________________
મઠકો બંધ-મેક્ષ ચર્ચા
[૧૦૭ કર્તા-કાર્ય છે તે દંડ તેમનું કારણ છે, તેમ આતમા અને શરીર કર્તા અને કાર્યરૂપ હોવાથી કર્મરૂપ કરણ માનવું જોઈએ.
વળી, ચેતનની કૃષિઆદિ ક્રિયા જેમ સફલ છે તેમ દાનાદિાક્રયા પણ સફલ હેવી જોઈએ અને તેનું જે ફલ છે તે કર્મ છે, ઈત્યાદિ ચર્ચા અગ્નિભૂતિની સાથે કરી જ છે અને તેણે જેમ કર્મનું અસ્તિત્વ સ્વીકાર્યું છે તેમ તારે પણ સ્વીકારવું જ જોઈએ.
(૧૮૧૬) વળી, તે જે એમ કહ્યું કે જે અનાદિ હોય તે અનંત પણ હોવું જોઈએ?
તે બરાબર નથી. એટલે “સંતાન અનાદિ છે તેથી તે અનંત પણ અનાદિ છતાં હવે જોઈએ” એમ કહી ન શકાય, કારણ કે બીજ-અંકુરનો સાંત બંધ સંતાન અનાદિ છતાં તેને અંત થઈ જાય છે તેમ કર્મસંતાન અનાદિ છતાં તેને નાશ થઈ શકે છે.
(૧૮૧૭) મંડિક-તે કેવી રીતે ?
ભગવાન-બીજ અને અંકુરમાંથી ગમે તે એકને પોતાના કાર્યને ઉત્પન્ન કર્યા પહેલાં જ જે નાશ થઈ જાય તે બીજ અંકુરના સંતાનને અંત આવી જાય છે. અને તે જ પ્રમાણે કૂકડી અને ઈડાં વિશે પણ કહી શકાય કે કૂકડી અને ઈડાનો પણ સંતાન અનાદિ કાળથી હોવા છતાં જ્યારે તે બેમાંથી એક પિતાના કાર્યને ઉત્પન્ન કર્યા પહેલાં જ જે નષ્ટ થઈ જાય છે તો તેમના સંતાનનો પણ અંત આવે છે.
(૧૮૧૮) વળી, સોનું અને માટીને સંગ અનાદિસંતતિગત હોવા છતાં અગ્નિતાપાદિથી તે સંગને નાશ થાય છે, તે જ પ્રકારે જીવ અને કર્મને સંયોગ પણ અનાદિસંતતિગત હોવા છતાં સમ્યગૂશ્રદ્ધાદિ રત્નત્રય વડે કરીને તેને નાશ કરી શકાય છે.
(૧૮૧૯) મંડિક-શું જવ અને કર્મનો સંગ જીવ અને આકાશના સંગની જેમ અનાદિ-અનંત છે કે સોનું અને માટીના જેવા અનાદિ-સાંત છે ?
ભગવાન-જીવમાં બને જાતના સંબંધે ઘટી શકે એમાં કશે જ વિરોધ જીવકર્મનો સંગ નથી.
(૧૯૨૦) અનાદિ સાંત અને અનાદિ અનંત
મંડિક–એમ કેમ બને? એ બને સંબંધ તે પરસ્પર વિરુદ્ધ છે; તેથી જીવમાં જે અનાદિ અનંત સંબંધ હોય તો અનાદિ સાંત સંબંધ ન હોવું જોઈએ અને અનાદિ-સાંત હોય તે અનાદિઅનંત ન હૈ જોઈએ. અને સંબંધ તે એકત્ર સંભવે નહિ, કારણ કે વિરોધ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org