SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયનની નિયુક્તિમાં “અંગ” શબ્દની જે નિયુક્તિ કરવામાં આવી છે તેને જ ઉલેખ આચાર્ય કરે છે. ૬-તે જ પ્રમાણે આચાનિ9 ૧૭૬ માં કહ્યું છે કે “ મનમો’ આમાં પણ આવશ્યક નિર્યુક્તિના જોક્સ” પાઠની નિર્યુક્તિ ઉદ્દિષ્ટ છે. ૭-આયા) નિવ ૩૪૬ માં કહ્યું છે કે ઉત્તરાધ્યયનના “મેક્ષ' શબ્દની નિર્યુક્તિ પ્રમાણે જ વિમતિ' શબ્દની વ્યાખ્યા સમજી લેવી. આથી પણ જણાય છે કે આચા૨ નિ) થી પહેલાં ઉત્ત, નિ૦ ની રચના થઈ. ૮-સૂત્રકૃતાંગ નિહ ની કરણ”ની વ્યાખ્યા (ગાપ-૧૩) એ આવશ્યક સૂત્ર નિદની ગાથાઓ (૧૦૩) આદિ) છે. એ જ ગાથાઓ ઉત્તરાધ્યયનમાં (૧૮૩ આદિ) પણ છે. હ-સૂત્ર, નિગા૦ ૯૯ માં કહ્યું છે કે “ધર્મ' શબ્દને નિક્ષેપ પ્રથમ થઈ ગયું છે, તે દશ૦ નિ૦ ૩૯ ને લક્ષીને છે, એટલે સૂત્ર) નિ. ના પહેલાં દશ૦ નિ રચાઈ. ૧૦-સૂત્રકતાંગ નિ૦ ૧૨૭ માં કહ્યું છે કે “ગ્રંથ” નિક્ષેપ પ્રથમ આવી ગયું. તે ઉત્તરાધ્યયન નિ) ગા૦ ૨૪૦ ને લક્ષીને છે. તેથી સ્ત્રી નિન્ટ ના પહેલાં ઉત્તરા૦ નિ રચાઈ. નિર્યુકિતનો શબ્દાર્થ આ પ્રમાણે એક સાથે જેટલી નિર્યુક્તિઓ લખવાની તેમની ઈચ્છા હતી તેને નિર્દેશ કર્યો પછી ક્રમપ્રાપ્ત સામાયિકાધ્યયનની નિર્યુક્તિ કરવાની પ્રતિજ્ઞા કરે છે અને “નિર્યુક્તિ' શબ્દની વ્યાખ્યા પણ આપી દે છે. એક શબ્દના અનેક અર્થે હોય છે, પણ વધારે સંગત ક અર્થ છે અથવા ભગવાનના ઉપદેશ સમયે સર્વ પ્રથમ યે અર્થે અમુક શબ્દ સાથે જોડાયેલા હતા, એ અર્થને શોધીને તેને સૂત્રના શબ્દો સાથે જોડી દે તે નિર્યુક્તિનું પ્રયોજન છે. આ પ્રજનને સિદ્ધ કરવા ખાતર તયક્તિમાં સર્વત્ર નિક્ષેપપદ્ધતિને આશ્રય લે અનિવાર્ય હોવાથી આચાર્યને જે શબ્દની વ્યાખ્યા કરવાની હોય છે ત્યાં તેઓ પ્રથમ તેના નિક્ષેપના સંભવિત અર્થોની યેજને કરે છે અને પછી અપ્રસ્તુત અર્થનું નિરાકરણ કરી પ્રસ્તુત અર્થને તે તે સૂત્રના શબ્દ સાથે જોડી દે છે. નિર્યુક્તિનું લક્ષણ કર્યા પછી જૈન શાસ્ત્રનો ઉદ્દભવ શી રીતે થયે તેનું એક સુંદર રૂપકદ્વારા વર્ણન કરે છે– તપ-નિયમજ્ઞાનરૂપ વૃક્ષ ઉપર અમિતજ્ઞાની અરૂઢ થઇને ભયજનેને બોધ આપવા માટે જ્ઞાનની વૃષ્ટિ કરે છે. તેને સંપૂર્ણ રીતે બુદ્ધિપટમાં ગણધર ઝીલે છે અને પછી એ તીર્થંકરભાષિતની પ્રવચન માટે માલ ગૂથે છે.” ભગવાનના ઉપદેશને સૂત્રબદ્ધ-પ્રબદ્ધ કરવાથી ફાયદો એ છે કે જેમણે ભગવાનને સાંભળ્યા ન હોય, સાંભળ્યા છતાં પણ આખી વસ્તુ સ્મૃતિમાં સંકલિત રાખી શકયા ન હોય, તેઓ એ પ્રસ્થાન આધારે તેમના ઉપદેશને સરલતાથી ગ્રહણ કરી શકે છે, તેને અભ્યાસ કરી શકે છે અને ધારણ પણ કરી શકે છે, આ ઉદ્દેશથી જ ગણધર પ્રવચનમાળા ગુંથે છે.? ૧. આવી નિ ગ0 ૮૮ ૨, ૮૦-૯૦ ૩, ૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005245
Book TitleGandharwad
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherB J Institute
Publication Year1985
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy