________________
બંધ-મેક્ષ ચર્ચા
[૧૧૩ પ્રકારે અતિપ્રસંગાદિ દે હોવાથી માત્ર જીવ-કર્મ પુદ્ગલનો સંગ જ કર્મબંધનું કારણ માની શકાય નહિ, પણ જીવના મિથ્યાત્વાદિ દોષો અને વેગને લઈને બંધ થાય છે.
(૧૮૬૦) મંડિક-સૌગતે માને છે કે આત્મા ફરી ફરી સંસારમાં આવે છે, તે આપને આ બાબતમાં શા મત છે ? ભગવાન–મુક્ત જીવ ફરીને સંસારમાં જન્મ લેતો નથી, કારણ કે તેના જન્મનું
કારણ છે જ નહિ. જેમ બીજના અભાવમાં અંકુરની ઉત્પત્તિ નથી મુક્ત ફરી સંસારમાં તેમ. જન્મનું બીજ જે કર્મ છે તે તો મુક્તાત્મામાં નથી, તેથી ન આવે જન્મ થતો ન હોવાથી તે સદા મુક્ત જ રહે છે. (૧૮૪૧) વળી મુક્તાત્મા નિત્ય છે, કારણ કે તે દ્રવ્ય છતાં અમૂર્ત છે, આકાશની જેમ. -
મંડિક–અમૂર્ત દ્રવ્ય હેવાથી આત્માને આપ આકાશની જેમ નિત્ય માને છે, તો તે જ હેતુથી તેને આકાશની જેમ સર્વવ્યાપી પણ માનવે જોઈએ. ભગવાન–આત્માને સર્વવ્યાપી માની શકાય નહિ, કારણ કે તેમાં અનુમાનથી
બાધા છે. તે આ પ્રમાણે–આત્મા અસવંગત છે, કારણ કે તે કર્તા આત્મા વ્યાપક નથી છે, કુલાલની જેમ. આત્મામાં કર્તવધર્મ અસિદ્ધ નથી. જે તે
કર્તા ન હોય તે ભોક્તા કે દ્રષ્ટા પણ ન બની શકે; માટે તેને કર્તા માન જોઈએ.
(૧૯૪૨) મંડિક–શું આપ આત્માને એકાન્ત નિત્ય માને છે? ભગવાન-નહિ. આ તે જે લેકો આત્માને બૌદ્ધોની જેમ એકાન્ત અનિત્ય
કહે છે તેમના નિરાકરણ માટે આત્માનું નિત્યત્વ સિદ્ધ કર્યું છે. આત્મા નિત્યાનિત્ય છે વસ્તુતઃ આમાના નિત્ય માટે અકાતિક આગ્રહ મને છે જ
નહિ, કારણ કે મારા મતે બધા પદાર્થો ઉત્પાદ-સ્થિતિ–ભંગ એ ત્રણે ધર્મોથી યુક્ત હોઈ નિત્યાનિત્ય છે. જ્યારે માત્ર પર્યાયની વિવેક્ષા હોય ત્યારે પદાર્થ અનિત્ય કહેવાય છે, અને દ્રવ્યની અપેક્ષાએ તે નિત્ય કહેવાય છે. જેમકે ઘટ વિશે કહેવાય કે માટીને પિંડ નાશ થાય છે અને માટીનો ઘટ ઉત્પન્ન થાય છે, પણ માટી તે કાયમ જ છે, તે જ પ્રમાણે મુકત વિશે કહી શકાય કે તે સંસારી આત્મારૂપે નષ્ટ થયે, મુકત આત્મારૂપે ઉપન્ન થયો, અને જીવવ-સપોગત્વાદિ ધર્મે કરીને જીવરૂપે તે કાયમ જ છે. તે જ પ્રકારે તે જ મુકત જીવ વિશે કહી શકાય કે તે પ્રથમ સમયના સિદ્ધરૂપે નષ્ટ થશે, દ્વિતીય સમયના સિદ્ધરૂપે ઉત્પન્ન થયો, પણ દ્રવ્યત્વ જીવત્રાદિ ધર્મે કરી અવસ્થિત જ છે એટલે જ્યારે પર્યાની વિવક્ષા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org