SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૦] ગણધરવાદ વ્યકત—પૃથ્વી સચેતન છે તેમાં શે હેતુ છે? ભગવાન—સાંભળ; પૃથ્વી સચેતન છે, કારણ કે તેમાં સ્રીમાં દેખાય છે તેવાં જન્મ --જરા-જીવન-મરણ-ક્ષતસ`રાહણુ-આહાર-દોહદ-રાગ-ચિકિત્સા ઇત્યાદિ લક્ષણા છે. [ગણધર વ્યકત—અચેતનમાં પણ જન્મ વગેરે દેખાય છે; જેમ દહીં ઉત્પન્ન થયું, જીવિત વિષ, મુડદાલ કસુ'એ એવા પ્રયાગથી દહી. વગેરેમાં પણ જન્માર્ત્તિ છે જ છતાં તે સજીવ નથી. ભગવાન—દહી' વગેરે અચેતન વસ્તુમાં એવા પ્રયાગ ઔપચારિક છે, કારણ કે તેમાં જરાદિ બધા ધમેર્માં મનુષ્ણેાના જેવા દેખાતા નથી, જ્યારે વૃક્ષામાં તે તે જન્માર્દિ બધા ભાવે નિરુપચરિત છે, તેથી તેને સચેતન માનવાં જોઈએ. વળી, વનસ્પતિમાં તન્યસાધક ખીજા પણ હેતુએ છે. સૃષ્ટપ્રêાદિકા (લજામણી) વનસ્પતિ ક્ષુદ્ર જં તુની જેમ સ્પર્શ માત્રથી સંકાચ પામે છે. વળી લતા પેાતાને આશ્રય મેળવવા મનુષ્યની જેમ વૃક્ષ પ્રતિ સંચરે છે. શમી આદિમાં નિદ્રા, પ્રોાધ, સ`કાચ આદિ જીવનાં લક્ષણા માનવામાં આવ્યાં છે. વળી અકુલ અમુક કાલમાં શબ્દના, અશાક વૃક્ષ રૂપના, કુરખક ગન્ધના, વિરહક રસના અને ચ'પક-તિલક આદિ સ્પર્શીને ઉપભેગ કરે છે એ સિદ્ધ છે. (૧૯૫૪-૫૫) વળી, મનુષ્યઆદિ જીવામાં જેમ હરસના માંસના અંકુર ફૂટે છે, અર્થાત્ એક વાર હરસ કપાયા પછી પણ ફરી તેના માંસના અંકુર ઉદ્ભવે છે, તેમ વૃક્ષ સમૂહ વિષ્રમ-પ્રવાલ લવણુ અને ઉપલમાં પણ જ્યાંસુધી તે સ્વાશ્રય સ્થાનમાં હોય છે ત્યાંસુધી એક વાર છિન્ન થયા પછી પણ તેમાં સ્વજાતીય અકુર ફૂટે છે, અને તે વૃદ્ધિને પામે છે, માટે તેમાં જીવ છે, વ્યક્ત–પૃથ્વીઆદિ ભૂતાને સચેતન સિદ્ધ કરવાના પ્રસ`ગ છે તેમાં પ્રથમ પૃથ્વીને જ સજીવ સિદ્ધ કરવી જોઈતી હતી. તેને બદલે પ્રથમ વૃક્ષામાં અને પછી જ વિક્રમ —પ્રવાલ લવણાદ્વિરૂપ પૃથ્વીમાં સજીવતા સિદ્ધ કરી તેનું શું કારણ ? ભગવાન—વનસ્પતિ એ લૌકિક પ્રસિદ્ધિ પ્રમાણે પૃથ્વી ભૂતને જ વિકાર હાવાથી તેના સમાવેશ પૃથ્વી ભૂતમાં છે. તે સ્વતંત્ર ભૂત નથી તેથી અને વનસ્પતિમાં જેવાં સ્પષ્ટ ચૈતન્ય લક્ષણા દેખાય છે તેવાં વિક્રમ વગેરેમાં દેખાતાં પણ નથી તેથી વૃક્ષામાં જ પ્રશ્ન સજીવતા સિદ્ધ કરી છે, (૧૯૫૬) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005245
Book TitleGandharwad
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherB J Institute
Publication Year1985
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy