________________
મકા બંધમાક્ષ ચર્ચા
[૧૧૫ - ભગવાન હું તને જ પૂછું છું કે અરૂપી એવા આકાશાદિ છે તે પછી આત્મા
અરૂપી છતાં ચેતન કેમ છે? જેમ અરૂપી છતાં આત્મામાં ચૈતન્ય આત્મા અરૂપી એ વિશેષ ધર્મ છે તેમ સક્રિયત્ન એ પણ વિશેષ ધર્મ છે એમાં છતાં સક્રિય શો વિરોધ છે?
' (૧૯૪૫) વળી, આત્માનું સક્રિયત્ન અનુમાનથી પણ સિદ્ધ છે. તે આ પ્રમાણે–આત્મા સક્રિય છે, કર્તા હેવાથી, કુંભારની જેમ. અથવા ભક્તા હોવાથી આત્મા સક્રિય છે. અથવા દેહ પરિપદ પ્રત્યક્ષ હોવાથી આત્મા સક્રિય હવે જોઈએ. જેમ ય–પુરુષમાં પરિસ્પન્દ દેખાય છે તેથી તે સક્રિય છે તેમ આત્મામાં પણ દેહપરિસ્પન્દ્ર પ્રત્યક્ષ હોવાથી તે પણ સક્રિય છે.
' (૧૯૪૬) મંડિક–દેહમાં પરિસ્પન્દ છે તેથી દેહને સક્રિય માન જોઈએ, આત્માને નહિ,
ભગવાન દેહના પરિસ્પન્દમાં આત્માને પ્રયત્ન કારણ છે, તેથી આત્માને સક્રિય માનવામાં આવ્યો છે.
મંડિક–પણ પ્રયત્ન એ તે ક્રિયા નથી, તેથી પ્રયત્નને કારણે આત્માને સક્રિય ન મનાય.
ભગવાન–પ્રયત્ન ભલેને ક્રિયા ન હોય, પણ જે આકાશની જેમ નિષ્કિય હોય તેમાં પ્રયત્ન પણ ન સંભવે, તેથી આત્માને સક્રિય માનવો જોઈએ. વળી વસ્તુતઃ પ્રયતન એ પણ કિયા જ છે. અને ધારો કે કિયા નથી તે પછી અમૃત એવો પ્રયત્ન દેહના પરિસ્પન્દમાં શા હેતુથી કારણ બને છે તે બતાવવું જોઈએ.
મંડિક–પ્રયત્નને બીજા કશા હેતુની અપેક્ષા નથી, તે સ્વતઃ જ દેહપરિસ્પન્ડમાં નિમિત્ત બને છે.
ભગવાન તો પછી સ્વતઃ આત્માથી જ દેહપરિપબ્દ થાય છે તેમ માને; વ્યર્થ એવા પ્રયત્નને શા માટે માનવો ?
મંડિક–દેહપરિસ્પદમાં કઈ અદષ્ટને જ કારણ માનવું જોઈએ, આત્મા તે નિષ્ક્રિય હોવાથી કારણ બની શકે નહિ.
ભગવાન–તે અદૃષ્ટ કારણ મૂર્ત છે કે અમૂર્ત ? જે અમૂર્ત હોય તો પછી આત્મા પિતે જ શા માટે દેહપરિસ્પન્દનું કારણ ન બને ? આત્મા પણ અમૂર્ત છે. અને જે અદષ્ટ કારણ મૂર્ત હોય તે પછી તે કામણ દેહ જ સંભવે, અન્ય નહિ. પણ તે કામણ શરીરમાં પણ જે પરિસ્પન્દ હોય તો જ તે બાહ્ય શરીરના પરિસ્પન્દમાં કારણ બની શકે, અન્યથા નહિ. એટલે પાછો પ્રશ્ન થાય કે તે. કામણ શરીરના પરિસ્પન્દમાં શું કારણ છે? અને જે એનું કારણ હોય તેમાં પણ પરિસ્પન્દનું કારણ કોઈ અન્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org