________________
૧૧૨] ગણધરવાદ
ગિણધર ઘડાને મુદ્ગરથી ફેડી નાખવામાં આવે તે આકાશમાં કશી જ નવી વિશેષતા નથી આવતી, તેમ કર્મને તપસ્યાદિ ઉપા વડે નષ્ટ કરવામાં આવે તે જીવમાં પણ કશું જ નવું ઉત્પન્ન થતું નથી; તો મોક્ષને એકાંતરૂપે કૃતક કેમ કહેવાય? - મંડિક-કર્મના વિનાશને આપ મોક્ષ કર્યો છે. જેમ મુદુગરથી ઘટને વિનાશ થાય છે તેથી વિનાશ કૃતક કહેવાય છે, તે જ પ્રમાણે તપસ્યાદિથી થતે કર્મવિનાશ પણ કૃતક જ છે અને તેથી મેક્ષ પણ કૃતક થયો, અને અનિત્ય પણ.
- ભગવાન-ઘટવિનાશ અને કર્મવિનાશને તું કૃતક કહે છે, પણ ઘટવિનાશ અને કર્મવિનાશ શું છે તે તું જાણતા નથી તેથી જ તેને કૃતક કહે છે. વસ્તુતઃ ઘટવિનાશ એ બીજું કાંઈ નથી પણ ઘટરહિત કેવળ આકાશ એ જ ઘટવિનાશ છે. આમાં આકાશ તે સદાવસ્થિત હેઈ નિત્ય જ છે તેથી તેને કૃતક કેવી રીતે કહી શકાય? મુગરે ઉપસ્થિત થઈને આકાશમાં તે કશું જ નવું કર્યું નથી, પછી શા માટે ઘટવિનાશરૂપ કેવલાકાશને કૃતક કહેવું ? તે જ પ્રકારે કર્મને વિનાશ એટલે બીજુ કાંઈ નહિ, પણ કમરહિત એ કેવલ આત્મા જ છે. અહીં તપસ્યાદિથી આત્મામાં કઈ જ નવું ઉત્પન્ન થતું નથી, કારણ કે આકાશની જેમ આત્મા સદા અવસ્થિત હાવાથી નિત્ય છે. એટલે મોક્ષને કૃતક કે અનિત્ય એકાંતરૂપ માની શકાય નહિ. અને મોક્ષને જે એકાંતરૂપે નહિ પણ કથંચિત અર્થાત પર્યાયષ્ટિથી કૃતક માનો હોય તો એમાં મને કાંઈ વાંધા જેવું નથી, કારણ કે હું માનું છું કે વિશ્વના બધા પદાર્થો દ્રવ્ય અને પર્યાય ઉભયની અપેક્ષાએ નિત્ય અને અનિત્ય છે. એટલે મક્ષ પણ નિત્ય તેમ જ અનિત્ય છે.
(૧૮૩૯) મંડિક–જેમ ઘડો ફૂટી જાય છતાં તેના કપાલ સાથે આકાશને સંગ બન્ય રહે છે, તેમ જીવે જે કર્મોની નિર્ધાર કરી દીધી હોય તે કર્મો અને જીવ એ બને લેકમાં જ રહે છે તેથી તેમને પણ સંગ કાયમ જ રહે છે–તે ફરી પણ જીવ કર્મને બંધ કેમ નથી થતો? ભગવાન–જેમ નિરપરાધીને કેદ નથી મળતી તેમ આત્મામાં પણ બંધકારણને
અભાવ હોવાથી તે ફરી બદ્ધ નથી થતું. મુક્ત જીવ અશરીર છે મેક્ષમાં જીવ-કર્મને તેથી કર્મબંધના કારણભૂત મન-વચન-કાયને યોગ ન હોવાથી સંયોગ છતાં તેને પુનઃ કર્મબંધને પ્રસંગ જ નથી. માત્ર કર્મ વર્ગણાના પદબંધ નથી ગલનો આત્મા સાથે સંગ હોય એટલા માત્રથી કર્મબંધ માની
શકાય નહિ, કારણ તેમ માનવા જતાં બધા જીવોને સમાનભાવે કર્મબંધ થ જોઈએ, કારણ કે કર્મવર્ગણાના પુદ્ગલે સર્વત્ર વિદ્યમાન છે. આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org