________________
૧૭
વળી ભગવાન તા માત્ર સક્ષેપમાં અનુ કથન કરે છે, પણ તેને કુશળતાથી વ્યવસ્થિત સૂત્રગ્રન્થનું રૂપ આપવાનું કાર્ય તા ગણધર જ કરે છે. આ પ્રમાણે શાસનના હિતાર્થે શાસ્ત્રોની પ્રવૃત્તિ થઈ છે એમ આચાય ભદ્રખાહુએ સ્પષ્ટરૂપે શાસ્ત્રપ્રવત નના ઇતિહાસ ભુતાન્યેા છે, જે સર્વ શાસ્ત્રા માટે સામાન્ય છે, કારણ કે જે શાસ્ત્રાની નિયુક્તિ તેમને કરવાની છે તે કાં તાગધરાની કૃતિએ છે અગર તેના આધારે બનેલી કૃતિએ છે. એટલે આ વસ્તુને તેમણે આવશ્યકનિયુક્તિ પ્રસંગે જ કહેવાનું ઉચિત માન્યું છે.
અંગામાં આચારાંગ પ્રથમ છે છતાં આચાર્ય ભદ્રબાહુએ ગણુધરકૃત સંપૂર્ણ શ્રુતની આદિમાં સામાયિકને અને અંતમાં બિંદુસારને ગણાવીને કહ્યું છે કે શ્રુતજ્ઞાનને સાર ચારિત્ર છે અને ચારિત્રના સાર નિર્વાણુ છે.૨ આચારાંગને બદલે સામાયિકને પ્રથમ સ્થાન શા માટે આપ્યું તેનું કારણ એ જણાય છે કે અગમ થામાં જ જ્યાં ભગવાન મહાવીરના શ્રમણેાના શ્રુતજ્ઞાન અભ્યાસની ચર્ચા આવે છે, ત્યાં અનેક ઠેકાણે અગમ થાની પણુ આદિમાં સામાયિકનું અધ્યયન તે કરતા એમ જણાવ્યું છે અને તેથી જ આચાયે` ગણુધરકૃત મનાતા માત્ર અ ંગગ્રન્થામાં આવસ્યકસૂત્રને પણ ઉમેરી દેવાનું ઉચિત માન્યું' છે, કારણ કે સામાયિક એ આવશ્યકસૂત્રનું પ્રથમ અધ્યયન છે.
અ પ્રસંગે આચાયૅ જ્ઞાન અને ચારિત્ર એ બન્ને મેાક્ષ માટે આવશ્યક છે તેનું પ્રતિાદન જરા વિસ્તાર કરીને કર્યું છે અને અંતે અંધ-પશુના સાંખ્વપ્રસિદ્ધ દૃષ્ટાંત દ્વારા જ્ઞાન-ક્રિયાના સમન્વયથી મેક્ષલબ્ધિ છે તે કહ્યું છે. આ વસ્તુનુ અહીં પ્રતિપાદન એટલા માટે આવશ્યક હતુ` કે કેટલાક ક્રિયાજડ ખેતી જ્ઞાનની આવશ્યકતા સ્વીકારતા નહિ અને કેટલાક જ્ઞાનગૌરવથી અભિમાની બની ક્રિયાશન્ય ખનીજતા, એટલે તેમને એ જણાવવું આવશ્યક હતું કે આ શ્રુતત્રન્થાને ભણીને પશુ છેવટે તા તદનુસાર આચરણ કર્યા વિના નિર્વાણુની આશા કરવી વ્યર્થ છે. અને આ પ્રયાસ પણ એ નિર્વાણુમાગમાં ઉપયેાગી હોવાથી જ આદરવામાં આવ્યે છે.
ત્યાર પછી સામાયિકના અવિકારીના નિરૂપણને બહાને વસ્તુતઃ શ્રુતજ્ઞાનના અધિકારીનું જ નિરૂપણ કર્યું" છે, કારણ કે શ્રુતજ્ઞાનના અધિકારીને સર્વપ્રથમ સામાયિકનું જ અધ્યયન આવશ્યક છે. એ અધિકારી ક્રમશઃ "કેવી રીતે વિકાસની સીડીએ ચડે છે એ પણ ઉપશમ અને ક્ષેપક શ્રેણીના વણું નદ્વારા પ્રતિપાદિત કર્યું છે. વિકાસ માર્ગે આગળ વધતા છત્ર કૈવલી બને છે અને સમસ્ત લેાકાલાકને જાણવા સમર્થ બને છે.' એવા કેવલીના જ ઉપદેશ ગ્રહણ કરીને ગધરા શાસ્ત્રની રચના કરે છે. આમ સંપૂર્ણ વિકાસમાનું નિદર્શન કરાવીને આચાય ને કહેવાનું એ જ છે કે જે સામાયિક શ્રુતના અધિકારી બને છે તે જ કયારેક ક્રમે વિકાસમાર્ગનું અવલખન કરીને ત ફર બની શકે છે, અને સાંભળેલા જ્ઞાનને સાક્ષાત્ જ્ઞાનમાં પરિણત કરીને પાછે પેાતાનુ શાસન સ્થાપી શકે છે, જિનપ્રવચનને ઉત્પન્ન કરી શકે છે.
આ પ્રમાણે જિનપ્રવયનની ઉત્પત્તિના સામાન્ય ક્રમનું નિદર્શન કરાવીને જિનપ્રવચન સૂત્ર અને અર્થ અર્થાત્ અનુયોગના પર્યાયા સ ંગૃહિત કર્યાં છે, તે આ પ્રમાણે—પ
પ્રવચન-શ્રુત-ધર્મ -તી -માત્ર એ એકાક છે.
૧. આવ૦ નિ૦૯૨ ૨. ગા૦ ૯૩ ૩, ગા૦ ૯૪-૧૦૨ ૪, ગા૦ ૧૦૪-૧૨૭ ૫. ગા૦ ૧૩૦-૧૩૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org