________________
મોર્યપુત્ર દેવચર્ચા
૧૨૫] દેવનાં અહીં આવવાનાં કારણો છે; જેવાં કે પૂર્વ ભવના પુત્રમિત્રદિના શગના કારણે, મિત્રાદિને પ્રતિબંધ દેવા આવવાને પૂર્વ સંકેત હોય તો, તપસ્યા ગુણથી આકૃષ્ટ થઈ પૂર્વભવના વૈરીને પીડા દેવા, મિત્રને ઉપકાર કરવા અને કામકીડા અથે પણ દેવે આ લેકમાં આવે છે, અને કેટલીક વખતે કોઈ સાધુ આદિની પરીક્ષાને બહાને પણ આવે છે
(૧૮૭૬-૭૭) મૌર્યપુર–દેવસિદ્ધિમાં અન્ય કોઈ પ્રમાણે છે? ભગવાન–હા, અનુમાન પ્રમાણે છે તે આ પ્રમાણે–દેવના અસ્તિત્વમાં શ્રદ્ધા
રાખવી જોઈએ, કારણ કે (૧) જાતિસ્મરણજ્ઞાની એ આપ્ત દેવસાધક અન્ય પુરૂષ પિતાના પૂર્વભવનું જ્ઞાન કરીને પિત દેવ હતો એમ કહે છે, અનુમાન (૨) કેટલાક તપસ્વીઓને દેવે પ્રત્યક્ષ દેખાય છે, (૩) કેટલાક
વિદ્યા-મંત્ર-ઉપયાચન વડે દેવો દ્વારા પોતાના કાર્યની સિદ્ધિ કરે છે, (૪) કેટલાક મનુષ્યમાં ગ્રહવિકાર-અર્થાત્ ભૂત-પિશાચકૃત વિક્રિયા દેખાય છે, (૫) તપ-દાનાદિ કિયા વડે કરીને ઉપાર્જિત પ્રકૃષ્ટ પુણ્યનું ફળ હોવું જોઈએ, અને (૬) દેવ એવું અભિધાન છે, માટે આ બધા હેતુઓથી દેવની સિદ્ધિ થાય છે. વળી બધાં શાસ્ત્રોમાં દેવનું અસ્તિત્વ સ્વીકારવામાં આવ્યું છે તેથી પણ દેવો વિશે શંકા કરવી ન જોઈએ,
મૌર્યપુત્ર–આપે કહ્યું કે ગ્રહવિકાર હોવાથી દેવેનું અસ્તિત્વ માનવું જોઈએ પણ મનુષ્ય શરીરની અમુક ક્રિયા ગ્રહવિકાર છે તે શાથી જાણવું? ભગવાન–જેમ યંત્ર પુરુષમાં ચાલવાની શક્તિ નથી, પણ તેમાં કોઈ પુરુષ
પ્રવિષ્ટ હોય તો યંત્રમાં ગતિ આવે છે, તે જ પ્રમાણે શરીરમાં ગ્રહવિકારની સિદ્ધિ અમુક કાર્ય કરવાની શક્તિ ન હોય છતાં જે શરીર એ કાર્ય કરતું
હોય તે તેમાં શરીરાધિષ્ઠાતા જીવ સિવાયના કેઈ અદશ્ય જવે અધિષ્ઠાન કર્યું હોવું જોઈએ એમ માનવું પડે છે. અને તે અધિષ્ઠાતા તે દેવ છે. એને લઈને જ મનુષ્યની શક્તિ બહારનાં કાર્યો એના પિતાના શરીરથી થાય છે.
(૧૮૭૮-૭૯) મોર્યપુત્ર આપે એમ પણ કહ્યું કે દેવ એવું અભિધાન છે માટે પણ દેવને સ્વીકાર કરવો જોઈએ.-આ હેતુનું સ્પષ્ટીકરણ અપેક્ષિત છે.
ભગવાન–દેવ એ પદ સાર્થક છે--તેનો કઈ અર્થ હોવો જોઈએ, દેવપદની સાર્થકતા કારણ કે તે વ્યુત્પત્તિવાળું શુદ્ધ પદ છે, ઘટ પદની જેમ.
મૌર્યપુત્ર–દેવ' પદનો અર્થ મનુષ્ય માને; જેમ કે ગુણસંપન્ન ગણધરાદિ અને શ્રાદ્ધસંપન્ન ચક્રવતી આદિ. આ બધા સંસારમાં દેવ કહેવાય જ છે, તો પછી અદષ્ટ દેવની કલ્પના શા માટે કરવી?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org