SearchBrowseAboutContactDonate
Page Preview
Page 339
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૬] ગણધરવાદ ગણધર અને અપૂર્વ ઉત્પન્ન થાય છે છતાં તે અનિત્ય નહિ પણ નિત્ય છે. વળી, સિદ્ધના જ્ઞાન અને સુખ એ બને સ્વાભાવિક છે તેથી તેમને કૃતકારિરૂપ કહેવાય પણ નહિ, તેથી એ હેતુઓ જ અસિદ્ધ છે. આવરણને લઈને તેમને જે તિરોભાવ હતો તે આવરણના દૂર થવાથી નિવૃત્ત થાય છે, આથી એમ તો ન કહી શકાય કે જ્ઞાન અને સુખ સર્વથા નવીન જ ઉત્પન્ન થયાં છે. જેમ સૂર્ય, વાદળાંથી ઢંકાયા હોય અને વાદળાં દૂર થઈ જવાથી તે પ્રકટ થાય છે ત્યારે સૂર્યને કૃતક કે અપૂ૫ન કેઈ નથી કહેતું તેમ આવરણ અને બધાને અભાવ થવાથી સિદ્ધનાં સ્વાભાવિક જ્ઞાન અને સુખ પણ પ્રકટ થાય છે તેથી તેમને પણ કૃતક કે અપૂર્વોત્પન્ન કહી શકાય નહિ. વળી, હું તો બધી વસ્તુઓને ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યયુક્ત માનું છું, અર્થાત નિત્ય નિત્ય માનું છું તેથી મારા મતે જ્ઞાન અને સુખ એ નિત્ય પણ સુખ-જ્ઞાન છે અને અનિત્ય પણ છે. આથી જો તું આવિર્ભાવરૂપ વિશિષ્ટ અનિત્ય પણ છે. પર્યાયની અપેક્ષાએ સુખ અને જ્ઞાનને કૃતક હોવાથી અનિત્ય કહેતે હોય તો તે યોગ્ય જ છે. પ્રત્યેક ક્ષણમાં પર્યાયરૂપે ય વિનાશ થતું હોવાથી જ્ઞાનને પણ વિનાશ થાય છે અને સુખનું પણ પ્રત્યેક ક્ષણમાં નવું નવું પરિણામ ઉત્પન્ન થાય છે. આના આધારે તું જે જ્ઞાન અને સુખને અનિત્ય કહેતે હોય તો તેમાં તે કશું જ નવું સિદ્ધ નથી કર્યું, કારણ તેથી તો મને જે ઈષ્ટ છે તે જ તે સિદ્ધ કર્યું છે. (૨૦૦૧૩-૧૪) પ્રભાસ-આપની યુક્તિઓથી એ તો હું સમજો કે નિર્વાણ છે અને તેમાં પણ જીવ કાયમ રહે છે તથા નિર્વાણ સ્થાનમાં જીવને નિરુપમ સુખ હોય છે. પણ આ જ વસ્તુને વેદને આધારે કેવી રીતે સિદ્ધ કરવી અને વેદવાકોની અસંગતિ કેમ દૂર કરવી? એ કૃપા કરી આપ બતાવે. ભગવાન–૮ પૈ સરારી વિચારપતિપતિ, મારી વા વસન્ત પ્રિયા ન છૂશતઃ આ વેદવાક્ય, જે મેક્ષ ન હોય, મોક્ષમાં જીવને નાશ થતો હોય વેદવાક્યોને અને મેક્ષમાં નિરુપમ સુખનો અભાવ હોય તે, અસંગત બની સમન્વય જાય છે. એટલે આ વાક્યનું તાત્પર્ય મોક્ષનું અસ્તિત્વ, મોક્ષમાં જીવનું અસ્તિત્વ, અને નિરુપમ સુખનું પણ અસ્તિત્વ બતાવવાનું છે એમ માનવું જોઈએ. તેથી “મતિથિ = પ્રાયતે” એ વાક્યનો આધાર લઈ મોક્ષાવસ્થામાં જીવને સર્વથા અભાવ માની શકાય નહિ. (૨૦૧૫) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005245
Book TitleGandharwad
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherB J Institute
Publication Year1985
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy