________________
૮૨]
ગણધરવાદ
[ગણધર
વ્યકત– પણ જાતાદિ વિકલ્પ વડે વસ્તુની ઉત્પત્તિ નથી ઘટતી તેનું શું ?
ભગવાન– એકાતવાદને આશ્રય લઈએ તો કશું જ ન ઘટે; પણ જે અનેકાન્તનો આશ્રય કરીએ તો અપેક્ષા વિશેષે (૧) જાતની (૨) અજાતની (૩) જાતજાતની અને (૪) જાયમાનની ઉત્પત્તિ ઘટી શકે છે; અને (૫) કાંઈક એવું પણ છે જેની ઉત્પત્તિ ઉક્ત એકે પ્રકારે થતી નથી. (૧૭૨૮).
વ્યક્ત- તે કેવી રીતે ? દાખલા આપી સમજાવો.
ભગવાન– (૧) ઘટની રૂપીપણે ઉત્પત્તિ એ જાતની ઉત્પત્તિ છે, કારણ કે માટીને પિંડ પ્રથમ પણ રૂપી હતો જ અને તે ઘટાવસ્થામાં પણ રૂપી છે જ.
(૨) પણ આકારની અપેક્ષાએ તે જ ઘડાની ઉત્પત્તિ અજાતની ઉત્પત્તિ કહેવાય, કારણ કે માટીનો પિંડ ઘટાકારમાં આવે તે પહેલાં ઘટાકારરૂપ તો અજાત જ હતો.
(૩) રૂપ અને આકાર એ બને અપેક્ષા એ ઘડાની ઉત્પત્તિ એ જાત-અજાત ઉભયની ઉત્પત્તિ કહેવાય, કારણ કે તે ઘટાકારમાં આવ્યા પહેલાં રૂપી તો હતો, પણ આકાર વિશેષને અભાવ હતો.
(૪) અતીત કાળ નષ્ટ હોવાથી અને અનાગત કાળ અનુપન હોવાથી તે બને કાળમાં કિયા ઘટી શકે નહિ; અર્થાત વર્તમાન કાલમાં જ ક્રિયા ઘટતી હોવાથી જાયમાન ઘડાની ઉત્પત્તિ માનવી જોઈએ. (૧૭ર૯) -
(૫) પણ તે જ ઘડે પૂર્વકાલમાં જાત-ઉપન્ન હોય તો પુનઃ તેની ઉત્પત્તિને અસંભવ હોવાથી એમ કહી શકાય કે જાતની ઉત્પત્તિ સર્વથા નથી સંભવતી. વળી જાત એ ઘટ પણ પરપર્યાયરૂપ પરરૂપે તો ઉત્પન્ન થઈ શક્તો નથી તેથી પરપર્યાયની અપેક્ષાએ પણ જાતની ઉત્પત્તિ સર્વથા ઘટતી નથી. વળી જાત-અજાત એ ઘટ પણ અર્થાત સ્વપર્યાયની અપેક્ષાએ જાત અને પરપર્યાયની અપેક્ષાએ આ જાત એ ઘટ પણ પૂર્વજાત હોવાથી પુનઃ તદ્રપે ઉત્પત્તિયોગ્ય ન હોવાથી જાત-જાતની પણ સર્વથા ઉત્પત્તિ ઘટતી નથી. વળી ઘટરૂપે જાયમાન ઘટ પણ પટરૂપે કદી ઉત્પન નથી થતો; એટલે એ અપેક્ષાએ જાયમાનની પણ કદી ઉત્પત્તિ ઘટતી નથી. (૧૭૩૦)
વળી માદિ જે નિત્ય પદાર્થો છે તેમની પણ જાતાદિ પ્રકારે સર્વથા ઉત્પત્તિ થતી નથી, કારણ કે તે સર્વદા સ્થિત છે.
સારાંશ એ છે કે દ્રવ્યની તે જ પ્રકારે ઉત્પત્તિ કદી થતી નથી, પણ પર્યાયની અપેક્ષાએ ઉપર બતાવ્યું તેમ વસ્તુની જાતઆદિ વિકલ્પે વડે ભજના છે; અર્થાત પર્યાયની અપેક્ષાએ ઉપર બતાવ્યા પ્રમાણે જાતની ઉત્પત્તિ ઘટે પણ છે અને નથી પણ ઘટતી. (૧૭૩૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org