SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૬] ગણધરવાદ [ગણધર કરનાર એક જ સાધારણ વસ્તુ છે. એ સાધારણ વસ્તુમાં જ્યારે એક માત્રા પુણ્યની વધી જાય ત્યારે તે પુણ્ય કહેવાય છે અને જો એક માત્રા પાપની વધી જાય ત્યારે તે પાપ કહેવાય છે, અર્થાત્ પુણ્યાંશને અપકર્ષ થાય ત્યારે તે પાપ કહેવાય છે અને પાપાંશના અપકર્ષ થાય ત્યારે તે પુણ્ય કહેવાય છે, (૧૯૧૧) (૪) કેટલાક લોકો આનાથી વિપરીત પુણ્ય અને પાપ એ અને સ્વતત્ર છે એમ માને છે તેઓ પેાતાના મતનુ' સમન આ પ્રમાણે કરે પુણ્ય-પાપ ખન્ને સ્વતંત્ર છે—સુખ અને દુઃખ એ મને કાં છે, પણ તે બન્ને સુખ છે એ વાઢ અને દુઃખના અનુભવ એકસાથે નથી થતા માટે તે અનેનાં કારણેા જુદાં હાવાં જોઈએ ! સુખનું કારણ પુણ્ય છે અને દુઃખનુ' કારણે પાપ છે. (૫) પાપ-પુણ્ય વિશેની આ ચારે કલ્પનાએ પરસ્પર વિરુદ્ધ હોવાથી વળી કેટલાક લેાકેા માને છે કે પાપ-પુણ્ય જેવુ' કશુ જ નહિ, પણ આ બધા ભવપ્રપ`ચ સ્વભાવથી જ થાય છે. સ્વભાવવાદ આ પાંચે મતે તારી સમક્ષ હાવાથી તારુ' મન મૂંઝાય છે કે પાપ-પુણ્યને માનવાં કે ન માનવાં; અને માનવાં તે સ્વતંત્ર માનવાં કે એકલુ' સંશયનિવારણ પાપ જ અથવા પુણ્ય જ માનવું. પણુ અચલભ્રાતા, આમાં જે ચાથા પક્ષ છે કે પાપ અને પુણ્ય અને સ્વતંત્ર છે તે જ યુક્તિયુક્ત છે, બાકીના યુક્તિથી બાધિત છે. અચલભ્રાતા---સ્વભાવવાદને આપ શા માટે અચૈાગ્ય માનેા છે, તે પ્રથમ કહે।. ભગવાન—સ‘સારમાં જે સુખ-દુઃખની વિચિત્રતા છે તે સ્વભાવથી તે ઘટી શકે નહિ. સ્વભાવ વિશે મારા ત્રણ પ્રશ્ન છે તે આ—સ્વભાવ એ વસ્તુ સ્વભાવવાદના છે ? સ્વભાવ એ નિષ્કારણતા છે? કે સ્વભાવ એ વસ્તુધમ છે ? નિરાસ આમાં સ્વભાવને વસ્તુ તેા માની શકાય નહિ, કારણ કે આકાશકુસુમની જેમ તે અનુપલબ્ધ છે. (૧૯૧૨–૧૩) અચલભ્રાતા- અત્યન્ત અનુપલબ્ધ છતાં તેનું અસ્તિત્વ માનવામાં શે। વાંધા ? ભગવાન—તે પછી અત્યન્ત અનુપલબ્ધ છતાં પુણ્ય-પાપરૂપ કર્મીને જ શા માટે ન માનવુ` ? અત્યન્ત અનુપલબ્ધ છતાં જે કારણે સ્વભાવને માનવામાં આવે તે જ કારણે ઉક્ત કાઁને પણ માનવુ" જ જોઈ એ. (૧૯૧૪) ૧. આ ગાથા પ્રથમ આવી ગઈ છે; જુએ ૧૭૮૬. સ્વભાવવાદના નિરાકરણ માટે જુએ આ ગાથા પ્રથમ આવી ગઈ છે. ગા૦ ૧૭૮૭ ગા૦ ૧૬૪૩ વ્યાખ્યા. ૨. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005245
Book TitleGandharwad
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherB J Institute
Publication Year1985
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy