SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ અચલભ્રાતા] પુષ્પ-પાપ ચર્ચા [૧૩૫ આ પાંચે મતાને માનનારા પાતપાતાના મતના સમનમાં જે યુક્તિએ આપે છે તે આ પ્રમાણે છે— પુણ્યવાદ (૧) પુણ્ય જ માત્ર છે અને પાપ છે જ નહિ, એ મતવાળા લેાકેાનું કહેવુ છે કે પુણ્યને ક્રમશ: ઉત્કર્ષ થાય તે શુભ છે; અર્થાત્ પુણ્ય જેમ થાડુ' થાડુ' વધે તેમ ક્રમશઃ સુખની વૃદ્ધિ પણ થતી જાય છે. છેવટે પુણ્યના પરમ ઉત્કષ થાય તે સ્વનું ઉત્કૃષ્ટ સુખ મળે છે. પણ જો પુણ્યની કમશઃ હાનિ થાય તે સુખની પણ ક્રમશઃ હાનિ થાય છે; અર્થાત્ તેટલા જ પ્રમાણમાં દુઃખ વધતુ' જાય છે અને છેવટે જ્યારે પુણ્ય ન્યૂનતમ રહી જાય છે ત્યારે નરકમાં ઉત્કૃષ્ટ દુઃખ મળે છે, પણ જો પુણ્યના સથા ક્ષય થાય તે મેક્ષ મળે છે. આ પ્રમાણે માત્ર પુણ્ય માનવાથી જ સુખ અને દુઃખ બન્ને ઘટી શકે છે તે પાપને જુદું શા માટે માનવુ? જેમ પથ્યાહારની ક્રમિક વૃદ્ધિથી આરેાગ્યવૃદ્ધિ થાય છે તેમ પુણ્યવૃદ્ધિથી સુખવૃદ્ધિ થાય છે. જેમ પથ્યાહાર ઓછા થતા જાય તેમ આરેગ્યની હાનિ થાય છે અર્થાત રાગ વધે છે, તેમ પુણ્યની હાની થવાથી દુઃખ વધે છે. અને સર્વથા પથ્યાહારના ત્યાગ થાય તે મરણ થાય છે તેમ સથા પુણ્યના ક્ષય થવાથી મેાક્ષ મળે છે. આ પ્રમાણે એક માત્ર પુણ્યથી સુખ-દુઃખની ઉપપત્તિ છે તે પાપને જુગ્નુ' શા માટે માનવું ? (૧૯૦૯) (૨) આનાથી વિપરીત મતવાળા જેએ માત્ર પાપને જ માને છે અને પુણ્યને માનતા જ નથી તેમનુ' કહેવુ છે કે જેમ અપથ્યાહારની વૃદ્ધિ થવાથી રાગની વૃદ્ધિ થાય છે તેમ પાપની વૃદ્ધિ થવાથી અધમતા અર્થાત્ દુઃખ વધે છે. અને જ્યારે પાપના પરમ પ્રક` હાય છે ત્યારે નારકામાં ઉત્કૃષ્ટ દુઃખ પ્રાપ્ત થાય છે. વળી, જેમ અપથ્યાહાર ઘટવાથી આરેાગ્યલાભ વધે છે તેમ પાપના અપકર્ષી થવાથી શુભની અર્થાત્ સુખની વૃદ્ધિ થાય છે અને ન્યૂનતમ પાપ હાય ત્યારે દેવાનું ઉત્કૃષ્ટ સુખ પ્રાપ્ત થાય છે. વળી, જેમ અપથ્યાહારના સથા ત્યાગથી પરમ આરાગ્યના લાભ થાય છે તેમ પાપના સવથા નાશથી મેક્ષના લાલ થાય છે. આ પ્રકારે એક માત્ર પાપ માનવાથી સુખ અને દુઃખ ઘટે છે તે પુણ્યને જુદું' માનવાની કશી જ આવશ્યકતા નથી (૧૯૧૦) પાપવાદ (૩) પુણ્ય કે પાપ એ અને સ્વતંત્ર નથી, પણુ ઉભયસાધારણ એક જ વસ્તુ છે, એ મતવાળાની યુક્તિ આ પ્રમાણે છે—જેમ અનેક રંગા મળવાથી એક સાધારણ સંકીણુ` વણુ મને છે અગર વિવિધર’ગી મેચકમણિ એક જ છે અથવા સિંહ અને નરના રૂપને ધારણુ કરનાર નરસિંહ એક જ છે તેમ પાપ અને પુણ્ય સજ્ઞા પ્રાપ્ત પુણ્ય-પાપ સ`કી છે એવા વાઢ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005245
Book TitleGandharwad
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherB J Institute
Publication Year1985
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy