SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૦૫ મંતિક] બંધ-એક્ષ ચર્ચા (૩) અને જવ તથા કર્મ જે બને યુગપદત્પન્ન હોય તો તેમાં જીવને કર્તા અને કર્મને તેનું કાર્ય કહી શકાય નહિ. લોકમાં એક જ સાથે જીવ-કર્મ યુગ૫૮ ઉત્પન્ન થનારાં ગાયનાં શીંગડાંમાં જેમ એકને કર્તા અને બીજાને ઉત્પન્ન નથી કાર્ય નથી કહેવાતું, તેમ જીવ અને કર્મ પણ જે એક સાથે જ ઉત્પન્ન થતાં હોય તો તેમાં પણ કર્તા-કાર્ચનો વ્યપદેશ–વ્યવહાર ઘટી શક્તો નથી. આ પ્રકારે જીવ-કર્મને સંગ સાદિ માનવામાં તારે મતે અનુપપત્તિ છે. (૧૮૦૯-૧૦) અને જીવ–કર્મને અનાદિ સંબંધ પણ તને અયુક્ત જણાય છે, કારણ કે જે તેને અનાદિ માનવામાં આવે તે જીવને કદી મોક્ષ જ સંભવે નહિ. જે વસ્તુ અનાદિ હોય છે અનંત પણ હોય છે. જેમ જીવ અને આકાશને સંબંધ અનાદિ છે તે તે અનંત પણ છે, તેમ જે જીવ–કમને સંબંધ અનાદિ હોય તો તે અનંત પણ હવે જોઈએ. અને જે અનંત હોય તે જીવને કદી મોક્ષ થશે જ નહિ, કારણ કે સદા કર્મસંગ રહેશે. (૧૮૧૧) આ પ્રમાણે પૂર્વોક્ત વેદવાક્ય ઉપરાંત યુક્તિપૂર્વક તું માને છે કે બંધ અને મક્ષ જીવમાં ઘટી શકતા નથી, પણ વેદવાક્યમાં તે બંધ-મેક્ષના અસ્તિત્વનું પ્રતિપાદન છે તેથી તેને રાંશય છે કે બંધ-મક્ષ વસ્તુતઃ છે કે નહિ. પણ આ સંશય તારે કરવો ન જોઈએ. તેનું કારણ હું તને બતાવું છું તે તું ધ્યાન દઈને સાંભળ. (૧૮૧૨) મંડિક-કૃપા કરી મારા સંશયનું નિવારણ કરો અને બતાવો કે મારી યુક્તિમાં શે દેષ છે અને જીવના બંધ-મક્ષ કેવી રીતે સંભવે છે. ભગવાન–તે બતાવેલ યુક્તિને સાર એ કે જીવ-કર્મને સંબંધ ઘટી શકતે નથી. આ બાબતમાં ખુલાસો એ છે કે શરીર અને કર્મને સંતાન સંશનિવારણ– અનાદિ છે, કારણ કે તે બનેમાં પરસ્પર કાર્યકારણભાવ છે, બીજ કર્મસંતાન –અંકુરની જેમ. જેમ બીજથી અંકુર અને અંકુરથી બીજ થાય અનાદિ છે છે, આ ક્રમ અનાદિ કાળથી ચાલે છે માટે બીજ અને અંકુરને સંતાન અનાદિ છે, તે જ પ્રમાણે દેહથી કર્મની અને કર્મથી દેહની ઉત્પત્તિને ક્રમ અનાદિ કાલથી ચાલ્યો આવે છે, માટે તે બનેને સંતાન પણ અનાદિ છે. એટલે તું જે એમ વિકલપ કરે છે કે કર્મ પહેલું કે જીવ પહેલે, એ વિકપોને અવકાશ જ નથી રહેતું, કારણ કે તેમને સંતાન અનાદિ છે. તેમાં કમને સંતાન અનાદિ છે તે આ પ્રમાણે સિદ્ધ થાય છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005245
Book TitleGandharwad
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherB J Institute
Publication Year1985
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy