SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ સુધર્મા આ ભવ અને પરભવન સાદયની ચર્ચા [૧૦૧ અન્વય છે એમ પ્રતિપાદન કરવું ઈષ્ટ છે. અર્થાત જાતિ બદલાતી નથી, એટલું જ મારું તાત્પર્ય છે. ભગવાન પણ જે તું પરભવને કર્મજન્ય માનતે હોય તે કર્મના હેતુ વિચિત્ર હોવાથી કર્મને પણ વિચિત્ર માનવું જ પડે અને કર્મના ફલને પરભવમાં તે જ પણ વિચિત્ર માનવું જ પડે અને તેથી તે જ જાતિનો અન્વય જાતિ નથી પરભવમાં પણ રહે છે તેમ કહી શકાય નહિ. (૧૭૯૮) વળી, જાતિ જે સમાન જ રહેતી હોય તે સમાન જાતિમાં પણ જે ઉત્કર્ષ– અપકર્ષ દેખાય છે તે તો ઘટે નહિ. જે આ ભવે સંપત્તિશાળી પુરુષ હોય તે પરભવમાં પણ તે જ રહે જોઈ એ, અને જે આ ભવે દરિદ્ર હોય તે પરભવે પણ દરિદ્ર રહેવો જોઈએ. આ પ્રમાણે પરભવમાં ઉત્કર્ષ અને અપકર્ષને અવકાશ ન રહેવું જોઈએ. અને જો આવું જ બનતું હોય તો દાનાદિ ફલ વૃથા થાય. અર્થાત દાનાદિને નિષ્ફળ જ માનવાં પડશે. પણ દાનાદિ નિષ્ફલ તો માની શકાય નહિ, કારણ કે પરલોકમાં મને દેવની સમૃદ્ધિ મળે તે મારો ઉત્કર્ષ થાય એવી ભાવનાથી જ લેકે દાનાદિ સત્કાર્યમાં પ્રવૃત્ત થાય છે. જે સત્કાર્યોનું કાંઈ ફળ હોય જ નહિ તો લેક દાનાદિમાં પ્રવૃત્તિ શા માટે કરે ? (૧૭૯) વળી, જાતિસાદસ્યને એકાંતઆગ્રહ રાખવામાં આવે તે વેદમાં જે એમ કહ્યું છે કે “ જૈ શુષ જ્ઞાતે યઃ પુરી રહ્યતે ” “જેને મળમૂત્ર , વેદવાક્યોને સાથે બાળવામાં આવે છે તે શુગાલ થાય છે” તેનો વિરોધ થઈ સમન્વય જાય છે. ઉક્ત વેદવાક્યથી તે એમ સિદ્ધ થાય છે કે પુરુષ મરીને શુગાલ થઈ શકે છે. વળી “મિત્ર ગુહુયાત વામ: l” સ્વર્ગની ઇચ્છાવાળો અગ્નિહોત્ર કરે” અને “બ્રિક્ટમેન મયમિઝથતિ ” અર્થાત્ “અગ્નિઝેમથી યમરાજ્યને જીતે છે,” ઈત્યાદિ વાક્યોમાં મનુષ્યને સ્વર્ગ મળવાની અને દેવ થવાની વાત આવે છે તેને પણ વિરોધ થઈ જશે. એટલે પરલેકમાં જાતિસાદશ્યનો આગ્રહ રાખે જોઈ એ નહિ. સુધર્મા–તો પછી વેદમાં એમ શા માટે કહ્યું કે “જુ વૈ પુરુષવૈમનુત્તે પરાઃ જીવ” –અર્થાત્ “પુરુષ મરીને પુરુષ થાય છે અને પશુઓ મરીને પશુ થાય છે” ઈત્યાદિ ? ભગવાન-એ વાક્યને સાચો અર્થ તું જાણતો નથી એથી જ તને સંશય થાય છે. તેને અર્થ આ પ્રમાણે છે—જે માણસ આ ભવમાં ભદ્રપ્રકૃતિને હોય, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005245
Book TitleGandharwad
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherB J Institute
Publication Year1985
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy