________________
૧૧૪]
(૧૮૧૩)
ગણધરવાદ
[ગણધર કરવામાં આવે ત્યારે પદાર્થ અનિત્ય કહેવાય છે અને દ્રવ્યની વિવક્ષા કરવામાં આવે ત્યારે તે નિત્ય કહેવાય છે.
મંઠિક–આત્મા જે સર્વગત નથી તે પછી મુક્તાત્મા ક્યાં રહે છે ? ભગવાન–હે સૌમ્ય! મુક્તાત્મા લેકના અગ્રભાગમાં વિરાજે છે.
મંડિક-મુક્ત જીવમાં વિહાગતિ નામ કર્મ તે છે નહિ તેથી લેકના અગ્ર ભાગમાં તે કેવી રીતે ગતિ કરે છે ?'
ભગવાન–જ્યારે જીવનાં બધાં કર્મો નષ્ટ થઈ જાય છે અને તે કર્મભારથી હળવે
બની જાય છે ત્યારે કર્મ વિના પણ તેના ઉદર્વગતિરૂપ સ્વાભાવિક લાગ્ર ભાગે પરિણામને કારણે જીવ એક જ સમયમાં ઊંચે લેકાન્ત સુધી પહોંચી મુકત રહે છે જાય છે. જીવને સકલ કર્મના વિનાશથી જેમ સિદ્ધત્વ પર્યાયનો
લાભ થાય છે તેમ ઉક્ત ઊધર્વગતિ પરિણામ પ્રાપ્ત થાય છે, તેથી તે એક જ સમયમાં લેકના અગ્રભાગમાં પહોંચી જાય છે.
વળી, મુક્ત જીવની ઊર્વગતિના સમર્થનમાં શાસ્ત્રમાં અનેક દષ્ટાને પણ આપવામાં આવે છે. તે આ પ્રમાણે– - - “અલાબ, એરંડબીજ, અગ્નિ, ધૂમ અને ધનુષ્યથી મુક્ત બાણમાં જેમ પૂર્વ પ્રગથી ગતિ થાય છે તેમ સિદ્ધની ગતિ સમજવી.”
“આ વસ્તુને સમજવા માટે શેડો ખુલાસો જરૂરી છે. અલાબુ-હૂંબડાને માટીના અનેક લેપ કરીને પાણીમાં ડૂબાડી દીધું હોય તો તે ક્રમશઃ લે ખસી જતાં જેમ પાણી ઉપર આવી જાય છે તેમ જીવ પણ કર્મલેપથી મુક્ત થઈને ઊર્વગતિ કરે છે. કેષમાં રહેલ એરંડબીજ કોષ તૂટી જતાં જેમ ઉપર ઊડે છે તેમ જીવ પણ કર્મકેષથી બહાર નીકળે છે ત્યારે સ્વાભાવિક રીતે ઉદર્વગમન કરે છે. જેમ અગ્નિ અને ધૂમ સ્વભાવે જ ઊંચે જાય છે તેમ જીવ પણ સ્વાભાવિક તથા ગતિ પરિણામથી ઊંચે ગમન કરે છે. અને ધનુષ્ય ખેંચીને બાણને છોડવાથી અગર કુંભારનું ચક્ર, તે જેમ પૂર્વપ્રગથી ગતિ કરે છે, તેમ જીવ પણ ઊર્ધ્વ ગતિ કરે છે.
(૧૯૪૪) મંડિક-શું અરૂપી પણ સક્રિય હોય ? આકાશાદિ અરૂપી પદાર્થો નિષ્કિય જ છે તે આપ આત્માને સક્રિય કેવી રીતે માનો છે ?
१. लाउ य एरंडफले अग्गी धूमा य इसु धळुविमुक्को ।
गइ पुव्वपओगेण एवं सिद्धाण वि गई उ॥"
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org