________________
૧૭૪)
ગણધરવાદ
[ગણધર
ઉપઘાત કરે છે, જેમ સૂર્યના પ્રકાશના વાદળાં, આવરણુરૂપ વાદળાંમાં છિદ્રી હાય તા તેથી જેમ સૂના પ્રકાશ ઉપર ઉપકાર થાય છે તેમ આત્માના સહજ પ્રકાશ માન ઉપર પણ ઇન્દ્રિચારૂપી છિદ્રો દ્વારા અનુગ્રહ થાય છે, અર્થાત્ આત્માના પ્રકાશ તે છિદ્રોવાટે સ્વલ્પ પ્રકાશે છે; પણ જ્યારે જ્ઞાનાવરણના સર્વથા અભાવ થઈ જાય છે ત્યારે સૂર્યના પ્રકાશની જેમ પેાતાના સ'પુર્ણ શુદ્ધ સ્વરૂપે જ્ઞાન પ્રકાશે છે.
(૨૦૦૮)
તે જ પ્રમાણે આત્મા સ્વરૂપતઃ સ્વાભાવિક અનન્ત સુખમય પણ છે. તેના તે સુખના પાપકર્મથી ઉપઘાત થાય છે અને તેથી ઊલટુ પુણ્યકમ તે સુખનેા અનુગ્રહ –ઉપકાર કરે છે. પણ જયારે સકના નાશ થાય છે ત્યારે પ્રકૃષ્ટ જ્ઞાનની જેમ સકલ પરિપૂર્ણ નિરુપચરિત અને નિરુપમ એવું સ્વાભાવિક અનન્ત સુખ સિદ્ધમાં પ્રકટ થાય છે. (૨૦૦૯)
પ્રભાસ—સંસારમાં સુખ પુણ્યરૂપ કારણથી જન્ય છે, તે સ્વાભાવિક નથી. મેાક્ષમાં તે પુણ્ય કર્મ છે જ નહિ, તેા કારણને અભાવ હોવાથી કાય સુખના પણ સિદ્ધમાં અભાવ જ માનવેા જોઈ એ.
ભગવાન—સુખને મે' સ્વાભાવિક સિદ્ધ કર્યુ છે છતાં તારા આગ્રહ એવા જ હાય કે તે કારણુજન્ય જ છે અને સિદ્ધમાં કારણના અભાવ હાવાથી સુખના પણ અભાવ માનવા જોઈએ, તેા મારે તને કહેવુ' જોઈ એ કે આમાં તુ ભૂલે છે. સકલ કર્મોના ક્ષય એ જ સિદ્ધના સુખનુ કારણ છે, એટલે કારણના અભાવ છે એમ તે તું ન કહી શકે. જીવમાં સકલ કમ ને ક્ષય થવાથી તે જેમ સિંદ્ધત્વ પરિણામને પામે છે તે જ પ્રમાણે તે સ'સારમાં અનુપલબ્ધ એવું અને વિષયજન્ય સુખથી વિલક્ષણ એવું નિરુપમ સુખ સકલ કના ક્ષયને કારણે જ પામે છે. (૨૦૧૦)
પ્રભાસ—પણુ દેહ વિના સુખની ઉપલબ્ધિ થતી નથી, દેહ એ જ સુખના આધાર છે. અને સિદ્ધમાં દેહ તા છે નહિ તેથી ક્ષુખના અનુભવ તેને ન થઈ શકે.--મારી આ આપત્તિના જવાબ હજી આપે આપ્યા નથી.
ભગવાન—મે' તને સમજાવ્યુ` છે કે લેાકઢિથી તું જે પુણ્યના ફલને સાત—સુખ સમજે તે વસ્તુતઃ દુખ જ છે. અને પાપનું ફળ તે અસાત-દુઃખ છે જ. એટલે શરીરથી જેની ઉપલબ્ધિ થાય છે તે તેા કેવલ દુઃખ જ છે. એ દુઃખ સંસારના અભાવમાં હતુ' નથી; એટલે ખરુ સુખ તે સિદ્ધને જ મળે છે. અર્થાત્ એ ફલિત થાય છે કે શરીર -ઇન્દ્રિય વગેરે સાધનાથી જે ઉપલબ્ધ થાય છે તે દુઃખ જ છે અને સુખની ઉપવષિ માટે શરીરાદિના અભાવ આવશ્યક છે; એટલે સિદ્દો શરીર આદિને અભાવ છતાં
દેહ વિના પણ સુખને અનુભવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org