SearchBrowseAboutContactDonate
Page Preview
Page 334
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રભાસ] નિર્વાણચર્ચા [૧૭૧ શકે છે, પણ ઘરને દવંસ થાય અગર તે ઘરની બહાર આવે તે તેના જ્ઞાનને વિસ્તાર વધી જાય છે, અથવા જેમ પ્રદીપ ઉપરનું સછિદ્ર આવરણ દૂર કરવામાં આવે તે તે પિતાના પૂર્ણ રૂપમાં પ્રકાશે છે, તેમ આત્મા પણ તેનાં સર્વ આવરણે દૂર થવાથી સંપૂર્ણ સ્વરૂપે પ્રકાશે છે. આ પ્રમાણે મુક્ત આત્મા જ્ઞાની છે તે વસ્તુ સિદ્ધ થઈ (૨૦૦૧) પ્રભાસ-આત્મા જ્ઞાનસ્વરૂપ હોવાથી મુક્તાત્મા સર્વજ્ઞ છે તે વસ્તુ તો સમજાઈ પણ મુક્તને નિરાબાધ સુખ છે એમ જે આપ કહો છો તે વસ્તુ બરાબર નથી, કારણ કે પુણ્યથી સુખ અને પાપથી દુખ થાય છે. મુક્તામામાં તો સવ કર્મને નાશ થયેલ હોવાથી પુણ્ય કે પાપ બનેમાંથી કશું જ નથી તેથી મુક્તાત્મામાં આકાશની જેમ સુખ કે દુઃખ કશું જ હોવું ન જોઈએ. (૨૦૦૨) અથવા, બીજી રીતે પણ મુક્તાત્મામાં સુખદુઃખનો અભાવ સિદ્ધ થાય છે. તે આ પ્રમાણે–દેહ જ સુખ કે દુઃખની ઉપલબ્ધિનો આધાર છે અને મુક્તને તો દેહ કે ઇન્દ્રિય કશું જ હોતું નથી, તેથી તેમાં પણ આકાશની જેમ સુખ કે દુઃખ હોવાં ન જોઈ એ. (૨૦૦૩) ભગવાન-તું પુણ્યના ફલને સુખ કહે છે–એ જ તારે મોટો ભ્રમ છે. વસ્તુતઃ પુણ્ય નથી છતાં પુણ્યનું ફળ પણ દુઃખ જ છે, કારણ કે તે કર્મના ઉદયથી થાય મુક્ત સુખી છે; છે. અર્થાત તે કર્મજન્ય છે. જે જે કર્મ જન્ય હોય તે તે પાપના પુણ્યનું ફલ ફલની જેમ સુખ હોઈ જ ના શકે, માત્ર દુઃખરૂપ જ હોય. સુખ નથી પ્રભાસ-તે પછી પાપના ફલની બાબતમાં હું પણ વિરોધી અનુમાન આપી રાકું કે પાપનું ફલ પણ વસ્તુતઃ સુખરૂપ જ છે, કારણ કે તે કર્મના ઉદયથી થાય છે જે કર્મના ઉદયથી થાય છે તે પુણ્યના ફલની જેમ સુખરૂપ જ હોય છે. પાપનું ફલ પણ કર્મોદયજન્ય છે તેથી તે પણ સુખરૂપ હોવું જોઈએ. વળી, પુણ્યના ફલનું સંવેદન જીવને અનુકૂળ ભાસે છે તેથી તે સુખરૂપ છે છતાં આપ તેને દુઃખરૂપ કહો છો તેથી તે આપની આ વાત પ્રત્યક્ષવિરુદ્ધ પણ છે. જે સ્વસંવેદન પ્રત્યક્ષથી સુખરૂપે અનુભવમાં આવે છે તેને આપ દુઃખરૂપ કહો છો તેથી આપનું કહેવું પ્રત્યક્ષથી વિરૂદ્ધ હોવાથી અયુક્ત છે. (૨૦૦૪) ભગવાન-સૌમ્ય! તું જેને સુખનું પ્રત્યક્ષ કહે છે તે અબ્રાત-યથાર્થ પ્રત્યક્ષ નથી, પણ બ્રાન્ત-અયથાર્થ પ્રત્યક્ષ છે, એથી તારા માની લીધેલાં પ્રત્યક્ષ સુખને હું દુઃખરૂપ કહું છું તેમાં પ્રત્યક્ષ વિરોધ નથી. વળી, તું જેને પ્રત્યક્ષ સુખ કહે છે તે સુખ નથી પણ દુઃખ જ છે. ખરી વાત એવી છે કે સંસારમાં રચ્યાપચ્યા જીવને ક્યાંય સાચું સુખ મળી શકતું નથી. જેને તું સુખ કહે છે તે તો વ્યાધિના પ્રતિકાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005245
Book TitleGandharwad
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherB J Institute
Publication Year1985
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy