SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૪] ગણધરવાદ [ગણધર તું એમ વિચારે છે કે જીવન કર્મની સાથે સંગ એ જ જે બંધ હોય તે તે બંધ સાદિ છે કે અનાદિ ? જે તે સાદિ હોય તે પ્રશ્ન છે કે (૧) પ્રથમ જીવ અને પછી કર્મ ઉત્પન થાય છે ? (૨) પ્રથમ કર્મ અને પછી જીવ ઉત્પન્ન થાય છે? કે (૩) તે બન્ને સાથે જ ઉત્પન્ન થાય છે? (૧૮૦૫) આ પ્રમાણે સાદિ બંધ વિશે ત્રણ વિકલપ કરીને ઉક્ત ત્રણે પ્રકારે બંધ ઘટી શકતો નથી, તેમાં તુ યુક્તિ આપે છે કે – પ્રથમ જીવ પછી (૧) કર્મથી પહેલાં આત્માની ઉત્પત્તિ ઘટી શકતી નથી, કારણ કે કર્મ એમ નથી ખરચુંગની જેમ તેનું કોઈ કારણ નથી. આત્માની ઉત્પત્તિ નિહેતુક જે માનવામાં આવે તે તેને વિનાશ પણ નિર્દેતુક માનવો જોઈએ. (૧૮૦૬) આમાં કઈ કહે કે જીવ તે અનાદિસિદ્ધ છે તેથી તે વિશે ઉત્પત્તિને વિચાર જ અસ્થાને છે, તો તેનું સમાધાન તું કરે છે કે જીવ છે અને દિસિદ્ધ હોય તે પછી તેનો કર્મ સાથેને સંગ થાય નહિ, કારણ કે તેનું કશું જ કારણ નથી. અને જે કારણ વિના પણ જીવને કર્મ સંગ માનવામાં આવે તે પછી મુક્ત જીવને પણ તે ફરી થ જોઈએ, કારણ કે તેમાં પણ કશું જ કારણ નથી. અને જે મુક્ત પણ ફરી બંધને પ્રાપ્ત થતું હોય તે લકે એવી મુક્તિમાં શા માટે શ્રદ્ધા રાખે? માટે જીવમાં અહેતુક બંધ તે માની શકાય નહિ. (૧૮૦૭) અને આથી જે જીવને બંધ જ ન માનવામાં આવે તો તે નિત્યમુક્ત જ કહેવાય. અથવા તે જે બંધ જ ન હોય તો મુક્ત પણ તેને કેવી રીતે કહેવાય ? કારણ કે બંધસાપેક્ષ જ મેક્ષવ્યવહાર છે. જેમ આકાશમાં બંધ નથી તે મોક્ષ પણ નથી, તેમ જીવમાં પણ જે બંધ ન હોય તે મોક્ષ પણ ન જ હોય. આ પ્રકારે જીવને કર્મથી પહેલાં માનવામાં બંધ-મોક્ષવ્યવસ્થા નથી ઘટતી એમ તું માને છે. (૧૮૦૮) પ્રથમ કર્મ પછી (૨) જીવથી પહેલાં કર્મની ઉત્પત્તિ પણ સંભવતી નથી એમ તું જીવ એમ નથી માને છે, કારણ કે જીવ તો કર્મનો કર્તા મનાય છે. હવે જે કર્તા ન હોય તે કર્મ કેવી રીતે થાય ? અને જીવની જેમ કર્મની નિર્દેતુક ઉત્પત્તિ પણ સંભવતી નથી. અને જે કર્મની ઉત્પત્તિમાં કઈ પણ કારણ ન હોય છતાં તે ઉત્પન્ન થતું હોય તે તેને વિનાશ પણ નિર્દેતુક જ માનવો જોઈએ. ઉત્પત્તિ કે વિનાશ એ નિહેતુક તો હોઈ શકે નહિ; માટે કર્મને જીવથી પહેલાં માની શકાય નહિ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005245
Book TitleGandharwad
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherB J Institute
Publication Year1985
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy