SearchBrowseAboutContactDonate
Page Preview
Page 333
Loading...
Download File
Download File
Page Text
________________ ૧eo] ગણધરવાદ ગણધર પ્રભાસ–પણ જ્ઞાન એ આત્માનું સ્વરૂપ છે એમ આપ શાથી કહે છે ? ભગવાન–પિતાને આત્મા જ્ઞાનસ્વરૂપ છે એ તો સૌના સ્વાનુભવથી જ સિદ્ધ છે, એટલે કે સ્વાત્માની જ્ઞાનસ્વરૂપતા વસંવેદનપ્રત્યક્ષથી સિદ્ધ છે આત્મા જ. આપણો અનુભવ છે કે ઈન્દ્રિયોનો વ્યાપાર બંધ પડી જાય જ્ઞાનસ્વરૂપ છે છતાં આત્મા ઈન્દ્રિ દ્વારા ઉપલબ્ધ પદાર્થોનું સ્મરણ કરી શકે છે, અને ઇન્દ્રિયવ્યાપારો છતાં અન્યમનસ્કતાને કારણે તેને જ્ઞાન થતું નથી. વળી, આંખ વડે અદૃષ્ટ અને કાનથી અશ્રુત એવા અર્થનું પણ ક્યારેક સંકુરણ થઈ આવે છે–આ બધાં કારણોને લઈને આપણે પોતાનો આત્મા જ્ઞાનસ્વભાવ છે એ વસ્તુને નિર્ણય તો કરી જ લઈએ છીએ. આશ્ચર્ય છે કે તેને પણ આ અનુભવ તો હશે જ છતાં તું આત્માની જ્ઞાનસ્વરૂપતામાં સંદેહ કરે છે. જેમ પોતાનો આત્મા જ્ઞાનસ્વરૂપ છે તેમ પરદેહમાં રહેલે આત્મા પણ તે જ છે એ વસ્તુ નું અનુમાનથી જાણી શકે છે. તે આ પ્રમાણે- પરદેહગત આમા પણ જ્ઞાનસ્વરૂપ જ છે, કારણ કે તેમાં પ્રવૃત્તિ-નિવૃત્તિ છે. પરદેહગત આત્મા જે જ્ઞાનસ્વભાવ ન હોય તો ઈષ્ટમાં પ્રવૃત્ત અને અનિષ્ટથી નિવૃત્ત સ્વાત્માની જેમ તે ન કરી શકે; માટે તેને જ્ઞાનસ્વરૂપ જ માનવો જોઈએ. (૧૯૯૮) વળી, મુક્તાત્માને અજ્ઞાની કહેવામાં તું મહાન વિપર્યાસ કરે છે. સદેહાવસ્થામાં જીવ જ્યાં સુધી વીતરાગ નથી થતો ત્યાં સુધી તેને જ્ઞાનનાં આવરણો હોય છે તેથી તે બધું જાણી શકતો નથી; પણ જ્યારે દેહ છૂટી જાય છે ત્યારે તે આત્માનાં બધાં જ આવરણો દૂર થઈ ગયાં હોય છે તેથી શુદ્ધતર થઈને સ્વચ્છ આકાશમાં રહેલા સૂર્યની જેમ પોતાના સંપૂર્ણ જ્ઞાનસ્વરૂપે પ્રકાશે છે. ઇન્દ્રિયો કાંઈ પ્રકાશ-જ્ઞાનસ્વરૂપ નથી જેથી તેનો અભાવ થઈ જાય તે આત્મામાં જ્ઞાનનો અભાવ થઈ જાય, અર્થાત્ જે ઈદ્રિ તન્મય-પ્રકાશરૂપ હોય તો તેના અભાવથી આત્મા અજ્ઞાની બની જાત. પણ વસ્તુતઃ ઈન્દ્રિયો તમય નથી એટલે તેના અભાવથી આત્મામાં જ્ઞાનનો અભાવ થઈ જતો નથી. (૧૯૯૯) જેમ પ્રકાશમાન એવા પ્રદીપને છિદ્રવાળા આવરણથી ઢાંક્યો હોય તે તે પિતાને પ્રકાશ તે છિદ્રો દ્વારા ફેલાવતો હોવાથી કિચ્ચિત્માત્ર ફેલાવી શકે છે, તેમ પ્રકાશસ્વરૂપ આમામાં પણ આવરણનો ક્ષયોપશમ હોવાથી ઇન્દ્રિય-છિદ્રો વાટે તે પોતાનો પ્રકાશ બહુ જ થોડો ફેલાવી શકે છે. (૨ooo) પણ, મુક્તાત્મામાં આવરણને સર્વથા અભાવ હોવાથી તે પોતાના સંપૂર્ણ સ્વરૂપે પ્રકાશે છે–અર્થાત્ જે કાંઈ સંસારમાં હોય છે તે બધું જ જાણી શકે છે–સર્વજ્ઞ બની જાય છે. જેમ ઘરમાં બેસીને બારી બારણાથી જેનાર મનુષ્ય બહુ થોડું જ જોઈ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005245
Book TitleGandharwad
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherB J Institute
Publication Year1985
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy