________________
૧૨૨] ગણધરવાદ
[ગણધર વળી, દેવો નથી એવી તારી માન્યતાનું સમર્થન તું યુક્તિથી પણ કરે છે જેમકે –
તું એમ વિચારે છે કે નારકો તે પરતંત્ર છે અને અત્યંત દુઃખી પણ છે તેથી તેઓ આપણી સમક્ષ આવવા શક્તિમાન નથી, એટલે તેઓ ન દેખાય છતાં બીજાના વચનને પ્રમાણ માનીને નારકોનું અસ્તિત્વ શ્રદ્ધાને વિષય બને છે. (૧૮૬૭)
પણ દે તો સ્વછંદવિહારી છે-એટલે કે તેમને આવતાં કેઈ રેકી શકે એમ નથી; અને તેઓ દિવ્ય પ્રભાવવાળા પણ છે, છતાં કદી દેખાતા નથી, એટલે શ્રુતિ -મૃતિમાં દેવેનું અસ્તિત્વ બતાવ્યું છે તો પણ તેમના વિશે સંશય અસ્થાને નથી.
(૧૮૬૮) પણ હે મૌર્ય પુત્ર! તારે દેવની સત્તા વિશે સંદેહ કરવો ન જોઈએ. શ્રુતિ-સ્મૃતિના
વચનના આધારે જ નહિ, પણ પ્રત્યક્ષ પ્રમાણથી પણ તું દેવનું સંશયનું નિવારણ અસ્તિત્વ માની લે. અહીં મારા આ સમવસરણમાં જ મનુષ્યથી દે પ્રત્યક્ષ છે ભિન્ન જાતીય એવા ભવનપતિ-વ્યસ્તર-તિષ્ક-વૈમાનિક એ ચારે
પ્રકારના દેવે ઉપસ્થિત છે તેમનું તું પ્રત્યક્ષ દર્શન કરી લે, અને તારા સંશયનું નિવારણ કરી લે.
(૧૮૬૯) - મૌર્યપુત્ર–પણ અહીં જોયાં પહેલાં મને જે સંશય થયો હતો તે તો યુક્તિયુક્ત જ હતો ને ?
ભગવાન–ના, કારણ કે મારા સમવસરણમાં તું આવ્યો તે પહેલાં પણ તું બીજા દેને ભલે ન દેખતો હોય, પણ સૂર્ય ચંદ્રાદિ જતિષ્ક દેવ તો તને પ્રત્યક્ષ હતા જ. તેથી ‘દે કદી દેખાયા નથી, માટે દેવ વિશે સંશય યોગ્ય છે.” તેમ માનવું જોઈએ નહિ. તને આથી પહેલાં પણ દેવના એકદેશનું પ્રત્યક્ષ હતું જ, તેથી સમસ્ત દેવ વિશેની શંકા અસ્થાને જ હતી. વળી, લેકમાં દેવકૃત અનુગ્રહ અને પીડા બને છે તેથી પણ દેવનું અસ્તિત્વ
માનવું જોઈએ, કારણ કે લેકનું ભલું-ભૂ ડું કરનાર જેમ રાજાનું અનુમાનથી સિદ્ધિ અસ્તિત્વ માનવામાં આવે છે તેમ દેવે પણ કોઈને વૈભવ આપી
દે છે અને બીજા કોઈના વૈભવને નાશ કરે છે; તેથી રાજાની જેમ દેવોનું પણ અસ્તિત્વ માનવું જોઈએ.
(૧૮૭૦) મૌર્યપુત્ર–શૂન્યનગરની જેમ ચંદ્રવિમાન, સૂર્યવિમાન આદિ આલય-નિવાસસ્થાન જણાય છે, તેમાં વસનારા કઈ છે જ નહિ; એટલે ચંદ્રસૂર્યાદિના પ્રત્યક્ષ થવાથી દે પણ પ્રત્યક્ષ થઈ ગયા એમ કેમ કહેવાય?
ભગવાન–પણ જે તું ચંદ્ર સૂર્યને આલય માનતો હો તે પણ તેમાં કોઈ વસનાર તે હો જ જોઈએ; અન્યથા તેને આલય કહી શકાય નહિ. જેમ વસન્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org