________________
૧૩
છઠ્ઠી શતાબ્દીમાં વિદ્યમાન ખીન્ન ભદ્રબાહુની રચના છે એ મુનિ શ્રી પુણ્યવિજયજીએ અસ દિગ્ધ રૂપે સિદ્ધ કરી દીધુ છે.
આચાર્ય ભદ્રબાહુ પ્રસિદ્ધ ન્યાતિવિદ વરાહમિહિરના સંસારી અવસ્થાના સહોદર હતા. જૈન પરંપરામાં તે મંત્રવિદ નૈમિત્તિક તરીકે પ્રસિદ્ધ છે. વરાહમિહિરે પંચસિદ્ધાન્તિકાને અંતે શક સ ંવત ૪૨૭ અર્થાત્ વિક્રમ સ. ૫૬૨ જણાયેા છે, એટલે આપણે આચાર્ય ભદ્રબાહુ છઠ્ઠી શતાબ્દીમાં વિદ્યમાન હતા એમ કહી શકીએ છીએ.
આચાર્ય ભદ્રબાહુના નામે ચડેલા ગ્રન્થા પૈકી છેદસૂત્રાતા પ્રથમ ભદ્રબાહુ પૂર્વવિદ હતા તેમના બનાવેલા હોવાથી પ્રસ્તુત ભદ્રબાહુ (દ્વિતીય)ની કૃતિ તરીકે નિયુક્તિએ માનવી જોઈએ
૧ આવશ્યક, ૨ દશવૈકાલિક, ૩ ઉત્તરાધ્યયન, ૪ આચારાંગ, ૫ સૂત્રકૃતાંગ ૬ દશાશ્રુતસ્ક ંધ, ૭ ૩૫—બૃહત્ક૫, ૮ વ્યવહાર, ૯ સૂર્યપ્રપ્તિ, અને ૧૦ ઋષિભાષિત. આ દશ શાસ્ત્રોની નિયુક્તિ કરવાની પ્રતિજ્ઞા સ્વયં ભદ્રબાહુએ આવશ્યકનિયુક્તિમાં કરી છે.૨
આમાંથી અંતિમ એ સિવાયની બાકીની બધી નિયુક્તિએ ઉપલબ્ધ છે.
ઉવસગ્ગહર એ પ્રાકૃત સ્તંત્ર પણ આ ભદ્રબાહુની રચના મનાય છે અને તેમાં શંકા કરવાને કશું કારણ નથી.
ભદ્રબાહુસંહિતા નામને ગ્રન્થ તેમના ગણાય છે, પણ જે ઉપલબ્ધ છે તે તેમની રચના હાવા વિશે સંદેહ છે.
જેએ યતુ - નીચેના ગ્રન્થાની
એનિયુક્તિ, પિ ડૅનિયુક્તિ અને ૫ાંચકલ્પનિ ક્તિ આ ત્રણ નિયુક્તિમર્થેા અનુક્રમે આવશ્યકનિયુ - ક્તિ, દશવૈકાલિકનિયુક્તિ, અને કલ્પ-બૃહત્કનિયુક્તિના અ ંશરૂપ હોઈ તેના જુદા ગ્રન્થ તરીકે ઉલ્લેખ અનાવશ્યક છે. આ સિવાયના તેમના ગણાતા, સંસતનિયુક્તિ, ગ્રહશાંતિસ્ત્રાત્ર, સપાદલક્ષ વસુદેવંહ ડી જેવા ગ્રંથા તેમના રચેલા હોવા સામે અનેક વાંધા છે.
૧. ભદ્રા હુ ભલે છઠ્ઠી શતાબ્દીમાં હાય, પણ એમની લેખાતી નિયુક્તિઓમાં કાઈ જૂના ભાગ આવેલે છે કે નહિ એ પણ પ્રશ્ન છે. શ્રી. કુંદકુંદ આદિના ત્ર થામાં ઘણી ગાથાએ નિયુક્તિમાંની છે, ભગવતી આરાધના અને મૂલાચારમાં પણ છે, એટલે ઉપલબ્ધ નિયુક્તિની બધી ગાથાએ માત્ર છઠ્ઠી શતાબ્દીમાં રચાઈ એમ કેમ કહેવાય? અલખત્ત જૂની ગાથાએાને સમાવી નવી રચના ઉપલબ્ધ રૂપમાં તે વખતે થઈ હોય તેથી સમગ્ર નિયુક્તિ તે છઠ્ઠી શતાબ્દીની જ કેમ મનાય ? જૂની ગાથાએ કાની કૈાની, કેટલી હતી, એ ચેોક્કસ નથી એ ખરું. વળી નિયુક્તિની વ્યાખ્યાપદ્ધતિ બહુ જૂની લાગે છે, અનુયેાગદ્વાર જૂનું છે, એમાંની ગાથાએ પણ નિયુક્તિમાં છે. તેથી છઠ્ઠી શતાબ્દીના ભદ્રબાહુએ ઉપલબ્ધ રચના કરી હોય તેાપણુ પ્રાચીનતાની પરંપરા નિરાધાર નથી એમ માનવું રહ્યું. છઠ્ઠી શતાબ્દીના ભદ્રબાહુની કૃતિમાંથી પ્રાચીન ગણાતા દિગ ખર પ્રથામાં ગાથાએ લેવામાં આવી એ કલ્પના જરા વધારે પડતી ગણાય. સમાન વારસામાંથી બન્નેમાં ગયાના વધારે સંભવ છે, જેમ ક શાસ્ત્ર અને જીવાદિતત્ત્વાની પરિભાષા વિશે. ૨. આવા૦ નિ૦ ગા૦ ૮૪–૮૫, ૩. આચાર્ય ભદ્રબાહુ વિશે ઉપર આપેલ બધી હકીકતાના આધાર મુનિશ્રી પુણ્યવિજયજીનેા મહાવીર જૈન વિદ્યાલયના રજત મહે।ત્સવ અંકમાં (પૃ૦ ૧૮૫) છપાયેલ લેખ છે, તેની સાભાર નોંધ લ છું.
૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org