SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧ ગણધરકૃત છે. આ પરંપરા ટીકાકારેને માન્ય છે અને તે આવશ્યક નિર્યુક્તિ જેટલી જૂની છે જ, સ્વયં ભદ્રબાહુ કહે છે કે હું પરંપરા પ્રમાણે સામાયિક વિશે વિવરણ કરું છું. એટલે એમ માની શકાય કે આચાર્ય ભદ્રબાહુની પણ પહેલાં કયારેક એ માન્યતા શરૂ થઈ ગઈ હતી કે માત્ર અંગ જ નહિ, પણ અંગબાહ્ય ગ્રંથેમાંથી સામાયિકાદિ અવશ્યકનાં અધ્યયને પણ. ગણધરકૃત છે. પણ આ માન્યતા અહીં જ ન અટકતાં, બધા જ અંગબાહ્ય આગમ ગ્રંથ ગણધરકત છે, એમ ધીરે ધીરે મનાવા લાગ્યું. તેને પુરા દિગબર માંથી પણ આપણને મળે છે. અને તે એ કે દિગંબર આચાર્ય જિનસેન (વિ. ૮૪૦) પિતાના હરિવંશ પુરાણમાં એ જ મતને અનુસરે છે. તેઓ જણાવે છે કે ભગવાન મહાવીરે પ્રથમ બાર અંગનો અર્થતઃ ઉપદેશ આપ્યો, એ પછી ગૌતમ ગણધરે ઉપાંગ સહિત દ્વાદશાંગીની રચના કરી જે કે નંદી-મૂળમાં એક ઠેકાણે દ્વાદશાંગીને જ જિનપ્રણીત કહી છે, છતાં તેની સાથે ચૂર્ણિકાર અંગબાધને પણ ઉમેરવાની સૂચના આપે છે તે બતાવે છે કે ચૂર્ણિકાર સામે અંગબાહ્યને પણ ગણુધકૃત માનવાની પરંપરા પ્રચલિત થઈ ગઈ હતી. તેથી જ તેઓ અન્યત્ર મૂળમાં જ્યાં અંગ-અંગબાહ્ય બનેની ગણતરી છે ત્યાં બને માટે તેઓ જણાવે છે કે, તે બને અરિહંતના ઉપદેશાનુસારી છે. આચાર્ય હરિભદ્રને પણ નંદી-ટીકામાં ચૂણિનું અનુસરણ કરવું પડયું. જે કે ચૂર્ણિકાર હરિભદ્ર બને “અથવા’ કહીને તે મતની વિરૂદ્ધ જે માન્યતા પ્રચલિત હતી તેની નોંધ લેવાનું ચૂકતા નથી કે ગણધરકૃતિ દ્વાદશાંગી છે અને સ્થવિરકૃત અંગબાહ્ય છે." અંગબાહ્ય આગમ ગણધરકૃત છે એ માન્યતા એટલેથી જ અટકી નથી, પણ જૈન પુરાણકારોએ પિતાનાં પુરાવાનું પ્રામાણ્ય સિદ્ધ કરવા ખાતર ઉદ્દઘાતમાં સ્પષ્ટ કરવાનું ઉચિત ધાર્યું છે કે, એ પુરાણ પણ મૂળે તો ગણધરકૃત છે અને અમને તે વસ્તુ પરંપરાથી પ્રાપ્ત થઈ તેના આધારે પુરાણની રચના કરવામાં આવી છે. આ રીતે માત્ર બાર અંગ ગણધરકૃત મનાતાં તેને સ્થાને અંગબાહ્ય ઉપરાંત પુરા ૫ ગણધરકૃત મનાવા લાગ્યા. આટલી ચર્ચાને પ્રસ્તુતપગી સાર એ છે કે પ્રાચીન માન્યતા પ્રમાણે આવશ્યક એ અંગબાહ્ય હાવાથી, ગણધરકત મનાતું નહિ, પણ પછીથી તેને ૫ણું આચાર્યો ગણધકૃત માનવા લાગ્યા. વળી, એમ પણ કહેવું જોઈએ કે અંગબાહ્ય ગ્રંથોમાંથી પ્રથમ આવસ્યકને જ ગણધરકૃત માનવાની પરંપરા શરૂ થઈ અને ત્યાર પછી જ બીજાં અંગબાહ્યોને પણ ગણધરકૃતિમાં સમાવેશ કરવામાં આવ્યો. હવે પ્રશ્ન એ થાય છે આમ શા માટે કરવું પડયું ? આને સીધે ઉત્તર તો એ જ હોઈ શકે કે ગણધર વિશેષ બુદ્ધિવાળા મનાતા હતા અને તેમણે ભગવાનને ઉપદેશ સાક્ષાત્ પ્રહણ કર્યો હતો, 1. હરિવંશપુરાણ ૨. ૯૨–૧૦૫ ૨, હરિવંશપુરાણુ ૨. ૨૧૧ ૩, પૃ ૩૮ ૪, પૃ. ૪૭ ૫. પૃ. ૮૨, ૮૯-૯૦ ૬. પદ્મચરિત ૧. ૪૧, ૪૨, મહાપુરાણું (આદિપુરાણુ) ૧, ૨૬, ૧. ૧૯૮-૨૦૧ ૭. અંગબાઘની જે જદી જદી વ્યાખ્યાઓ ઉપર નોંધવામાં આવી છે તેનાં કારણેને વિચાર કરતાં એક કારણ તરીકે એમ લાગે છે કે શ્વેતાંબર અને દિગંબર પરંપરા તેમજ તેમને સાહિત્ય વિષે જેમ જેમ મતભેદ તીવ્રતમ થતો ચાલે તેમ તેમ અંગબાહ્યને ગણધરકૃત માનવા-મનાવવાની વૃત્તિ સબળ થતી ગઈ અને પુરાણા જેવા ગ્રંથને પણ ગણધરકત કૃતિઓમાં સમાવેશ તે ગયે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005245
Book TitleGandharwad
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherB J Institute
Publication Year1985
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy