________________
વ્યકત]
શૂન્યવાદનિરાસ વ્યક્ત-જલને સચેતન કેવી સિદ્ધ કરો છો ?
ભગવાન-જમીન ખેદવાથી જમીનથી સજાતીય એવું સ્વાભાવિક રીતે પાણી નીકળતું હોવાથી તે દેડકાની જેમ સજીવ છે, અથવા માછલાની જેમ વાદળમાંથી પડતું હોવાથી આકાશમાંનું પાણી એ સજીવ છે.
(૧૭૫૭) વ્યકત-વાયુની સજીવતા કેમ માનવી ?
ભગવાન–જેમ ગાય બીજાની પ્રેરણા વિના અનિયમિતરૂપે તિર્યક્રગમન કરે છે તેમ વાયુ પણ ગતિ કરતો હોવાથી સજીવ છે.
વ્યકત-અને અગ્નિની સજીવતા કેવી રીતે છે?
ભગવાન–જેમ મનુષ્યમાં આહારાદિથી વૃદ્ધિ અને વિકાર દેખાય છે તેમ અગ્નિમાં પણ કાષ્ઠના આહારથી વૃદ્ધિ અને વિકાર દેખાય છે, તેથી તે મનુષ્યની જેમ સજીવ છે.
(૧૭૫૮) પૃથ્વી આદિ ચારે ભૂતે જીવે ઉત્પન્ન કરેલાં અને જીવના આધારભૂત એવાં શરીર છે, કારણ કે તે અવિકારથી ભિન્ન એવાં મૂર્ત જાતિનાં દ્રવ્યો છે; જેમ ગાય વગેરેનું શરીર. એ શરીરે જ્યાં સુધી શસ્ત્રો પહત ન હોય ત્યાંસુધી સજીવ છે અને શસ્ત્રો પહત થયા પછી નિર્જીવ હોય છે.
(૧૭૫૯). વળી, હે સૌમ્ય ! પૃથ્વી આદિ એકેન્દ્રિય જી જે સંસારમાં ન હોય તે સંસારને વિછેદ થઈ જાય, કારણ કે સંસારમાંથી ઘણું જીવો મોક્ષમાં જતાં રહે છે અને નવા છે તે ઉત્પન્ન થતા જ નથી અને લેક પણ બહુ જ પરિમિત છે તેથી તેમાં સ્કૂલ જીવ તો થોડા જ રહી શકે, અથિી સંસાર જીવરહિત થઈ જાય. પણ સંસાર જીવરહિત થઈ જાય છે એમ તો કઈ માનતું નથીમાટે પાર્થિવાદિ એકેન્દ્રિય જીવોની અનંત સંખ્યા માનવી જોઈએ. એ જીવ ભૂતોને પોતાના આધારરૂપ શરીર બનાવીને તેમાં ઉત્પન્ન થાય છે.
(૧૭૬૦–૧૭૬૧) વ્યક્ત–પણ જે પૃથ્વી આદિ ભૂતોમાં આપના કહ્યા પ્રમાણે અનંત જીવો હોય તો તે સાધુને પણ આહારાદિ લેવાથી તે અનંત જીવોની હિંસાને દેષ લાગે અને તેથી તે અહિંસાને અભાવ જ થઈ જાય.
ભગવાન--અહિંસાનો અભાવ ન થાય કારણ કે મેં પ્રથમ જ કહ્યું છે કે ભૂતો સજીવ હાય શસ્ત્રો પહત પૃથ્વી આદિ ભૂતમાં જીવ હોતો નથી; તે બધાં તોપણ અહિંસાને ભૂત નિજીવ છે.
સદ્દભાવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org