SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ વળગી રહ્યા છે. જે વસ્તુને તેઓ દૃષ્ટાંત યોગ્ય સમજતા હતા તે વિશે તેમણે એક નહિ, અનેક દૃષ્ટાંત આપીને સ્પષ્ટીકરણ કર્યું છે. અને અનેક બાબતમાં તેમણે માત્ર દૃષ્ટાંત નહિ, હેતુ એ પણું આપ્યા છે. વસ્તુને સ્પષ્ટ કરવામાં તેમની ઉપમાઓ ઘણી તે પૂપમાં જ હોય છે. વ્યાખ્યા કરવાની વિશેષતા એ છે કે તે વસ્તુની વ્યાખ્યાનાં દ્વાર અર્થાત્ મુદ્દાઓ નક્કી કરીને પ્રથમ જણાવે છે અને પછી એકેક મુદ્દો લઈને સ્પષ્ટીકરણ કરે છે. દ્વારમાં ખાસ કરીને બહુ સ્થળો એવાં છે જેમાં નામાદિ નિક્ષેપોને આશ્રય લે છે, જે શબ્દની વ્યાખ્યા કરવાની હોય તેના પર્યાયે આપવાનું ચૂકતા નથી, અને શબ્દાર્થને ભેદ-પ્રકારો પણ બતાવી આપે છે. આનું એક પરિણામ તા એ છે કે વસ્તુ વિશે અત્યંત સંક્ષેપમાં બધી હકીકત અનાવશ્યક વિસ્તાર કર્યા વિના કહી શકાય છે. વ્યુત્પત્તિ અર્થપ્રધાન અને શબ્દપ્રધાન બન્ને પ્રકારે કરે છે. પ્રાકૃત ભાષાના શબ્દો વ્યાખ્યય હોવાથી તેઓ વ્યુત્પત્તિ કરતી વખતે સંસ્કૃત ધાતુને વળગી નથી રહેતા, પ્રાકૃત શબ્દ ઉપરથી જ તેને ગમે તે રીતે તોડીને વૃત્તિ કરવા પ્રયત્ન કરે છે અને પિતને ઇષ્ટ અર્થની પ્રાપ્તિ કરે છે. આના ઉદાહરણ તરીકે “મિ મિ ટુ ' ગા. ૬૮૬-૭)ની નિયુક્તિ જોવા જેવી છે. અને ‘ઉત્તમ” શબ્દની તેમની જે વ્યુત્પત્તિ છે તે મનસ્વી છતાં આધ્યાત્મિક અર્થપૂર્ણ હેવાથી રોચક લાગે છે (આવ. નિ. ગા) ૧૧૦૦ ટી.) આવા તો અનેક ઉદાહરણે આપી શકાય તેમ છે.' ૧ “fમ છે મિ 3' આ પદમાં છ અક્ષરો છે. તેમાં “ઉન'ને “મૃદુતા,” જાને “દષાચ્છાદન', નિને મર્યાદામાં રહીને, ટુ'ના દોષયુક્ત આત્માની જગુસ”, “'ના કરેલ દોષ” અને “કુને “અતિ ક્રમણ—એ પ્રમાણે અક્ષરાર્થ કરી એકંદર અર્થ એ તારવ્યું છે કે, “નમ્રતાપૂર્વક ચારિત્ર મર્યાદામાં રહીને દેષ નિવારવા હું આત્માની જુગુપ્સા કરું છું અને કરેલ દેવને હવે અતિક્રમું છું.' જેમ નિર્યુક્તિ ગ્રંથમાં વ્યુત્પત્તિ કરવામાં આવે છે તેમ બૌદ્ધ પાલિગ્રંથમાં પણ છે. અહીં એન એક ઉદાહરણ બસ થશે. “અરિહંત' એ પદ જૈન અને બૌદ્ધ પરંપરામાં સામાન્ય છે. તેની વ્યુત્પત્તિ બુદ્ધોષ “વિસદ્ધિમગ્ગ'માં નીચે પ્રમાણે દર્શાવે છે– “અત' માટે એણે પાલિમાં ચરિદૂત રહૃત અને પ્રાદુ એવા ત્રણ શબદે રાખ્યા છે, પહેલાના બે, બીજાને એક, અને ત્રીજાના બે અર્થ નીચે પ્રમાણે ઘટાવ્યા છેઃ (૧) ગરિફ્રં ત એટલે (4) કલેશરૂપી મરિને ભારત એટલે દૂર કરવાથી અરહિંત (4) કલેશરૂપી અગ્નિ દત્ત એટલે હણવાથી અરિહંત. | (૨) ૩ ત એટલે સંસારરૂપી ચક્રના -આરાઓને હણવાથી અરહંત. (૩) અરદ્દ એટલે (બ) વસ્ત્ર પાત્રાદિના દાનને અટું-યોગ્ય હેવાથી ૩; (વ) : એકાંતમાં પાપ નહીં કરનાર હોવાથી અહ. आरकत्ता हतत्ता च किसारीन सेो मुनि । हतसंसारचक रो पच्चयादीनचारहो । न रहो कति पापानि अरह तेन बुच्चतीति । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005245
Book TitleGandharwad
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherB J Institute
Publication Year1985
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy