________________
છઠ્ઠા ગણધર મંડિક
બંધ-મોક્ષ ચર્ચા તે બધાને દીક્ષિત થયેલા જાણીને મંડિકે વિચાર્યું કે હું ભગવાન પાસે જઈને તેમને વંદના કરું અને તેમની સેવા કરું. એમ વિચારી તે ભગવાન પાસે ગયે.
(૧૮૦૨)
જાતિ–જરા-મરણથી મુક્ત એવા ભગવાન સર્વજ્ઞ-સર્વદશી હતા તેથી તેમણે તેને “મંડિક વસિષ્ઠ” એમ બેલા.
(૧૮૦૩)
અને તેને કહ્યું કે વેદમાં “a gષ વિગુ વિમુર્ન તે સંસરત વાં, ન મુ તે મેયર
વ, ન ષ વૈઘમચત્તર વા વેઢ ” એવું એક વાક્ય છે, તેથી તેને બંધ-મોક્ષને એમ લાગે છે કે જીવને બંધ અને મોક્ષ નથી. પણ બીજુ' એક સંશય વાક્ય–“ન, ઇ પૈ સારીરથ ત્રિવિરતિરસ્ત, સારં વા વસન્ત
પ્રિયાવિશે જ સ્થાત:” આવું પણ મળે છે, તેથી તેને લાગે છે કે જીવ સશરીર અને અશરીર એવી બે અવસ્થાને પામે છે, એટલે કે જીવને બંધ અને મેક્ષ છે. આમ પરસ્પર વિરોધી અર્થનું કથન કરનારાં વેદનાં વાક્યો હોવાથી તેને મનમાં સંદેહ છે કે જીવને ખરેખર બંધ-મોક્ષ હશે કે નહિ !
પણ તું ઉક્ત વાક્યોનો યથાવત્ અર્થ જાણતું નથી, તેથી જ તને એવો સંદેહ છે. હું તને તેને યથાસ્થિત અર્થ સમજાવીશ.
(૧૮૦૪)
વળી, તું યુક્તિથી પણ બંધ-મોક્ષને અભાવ સિદ્ધ કરે છે, પણ વેદમાં તેને સદ્ભાવ બતાવ્યો છે તેથી પણ તેને સંદેહ થાય છે કે બંધ–મોક્ષ હશે કે નહિ ? બંધ-મોક્ષના વિરોધમાં તારી યુક્તિ આ પ્રમાણે છે –
૧. અર્થાત એ આત્મા સત્ત્વાદિ ગુણરહિત વિભુ છે. તેને પુણ્ય પાપને બંધ નથી અથવા સંસાર નથી. તે કર્મથી મુક્ત થતો નથી, કર્મને મુક્ત કરતો નથી; અર્થાત તે અકર્તા છે. તે બાહ્ય કે અત્યંતર કશું જ જાણતા નથી, કારણ કે જ્ઞાન એ પ્રકૃતિધર્મ છે.
૨. અર્થાત સશરીર છવને પ્રિય અને અપ્રિયને અર્થાત સુખ અને દુઃખને નાશ થતો નથી; પણ અશરીર– અમૂર્ત જીવ હોય છે ત્યારે તેને પ્રિય અને અપ્રિયને સ્પર્શ પણ હોતું નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org