SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ અપિત નારચર્ચા [૧૩૩ વળી, હે અકપિત ! મારાં બીજાં વચનોની જેમ નારકનું અસ્તિત્વ બતાવનારું વચન પણ સત્ય જ છે, કારણ કે હું સર્વજ્ઞ છું એટલે તેને માન્ય સર્વજ્ઞ વચનથી એવા બીજા જૈમિનિ આદિ સર્વના વચનની જેમ મારું વચન સિદ્ધિ પણ તારે પ્રમાણ માનવું જોઈએ. ' (૧૯૦૯) અપિત-સર્વજ્ઞ છતાં આપ જૂઠું કેમ ન બોલો? ભગવાન–મારું વચન સત્ય અને અહિંસક જ છે, કારણ કે અસત્ય અને હિંસક વચનનાં કારણે ભય-રાગ-દ્વેષ-મોહ એ છે તે બધાને મારામાં અભાવ છે; એટલે મારું વચન જ્ઞાતા અને મધ્યસ્થ એવા પુરુષની જેમ સત્ય અને અહિંસક જ તારે માનવું જોઈએ.' ' (૧૯૦૨) અકંપિત–પણ આપ સર્વજ્ઞ છો તેની શી ખાતરી ? ભગવાન હું બધા સંશનું નિવારણ કરું છું એ તો તું પ્રત્યક્ષ જુએ જ છે, અને તેવું નિરાકરણ સર્વજ્ઞ વિના કેણ કરી શકે ? તેથી તારે મને સર્વજ્ઞ માને જોઈએ. વળી, ભય-રાગ-દ્વેષને કારણે મનુષ્ય અજ્ઞાની બને છે. મારામાં એ કશુ છે નહિ, કારણ કે તેનું કેઈ બાહ્ય ચિહ્ન તું જતો નથી, એટલે ભયાદિ દોષરહિત હોવાથી મને સર્વજ્ઞ માનીને મારા વચનને તારે પ્રમાણ માનવું જોઈએ. અકંપિત-યુક્તિથી અને આપના વચનથી નારકનો સદૂભાવ માનવા તૈયાર છું, પણ પિલા વેદવાક્યનું શું ? “ શું છે 9 નારા સરિત” એ વાકયમાં તે નારકને સ્પષ્ટરૂપે અભાવ કહ્યો છે. ભગવાન–એ વાક્યનું તાત્પર્ય નારકેના અભાવમાં નથી, પણ એ છે કે પર લેકમાં મેરુ આદિની જેમ નારકે શાશ્વત નથી, પણ જે અહીં વેદ વાક્યોને પ્રકૃષ્ણ પાપ કરે છે તે મરીને નારક થાય છે. માટે એવું પાપ ન સમન્વય કરવું જેથી નારક બનવું પડે. (૧૯૦૩) આ પ્રકારે જ્યારે જરા-મરણથી રહિત એવા ભગવાને અકંપિતના સંશયનું નિવારણ કર્યું ત્યારે તેણે પિતાના ત્રણસો શિવે સાથે દીક્ષા અંગીકાર કરી. (૧૯૦૪) ૧, આ ગાથા પ્રથમ પણ આવી ગઈ છે.-જુએ ગા૦ ૧૫૭૮. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005245
Book TitleGandharwad
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherB J Institute
Publication Year1985
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy