છે કે આમાં દેવ અને નારકનાં સ્થિતિ, ભવન અને અવગાહનાનું, મનુષ્યો અને તિયાનાં દેહમાન અને આયુપ્રમાણનું, દેવો અને નારાનાં ઉ૫પાત અને ઉર્તનના વિરહકાલનું, સંખ્યાનું, એક સમયમાં કેટલાનાં ઉપપત અને ઉદ્વર્તન થાય છે એનું, તથા બધા જીવોની ગતિ અને આગતિનું ક્રમશ: વર્ણન આ ગ્રન્થમાં કરવામાં આવ્યું છે.'
વસ્તુતઃ આ ગ્રન્થ ભૂગલ અને ખગોલ ઉપરાંત દેવ અને નાર વિશે સંક્ષેપમાં જૈન મતવ્ય રજ કરે છે. એટલું જ નહિ પણ મનષ્ય અને તિર્યંચ વિશે પણ તેમાં ઘણી હકીકત સંગૃહીત છે. આને ખરી રીતે જીવ અને જગત વિશેનાં મંતવ્ય સંગ્રાહક ગ્રન્થ કહેવો જોઈએ. અને કળશરૂપે આચાર્ય મલયગિરિએ જે ટીકા લખી છે તેથી તે એ ગ્રન્થ જીવ અને જગત સંબંધી જૈન મતના એક વિશ્વકોશનું સહજ સ્થાન પ્રાપ્ત કરે છે. અંતમાં આચાર્યે કહ્યું છે કે આમાં જે કાંઈ કહ્યું છે તે મૂળ શ્રુત ગ્રન્થ અને પૂર્વાચાર્ય કૃત ગ્રન્થને આધારે સ્વમતિથી ઉદ્ધત છે : આમાં કાંઈ દેષ હોય તે મૃતધર અને શ્રુતદેવી ક્ષમા કરે,
આ ગ્રન્થની કુલ ગાથા ૩૬૭ છે, પણ તેમાં આચાર્ય મલયાગિરિના કથનાનુસાર કેટલીક અન્યકૃત અને કેટલીક મતાંતરસૂચક પ્રક્ષેપ ગાથાઓકે પણ છે. તેને બાદ કરતાં મૂળ ગાથાઓ ૩૫૩ રહે છે. પ્રક્ષેપની ચર્ચા પ્રસંગે એ પણ જાણવા મળે છે કે આની એક ટીકા આચાર્ય હરિભ પણ રચી હતી.
(૪) બુહક્ષેત્રસમાસ
આચાર્ય મલયગિરિએ પિતાની વૃત્તિના પ્રારંભમાં અને અંતે ક્ષેત્રસમાસને આચાર્ય જિનભદ્રની કૃતિરૂપે જણાવ્યું છે. બક્ષેત્રસમાસ નામે પ્રસિદ્ધ ક્ષેત્રસમાસ કૃતિ આચાર્ય જિનભદ્રની હવા વિશે સંદેહને સ્થાન નથી. સ્વયં આચાર્ય જિનભદ્ર આ ગ્રન્થનું નામ સમયક્ષેત્રસમાસ અથવા ક્ષેત્રસમાસ પ્રકરણ –એમ સૂચવ્યું છે. આચાર્ય મલયગિરિએ મંગલાચરણ પ્રસંગે પ્રારંભમાં આનું નામ ક્ષેત્રસમાસ સૂચવ્યું છે. બીજા ક્ષેત્રસમાસથી આની વ્યાવૃત્તિ કરવા માટે અને તે બહદ્ હે ઈ આ ગ્રન્થ બ્રહક્ષેત્ર માસના નામે વિશેષરૂપે પ્રસિદ્ધ છે, વળી સ્વયં આચાર્યું અને સમયક્ષેત્રસમાસ એવું નામ જે આપ્યું છે તે પણ સાર્થક છે. કારણ કે આમાં જેટલા ક્ષેત્રનાં સૂર્યાદિની ગતિને આધારે સમયની ગણના કરવામાં આવે છે તેટલા સમયક્ષેત્ર વિશે જ એટલે કે મનુષ્યક્ષેત્ર અથવા અઢી દ્વીપ વિશે સંક્ષેપમાં કથન હોવાથી આ ગ્રન્થનું “સમયક્ષેત્રસમાસ” એવું નામ સાર્થક છે. પણ તેને સંક્ષેપમાં
ક્ષેત્રસમાસ” કહેવામાં આવે છે. ૧. જુઓ ગા) ૨ અને ૨. ૨. ગા૨ ૩૬ ૨, ૩, ગ૦ ૯, ૧૦, ૧૫, ૧૬, ૬૮ (સૂર્ય ૫), ૬૯ (સૂર્ય પ્ર0), ૭૨ (સૂર્ય પ્ર0) ૩. ગા- “થે ઘવાયેતિ રથમવીરતે ? ૩ ટીવન મિત્રફુMિા लेशतोऽप्यस्या असंचनात् । एवमुत्तरा अपि मतान्तरप्रतिपादिका गाथाः प्रक्षेपगाथा अवसेया" मलयगिरि टीका જ0 ગાથા ૭૩ થી ૭૯ સુધીની પ્રક્ષિપ્ત છે. ૪ ગાં) ૧, ૧ ૭૬, ૫. ગા૨ ૫૦ ૭૫,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org