________________
૧૦૬] ગણધરવાદ
[ગણધર શરીરથી કર્મ ઉત્પન્ન થાય છે એટલે કે શરીરનું કાર્ય કર્મ છે, પણ જે શરીરે કર્મને ઉત્પન કર્યું તે શરીર પણ પૂર્વ કર્મનું કાર્ય છે, અર્થાત તે પણ કર્મથી જ ઉત્પન્ન થયેલું હોય છે; પણ પાછું જે કર્મો કર્મોત્પાદક શરીરને ઉત્પન્ન કર્યું તે કર્મ પણ પૂર્વ શરીરથી ઉત્પન્ન થયેલ હોય છે. આ પ્રમાણે કર્મ અને દેહ પરસ્પર કાર્ય–કારણ હવાથી બન્નેનાં સંતાન અનાદિ છે; તેથી કર્મને સંતાન પણ અનાદિ છે જ.
મંડિક–કર્મ સંતાન ભલે અનાદિ હોય, પણ અહીં તે જીવના બંધમાક્ષની ચર્ચા છે. તે ચર્ચા સાથે આ કર્મ સંતાનના અનાદિવને શો સંબંધ છે? - ભગવાન–સંબંધ છે જ, કારણ કે જે કર્મ કરાય છે તે જ તે બંધ છે;
એટલે જે કર્મ સંતાન અનાદિ હોય તે બંધ પણ અનાદિ સિદ્ધ જીવન બંધ થાય છે.
(૧૮૧૩-૧૪) મંડિક-કર્મસંતાન અનાદિ સિદ્ધ થવાથી બંધને સંભવ આપ કહે છે, પણ આપે તો શરીર અને કર્મમાં પરસ્પર કાર્ય-કારણભાવ સિદ્ધ કર્યું છે, તે તેમાં જીવને શા લેવાદેવા ? જેથી જીવ-કર્મને સંગ અનાદિ છે એમ કેમ કહેવાય? - ભગવાન–શરીર અને કર્મને કાર્યકારણભાવ ખરે; પણ જે કંઈ કર્તા ન હોય તે શરીર કે કમ બનેમાંથી એકે ઉત્પન્ન ન થાય. એટલે માનવું જોઈએ કે જીવ એ કર્મ દ્વારા શરીરને ઉત્પન્ન કરે છે તેથી તે શરીરનો કર્તા છે. અને જીવ એ શરીર દ્વારા કર્મને ઉત્પન્ન કરે છે તેથી તે કર્મને પણ કર્તા છે; જેમ દંડ દ્વારા ઘટને ઉત્પન્ન કરનાર કુંભાર ઘટને કર્તા કહેવાય છે. આથી જે શરીર અને કર્મને સંતાન અનાદિ હોય તે જીવને પણ અનાદિ માનવે જોઈએ અને તેને બંધ પણ અનાદિ માન
(૧૮૧૫) મંડિક–પણ કમ તે અતીન્દ્રિય હોવાથી અસિદ્ધ છે તો તેને આપ કારણ કે કહી શકે? ભગવાન-કર્મ ભલેને અતીન્દ્રિય હોય, પણ અસિદ્ધ તે નથી જ, કારણ કે
તેની સિદ્ધિ કાર્ય દ્વારા થાય જ છે. તે આ પ્રમાણે—શરીર આદિની કર્મસિદ્ધિ ઉત્પત્તિમાં કાંઈ કરણ લેવું જોઈએ, કારણ કે તે ઘટાદિની જેમ
કાર્ય છે. ઘટાદિ કાર્ય હોવાથી તે જેમ દંડાદિ કરણ વિના ઉત્પન્ન નથી થતું તેમ શરીર કાર્ય હોવાથી કારણ વિના ઉત્પન્ન થાય નહિ. શરીરકાર્યમાં જે કરણ છે તે જ કર્મ કહેવાય છે.
અથવા, જીવ અને શરીર એ બન્નેને કઈ કરણને સંબંધ હોવો જ જોઈએ, કારણ કે તેમાં એક કર્તા છે અને બીજું કાર્ય છે. જેમ કુંભકાર અને ઘટ એ બન્ને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org