SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ તેમાં નથી, ઝીણી ઝીણી દલીલેાની વાાળમાં ન પડતાં માત્ર મુદ્દાની વાતનાં ખંડન અનેે મંડન તેમના ગ્રંથામાં છે. એ જ વસ્તુ આચાર્ય સમન્તભદ્રના પ્રથાને પણ લાગુ પડે છે. તેમાં પણ વિસ્તાર કરતાં સંક્ષેપને મહત્ત્વ અપાયું છે. બન્ને પ્રબળ વાદી જ નહિ પણ મહાવાદી છે, છતાં તેમના ગ્રન્થા ઉદ્યોતકર કે કુમાલિની પેઠે ઝીણું કાંતતા નથી. તર્ક -પ્રતિતકની જાળ ઊભી કરવાનું કાર્ય એ બન્ને આચાર્યોએ નથી કર્યું, પર ંતુ નિષ્ક માં ઉપયોગી એવી દલીલે કરીને પતાવ્યું છે. અને તે દલીલે એવી આકાટચ છે કે એના જ આધારે તેની ટીકાએ।માં પ્રચુર માત્રામાં વિવાદા રચી શકાયા છે. સારાંશ એ છે કે એ બન્ને આચાર્યોએ તર્ક નળમાં ન પડતાં માત્ર છેલ્લી કાટના તર્ક કરીને સતાષ માન્ય છે, પણ તેથી આચાય દિગ્માગ કે કુમારિલ અને ઉદ્યોતકર જેવા મલ્લ્લા સામે પ્રતિમલ્લરૂપે મૂકી શકાય તેવું સામર્થ્ય તેમના ગ્ર ંથેામાં આવ્યું નથી, અતિસંક્ષેપ અતિવિસ્તાર સામે ઢંકાઈ જાય છે. જ્યારે તેમના પ્રથાની વાદમહાવ જેવી અને અષ્ટસહસ્રી જેવી ટીકાએ બને છે ત્યારે જ તે ગ્ર ંથાની પ્રતિમલ્લતાના ખ્યાલ આવે છે. પણ આચાર્ય જિનભદ્ર વિશે તેમ નથી. તેમને ગ્રંથ વિશેષાવશ્યકભાષ્ય એ શૈલીચાં રચાયા છે કે તે ગ્રંથને આધારે કહી શકાય કે દાર્શનિક જગતના અખાડામાં સર્વ પ્રથમ જૈન પ્રતિમલ્લનુ સ્થાન કાઇને આપી શકાય તેવું હોય તે તે આચાય જિનભદ્ર છે. તેમની વિશેષતા એ છે કે દર્શનનાં સામાન્ય તત્ત્વો વિશે જ તેમણે તર્કવાદનું અવલંબન નથી લીધું, પણ જૈન દર્શનની પ્રમાણુ અને પ્રમેય સંબંધી નાની મેાટી મહત્ત્વની બધી ખાખતામાં તેમણે તર્કવાદના પ્રયાગ કરીને દાનિક અખાડામાં જૈનદર્શનને એક સ ત ત્રસ્વત રૂપે જ નહિ, પણ સવ ત ત્રસમન્વયરૂપે પણ ઉપસ્થિત કયુ" છે. તેમની દલીલા અને તર્ક શૈલીમાં એટલી બધી વ્યવસ્થા છે કે આઠમી શતાબ્દીમાં થનાર મહાન દાનિક હરિભદ્ર અને બારમી સદીમાં નાર આગમેાના સમથ ટીકાકાર મલયંગર પણ નાનચચાંમાં આચાર્ય જિનભદ્રની દલીલેાના જ આશ્રય લે છે, એટલું જ નહિ, પણ છેક અઢારમી સદીમાં થનારા નન્યન્યાયના અસાધારણ વિદ્વાન ઉપાધ્યાય યશેાવિજયજી પણ પેાતાના જૈન તર્ક ભાષા, અનેકાંતવ્યવસ્થા, જ્ઞાનબિંદુ આદિ ગ્રંથામાં તેમની દલીકને માત્ર નવ્યભાષામાં મૂકીને સાષ પકડે છે; તેમાં પેાતાના તરફથી નવું ભાગ્યેજ ઉમેરે છે. એ બતાવે છે કે સાતમી શતાબ્દીમાં આચાર્યાં જિનભદ્રે સંપૂર્ણ ભાવે પ્રતિમલ્લના પાઠ ભજવ્યેા હતેા. આચાય જિનભદ્રને વિશેષાવશ્યક મહાગ્રન્થ જૈનાગમેને સમજવાની ચાવીરૂપ છે. મહત્ત્વના બંધા વિષયની ચર્ચા તેમણે પોતાના વિશેષાવશ્યકમાં કરી છે. બૌદ્ધ ત્રિપિટકના સારગ્રાહી જેમ વિશુદ્ધિમાગ’ ગ્રન્થ છે, તેવા જ ગ્રન્થ વિશેષાવશ્યક ભાષ્ય જૈન આગમ માટે છે. અને સાથે જ તેની એ વિશેષતા છે કે જૈનતત્ત્વનું નિરૂપણ તેએ માત્ર જૈન દૃષ્ટિથી જ કરે છે એમ નથી, પણ ઇત્તર દર્શીનની તુલનામાં જૈનતત્ત્વને મૂકીને સમન્વયગામી મળે તેમણે પ્રત્યેક વિષયની ચર્ચા કરી છે. વિષયના વિવેચન પ્રસ ંગે સ્વયં જૈનાચાર્યાંના તે છાબતના અનેક મતભેદનુ ખાંડન કરતાં પશુ તેમને આંચકા લાગતા નથી, કારણ કે તેવે પ્રસ ંગે તેએ આગમેાનાં અનેક વાકયોના આધાર આપીને પાતાનુ મ ંતવ્ય રજૂ કરે છે. કાઇની કાઇ પણ વ્યાખ્યા આગમના કોઇ પણ વાકયથી વિરુદ્ધ જતી હોય ત્યાં તે તેમને માટે અસહ્ય બને છે અને તેનું તર્ક પુરઃસર સમાધાન શોધવાના પણ તેઓ પ્રયત્ન કરે છે. આગમનાં પરસ્પર વિરોધી લાગતાં મન્તવ્યાનું સમાધાન શોધવાના પણ તેએએ પ્રયત્ન કર્યાં છે, અને વિરોધી દેખાતાં વાકયેામાં પણ પરસ્પર સંગતિ કેવી રીતે છે તે બતાવી આપ્યું છે. ખરી રીતે કહેવું જોઈએ કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005245
Book TitleGandharwad
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherB J Institute
Publication Year1985
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy