________________
૮
ગણધરવાદ
[ગણધર અને પર અને મધ્યભાગ ન હોય તે અગ્રભાગ પણ કયાંથી હોય? કારણ કે તે અગ્રભાગ પણ પર-મધ્યભાગની અપેક્ષાએ છે. આમ સર્વશૂન્યતા સિદ્ધ થાય છે.
ભગવાન–જુદી જુદી ઈન્દ્રિયોને જે વિષય બને છે તે અર્થ પ્રત્યક્ષ કહેવાય છે. એટલે જ્યારે તું “અપ્રત્યક્ષ છે એમ કહે છે ત્યારે ઈન્દ્રિયો અને અર્થ એટલું તે ઓછામાં ઓછું તારે વિદ્યમાન છે એમ તે માનવું જ જોઈએ, કારણ કે વિદ્યમાનનો જ નિષેધ થાય છે. અને તે સ્વીકારવામાં તો શન્યતાની હાનિ થાય છે, એટલે કદાચ તું તે બને-ઈન્દ્રિય અને અર્થને ન સ્વીકારે, પણ શન્યને સ્વીકારે તોપણ તું અપ્રત્યક્ષ હોવાથી” એમ ન કહી શકે, કારણ કે ઈન્દ્રિય અને અર્થના અભાવમાં પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ એવો વ્યવહાર થઈ જ ન શકે.
(૧૯૪૬) વળી “અપ્રત્યક્ષ હોવાથી” એ હેતુ પણ વ્યભિચારી છે, કારણ કે એ નિયમ નથી કે જે અપ્રત્યક્ષ હોય તે અવિદ્યમાન જ હોય. તારા પિતાના જ સંશયને અને અન્ય જ્ઞાનોને ઘણા લોકો પ્રત્યક્ષ નથી કરતાં છતાં તે વિદ્યમાન છે જ. તે પ્રકારે અન્ય પદાર્થો એવા હોઈ શકે છે કે જે અપ્રત્યક્ષ છતાં વિદ્યમાન હોય છે. તે પ્રમાણે પરમધ્યભાગો પણ અપ્રત્યક્ષ છતાં વિદ્યમાન સંભવે છે.
વ્યકત-સંશયાદિ જ્ઞાન પણ અપ્રત્યક્ષ હોવાથી વિદ્યમાન નથી એમ કહે ?
ભગવાન–તો પછી એમ જ થયું ને કે તને ભૂતોની શૂન્યતા વિશે સંશય નથી ? તે પછી તે કોને છે ? એ તે શું છે ? અને કોણે શૂન્યતાને શું છે? સારાંશ એ છે કે બીજા કોઈને તે ભૂતાના અસ્તિત્વ વિશે સંદેહ જ નથી, એ સંદેહ તો તને જ હતો. અને હવે તું કહે છે કે મને પણ સંદેહ નથી તો પછી એ ચર્ચા અહી જ સમાપ્ત થવી જોઈએ, કારણ કે બીજા લોકોને તે આ ગ્રામ-નગરાદિની સત્તા વિશે જરા પણ સંદેહ નથી. તેથી સર્વશૂન્યતાને પ્રશ્ન જ રહેતો નથી. (૧૪) એટલે કે વ્યક્ત ! તારે પણ પૃથ્વી, પાણી, અગ્નિ જે પ્રત્યક્ષ દેખાય છે એ વિશે
તે સંદેહ કરવો જ ન જોઈએ, જેમ તું તારા પોતાના સ્વરૂપ પૃથ્વી આદિ ભૂત વિશે સંદેહ નથી કરતા તેમ. વાયુ અને આકાશ જે પ્રત્યક્ષ નથી પ્રત્યક્ષ છે દેખાતાં એ વિશે સંશય કદાચ થાય, પરંતુ એ સંશયનું નિવારણ
પણ અનુમાનથી થઈ શકે છે. (૧૭૪૮) વ્યક્ત-વાયુની સિદ્ધિમાં કેવું અનુમાન છે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org