________________
વ્યકત]
શુન્યવાદનિરાસ ભગવાન–એક તરફ તું કહે છે કે બધું સામગ્રીજન્ય છે અને વળી પાછું કહે છે કે પરમાણુ નથી, આ તો પરસ્પર વિરુદ્ધ કથન થયું કહેવાય જેમ કઈ કહે કે બધાં જ વચનો જઠાં છે, તો તેનું આ કથન જેમ સ્વવચન વિરુદ્ધ છે. તેમ આમાં પણ વિરોધ છે, કારણ કે જે પરમાણુ જ ન હોય તો તે સિવાયની એવી કઈ સામગ્રી છે જેથી આ બધું ઉત્પન્ન થાય? શું આ બધું આકાશકુસુમથી ઉત્પન્ન થાય છે ? માટે જે બધાને સમગીજન્ય માનવું હોય તે પરમાણુરૂપ સામગ્રીને અભાવ માની શકાય નહિ.
(૧૭૩૮)
વ્યકત–પણું પરભાગનું અદર્શન છે જ અને નજીકના ભાગનું પણ સૂક્ષમ હોવાથી અદશન છે ઇત્યાદિ તર્ક વડે જે સર્વશૂન્યતાની સિદ્ધિ કરી હતી તેનું શું ?
ભગવાન–આમાં પણ વિરોધ છે. દશ્ય વસ્તુના અગ્ર ભાગનું તને ગ્રહણ પણ બધું અદશ્ય છે છતાં તું કહે છે કે “તે નથી, તે તેમાં વિરોધ નથી તે નથી બીજુ શું છે?
વ્યકત વસ્તુતઃ સર્વાભાવ હોવાથી અગ્રભાગનું ગ્રહણ પણ બ્રાતિ જ છે.
ભગવાન–જે અગ્રભાગનું ગ્રહણ બ્રાન્તિમાત્ર હોય તો પછી શૂન્યરૂપે સમાન હોવા છતાં ખરશૃંગને અગ્રભાગ કેમ ગૃહીત નથી થતો ? કાંતો બનેનું ગ્રહણ સમાનભાવે થવું જોઈએ અથવા ન થવું જોઈએ. સમાન હોવા છતાં એવું ન બને કે એક ગૃહીત થાય અને બીજુ નહિ. વળી, વિપર્યય કેમ નથી થતો? ખંભાદિના અગ્રભાગને બદલે ખરશંગને જ અગ્રભાગ દેખાય અને ખંભાદિનો અગ્રભાગ ન દેખાય એમ કેમ નથી બનતું? માટે બધું જ શૂન્ય છે એમ માની શકાય નહિ. ((૧૯૩૯)
વળી “પરભાગ નથી દેખાતો માટે અગ્રભાગ પણ ન હોવો જોઈએ આ તે વળી કેવી જાતનું અનુમાન છે? અગ્રભાગ તે અબાધિત પ્રત્યક્ષથી સિદ્ધ છે, તેથી ઉક્ત અનુમાનથી અગ્નિના ઔશ્યની જેમ અગ્રભાગને બાધ ન થઈ શકે. પણ એ અગ્રભાગ ગ્રાહક પ્રત્યક્ષથી જ તારું અનુમાન બાધિત થઈ જશે. એટલે ઊલટું અગ્રભાગના ગ્રહણથી પરભાગની પણ સિદ્ધિ કેમ નહિ થાય તે તું જ કહે, કારણ કે અગ્રભાગ એ આપેક્ષિક છે, એટલે જે કંઈ પરભાગ હોય તે જ અગ્રભાગ સંભવે, અન્યથા નહિ. આથી અગ્રભાગના અસ્તિત્વને બળે પરભાગના અસ્તિત્વનું અનુમાન સહજ છે.
૧, જુઓ ગા૦ ૧૬૯૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org