SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ અપિત] નારકચર્ચા (૧૩૧ અકપિત–પણ જે આત્મા ઇન્દ્રિયની સહાયતા ન લે તે બહુ જ ઓછું જાણી શકે; એટલે અતીન્દ્રિયજ્ઞાન કરતાં ઈન્દ્રિયજ્ઞાન જ વધારે જાણી શકે છે. ભગવાન—જે આત્માને ઈન્દ્રિયો સહાયક છે જ નહિ, અર્થાત જે કેવલજ્ઞાની છે તે આત્મા બહુ ઘણું તો શું પણ બધું જ જાણી શકે છે. અતીન્દ્રિય જ્ઞાનને જેમ ઘરમાં બેસીને ગોખલામાંથી જેનાર દેવદત્ત જેટલું જોઈ-જાણી વિષય બધું જ છે જાણી શકે છે તેથી ક્યાંય વધારે તે ખુલ્લા આકાશમાં રહીને જોઈ જાણી શકે છે, તે જ પ્રમાણે જીવનાં જ્યારે બધાં જ્ઞાન-દર્શનનાં આવરણે દૂર થઈ જાય છે ત્યારે ઈન્દ્રિયો દ્વારા જેટલું જણાતું તેથી ઘણું બધું વધારે તે જોઈ-જાણી શકે છે, એટલું જ નહિ પણ એવું કશું જ બાકી નથી રહેતું જે તે ન જાણતા હોય (૧૮૯૫) અકંપિત—ઈન્દ્રિયજ્ઞાનને લેકમાં તે સૌ પ્રત્યક્ષ જ કહે છે. પણ આપ તેને પરોક્ષ કેમ કહે છે ? ભગવાન–વસ્તુમાં અનન્ત ધર્મ છે છતાં ઈન્દ્રિય દ્વારા કોઈ એક જ રૂપાદિ ધર્મનું જ્ઞાન થાય છે અને તે દ્વારા રૂપાદિ કોઈ એક ધર્મથી વિશિષ્ટ ઇન્દ્રિયજ્ઞાન પક્ષ વસ્તુનું જ્ઞાન થાય છે. આથી તે અનુમાન જ્ઞાનની જેમ પરોક્ષ શા માટે? જ છે, કારણ કે જેમ અનુમાન-જ્ઞાનમાં કઈ એક કૃતકવાદિ ધર્મ વડે કઈ એક અનિત્યસ્વાદિ ધર્મ થી વિશિષ્ટ ઘડે સિદ્ધ થાય છે તેમ ઈન્દ્રિયજ્ઞાનમાં પણ કોઈ એક ધર્મના ઇન્દ્રિય દ્વારા ગ્રહણથી તદ્ધર્મથી વિશિષ્ટ વસ્તુની સિદ્ધિ થાય છે. (૧૮૯૬) વળી, પૂપલબ્ધ સંબંધના સ્મરણના સહકાર વડે ધૂમજ્ઞાન દ્વારા થતું અગ્નિનું જ્ઞાન જેમ પરેલ છે તેમ ઈન્દ્રિયજ્ઞાન પણ પરોક્ષ છે, કારણ કે તેમાં પણ પૂર્વગ્રહિત સંકેતસમરણ આવશ્યક છે. અભ્યાસાદિને કારણે એ સંકેતસ્મરણે ઘણીવાર શીધ્ર થતું હેવાથી તે લક્ષ્યમાં આવતું નથી છતાં તે આવશ્યક તે છે જ, અન્યથા જેણે સંકેતગ્રહ ન કર્યો હોય એવા મનુષ્યને પણ ઘડે જોઈને આ “આ ઘડે છે' એવું જ્ઞાન થઈ જવું જોઈએ. થતું તે નથી, માટે સંકેતસ્મરણ આવશ્યક છે. એ પ્રકારે અનુમાન અને ઈન્દ્રિયજ્ઞાન બન્નેમાં સરખી રીતે મરણ સહાયક હોવાથી અને પરોક્ષ છે. વળી જે જ્ઞાનમાં આત્માને નિમિત્તની અપેક્ષા હોય તે જ્ઞાન પક્ષ જ કહેવાય છે. જેમ વજ્ઞિાનમાં ધૂમજ્ઞાન નિમિત્ત હોવાથી તે અનુમાનાત્મક પરોક્ષ છે, તેમ ઈન્દ્રિયજ્ઞાનમાં પણ અક્ષ અર્થાત્ આત્માને ઇન્દ્રિયની અપેક્ષા હેવાથી ઈન્દ્રિય નિમિત્ત છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005245
Book TitleGandharwad
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherB J Institute
Publication Year1985
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy