________________
પ્રભાસ નિર્વાણચર્ચા
[૧૬૭ “મુક્ત જીવ બધાને અભાવ હોવાથી અને સર્વજ્ઞ હેવાથી પરમ સુખી હોય છે. બાધાનો અભાવ એ જ સ્વચ્છ જ્ઞાતાનું પરખ સુખ છે.”
(૧૯૯૨)
પ્રભાસ- મુક્તાત્માને આપ પરમ જ્ઞાની કહે છે, પણ વસ્તુત: તે અજ્ઞાની જ હવે જોઈએ, કારણ કે આકાશની જેમ તેને પણ કરણે--જ્ઞાનસાધન ઈદ્રિને અભાવ છે.
ભગવાન–કરણેના એટલે જ્ઞાનેન્દ્રિયના અભાવરૂપ હેતુથી મુક્ત જીવને જે તું
અજ્ઞાની સિદ્ધ કરે છે તે તે જ હેતુથી આકાશ દષ્ટાંત દ્વારા મુક્ત ઈન્દ્રિયો નથી છતાં આત્મા અજીવ પણ સિદ્ધ થાય. અને એમ થાય છે તે આપેલ મુક્તને જ્ઞાન છે “જ્ઞાનેન્દ્રિયને અભાવ” એ હેતુ વિરુદ્ધ બની જાય; અર્થાત્ સદ્ધતુ
ન રહે. વિરુદ્ધ બની જવાનું કારણ એ છે કે એ હેતુ મુક્ત આત્માને તને અભિપ્રેત એવા જીવસ્વરૂપથી તદ્દન વિરુદ્ધ એવું અજવત્વ સિદ્ધ કરશે. મુક્તાત્માને અજ્ઞાની છતાં જીવ તે તું માને જ છે, પણ તે આપેલ “કરણને અભાવ” –એ હેતુ મુક્તાત્માને અજીવ સિદ્ધ કરે છે.
પ્રભાસ-ઉક્ત હેતુ વિરુદ્ધ નથી, કારણ મુતાત્માને જીવ જ માનવાને મારો આગ્રહ નથી. ભલે ને એ હેતુથી તે અજીવ સિદ્ધ થાય, મને તેમાં કશે જ વાંધો નથી. પણ જે આપ તે જ હેતુથી મુક્તાત્માને અજીવ માનતા છે તે આપને સિદ્ધાંત અવશ્ય દૂષિત થઈ જશે, કારણ કે આ૫ મુક્તાત્માને અજીવ નથી માનતા, પણ જીવ જ માને છે, માટે એ આપત્તિ મારા સિદ્ધાંત કરતાં આપના સિદ્ધાંતને જ લાગુ
ભગવાન-કરણભાવ માત્રથી તે આત્મામાં આકાશની જેમ અજ્ઞાન સિદ્ધ કરે છે તેથી મેં તને ઉક્ત આપત્તિ આપી છે કે મુક્તાત્મા અજીવ પણ થઈ જશે. વસ્તુતઃ મુક્તાત્મા અજ્ઞાની પણ નથી અને અજીવ પણ નથી.
(૧૯૬૩)
પ્રભાસ–પ્રથમ એ બતાવો કે મુક્તાવસ્થામાં જીવ શા માટે અજીવ નથી બની જતો. આકાશમાં કરણનો અભાવ છે તેથી તે અજીવ છે તેમ મુક્તમાં પણ કરણને અભાવ થઈ જતો હોવાથી તે પણ અજીવ બની જાય છે એમ જ માનવું જોઈએ.
૧. “લ્યધામાતુ સર્વાર્રારા મવતિ પરમસુતી | व्याबाधाभावोऽत्र स्वच्छस्य ज्ञस्य परमसुखम् ॥"
તસ્વાર્થભાષ્યટીકા, પૃ. ૩૧૮ (દ્વિતીય ભાગ)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org