SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૦] ગણધરવાદ [ગણુધર ઈન્દ્રિયજન્ય જ્ઞાનની બાબતમાં નથી, કારણ કે ધૂમ જેવી બાહ્ય વસ્તુના જ્ઞાનની તેમાં અપેક્ષા રહેતી નથી, એટલે તેને ઉપચારથી પ્રત્યક્ષ કહેવામાં આવે છે. પણ વસ્તુતઃ ઇન્દ્રિયજ્ઞાન એ પરોક્ષ જ છે, કારણ કે જેમ અનુમાનમાં વધિનું જ્ઞાન સાક્ષાત્ નથી થતું પણ ધૂમ દ્વારા થાય છે, તેવી જ રીતે પ્રસ્તુતમાં પણ અક્ષ અર્થાત આત્માને વસ્તુનું સાક્ષાત જ્ઞાન નથી થતું, પણ આત્માથી પર એવી ઇન્દ્રિયો દ્વારા બાહ્ય વસ્તુનું જ્ઞાન થાય છે, તેથી તે પણ અનુમાનની જેમ વસ્તુતઃ પરોક્ષજ્ઞાન જ છે. ઇન્દ્રિયાતીત જ્ઞાન જ વરતુત પ્રત્યક્ષ છે. આથી મારા તેવા જ્ઞાનથી નારકે પ્રત્યક્ષ હોવાથી તેમને તરે પ્રત્યક્ષ માનવા જોઈએ. (૧૮૯૨) અકંપિત–અક્ષ અર્થાત્ આત્મા ઈન્દ્રિયો દ્વારા અર્થને ઉપલબ્ધ કરતા હોવાથી તે ઈન્દ્રિયજ્ઞાનને આપ પરોક્ષ કહે છે; પણ હું તો એમ ઉપલબ્ધિર્તા ઇન્દ્રિયો કહું છું કે આત્માને ઉપલબ્ધિકર્તા શ માટે માન અક્ષ નથી, આત્મા છે અર્થાત ઈન્દ્રિયે જ ઉપલબ્ધિકર્તા છે તેથી તે ઇન્દ્રિયજ્ઞાન જ પ્રત્યક્ષ કહેવાય છે, એમ કેમ ન માનવું ? ભગવાન-અક્ષ અર્થાત ઈન્દ્રિયોને ઉપલબ્ધિકર્તા માની શકાય નહિ, કારણ કે ઈન્દ્રિયો ઘટાદિ પદાર્થની જેમ મૂર્ત છે અને અચેતન છે. જે તે ઉપલબ્ધિકર્તા જ ન બનતી હોય તે તજજન્ય જ્ઞાનને પ્રત્યક્ષ કેવી રીતે કહેવાય? ઈન્દ્રિયે તે ઉપલબ્ધિનાં કારો છે, અને જીવ એ ઉપલબ્ધિને કર્તા છે. જેમ ગેખ સ્વયં કશું દેખી શકતો નથી, પણ ગેખ દ્વારા દેવદત્ત જ જુએ છે, તેમ ઈન્દ્રિયે એ પણ દ્વાર અર્થાત કરણ છે, અને તે દ્વારા કર્તા જીવ ઉપલબ્ધિ કરે છે. તેથી ઇન્દ્રિયોને ઉપલબ્ધિકર્તા કહી શકાય નહિ અને ઇન્દ્રિયજ્ઞાનને વસ્તુતઃ પ્રત્યક્ષ પણ કહી શકાય નહિ. (૧૮૯૩) અલંપિત-ઈન્દ્રિયોથી ભિન્ન એ આત્મા શા માટે માન ? ઈન્દ્રિયે જ આત્મા છે એમ શા માટે ન માનવું ? ભગવાન-ઇન્દ્રિયવ્યાપાર સમાપ્ત થઈ જાય છતાં ઇન્દ્રિ દ્વારા ઉપલબ્ધ પદાર્થોનું સ્મરણ થાય છે અને ઈન્દ્રિયવ્યાપાર છતાં જે અન્યમનસ્કતા આત્મા ઇન્દ્રિયોથી હોય તો ઉપલબ્ધિ થતી નથી, માટે આત્માને ઇન્દ્રિથી ભિન્ન ભિન્ન છે જ માન જોઈ એ. અને ઇન્દ્રને તે ઉપલબ્ધિનાં સાધન જ માનવી જોઈએ. જેમ ઘરનાં પાંચ ગેખ દ્વારા જેનાર દેવદત્ત તે પાંચે ગેખથી ભિન્ન છે, તેમ પાંચે ઇન્દ્રિ દ્વારા જ્ઞાન કરનાર-જ્ઞાતા ઇન્દ્રિથી ભિન્ન જ હોવો જોઈએ. (૧૮૯૪) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005245
Book TitleGandharwad
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherB J Institute
Publication Year1985
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy