________________
૧૦૨] ગણધરવાદ
[ગણધર વિનયી, દયાળુ અને અમત્સરી હોય તે મનુષ્યનામકર્મ અને મનુષ્યગોત્રકને બંધ કરે છે અને પછી તે મરીને તે કર્મને કારણે મનુષ્યરૂપે ફરી ઉત્પન્ન થાય છે. બધા મનુષે કાંઈ ઉક્ત કર્મોને બંધ કરતા નથી, તેથી બીજા અન્ય પ્રકારના કર્મબંધને કારણે અન્યાન્ય નિમાં જન્મ લે છે. એ જ પ્રમાણે આ ભવમાં જે પશુએ માયાને કારણે પશુનામકર્મ અને પશુગોત્રકર્મનું ઉપાર્જન કર્યું હોય છે તે જ પરભવમાં ફરી પા' પશરૂપે ઉત્પન્ન થાય છે. બધાં પશુઓ કાંઈ ઉક્ત કર્મનો બંધ નથી કરતાં; તેથી બધાં પશુરૂપે અવતરતાં નથી. આ પ્રકારે જીવની ગતિ કર્માનુસારી છે. (૧૮૦૦)
આ પ્રકારે જરા-મરણથી રહિત એવા ભગવાને જ્યારે તેના સંશયનું નિવારણ કર્યું ત્યારે સુધર્માએ પોતાના ૫૦૦ શિષ્યો સાથે જિનદીક્ષા અંગીકાર કરી. (૧૮૦૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org